________________
૪૪૧
ઉલ્લાસ ]
આહંત દર્શન દીપિકા. યોનિઓની શુભ-અશુભતા
આ પ્રમાણે યોનિનું પ્રકરણ સમાપ્ત કરીએ તે પૂર્વે આચારાંગ-વૃત્તિમાં મળી આવતી વિશેષતા નેંધી લઈએ. તે એ છે કે ૮૪ લાખ શીતાદિ નિઓમાં કેટલીક શુભ છે અને કેટલીક અશુભ છે. જેમકે અસંખ્યાત આયુષ્યવાળા મનુષ્યની, સંખ્યાતાદિ આયુષ્યવાળા ચક્રવતીઓની અને તીર્થંકર-નામ-શેત્રવાળાની શુભ યોનિ જાણવી. તેમાં પણ વળી જાતિ-સંપન્નની શુભ યોનિ અને બીજાની અશુભ જાણવી. દેવે પૈકી 'કિબિષાદિની અશુભ અને બાકીનાની શુભ જાણવી. પંચેન્દ્રિય તિયામાં અશ્વ-રત્નની અને ગજ-રત્નની શુભ અને બાકીનાઓની અશુભ જાણવી. ઉત્તમ વર્ણવાળાં રત્ન વગેરે એકેન્દ્રિયની શુભ ચોનિ સમજવી.
સાથે સાથે એ પણ ઉમેરી લઈએ કે દેવેન્દ્ર, નરેન્દ્ર (ચકવતી), ધર્મેન્દ્ર (તીર્થકર ) અને અનગાર સિવાયના છ અનંત વાર સંસારમાં રઝળે છે. ગર્ભ-જન્માદિના સ્વામી–
જન્મને વિચાર કરતી વેળા સાથે સાથે આપણે જન્મ માટેના વિશિષ્ટ સ્થાને યાને નિઓ સંબંધી દિગ્દર્શન કર્યું. પરંતુ કયા જન્મના કેણ સ્વામી છે તે વાત જાણવી રહી ગઈ છે એટલે - એ વિષેની હકીકત આપણે નીચે મુજબ ધી લઈએ -
દેવે અને નારકને ઉપપાત-જન્મ હોય છે; પાંચ જાતના એકેન્દ્રિયોને, ત્રણે વિકસેન્દ્રિયોને અને અગજ પંચેન્દ્રિય એવા તિર્યંચને તેમજ મનુષ્યોને સંમૂચ્છન-જન્મ હોય છે, અને બાકીના તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યને ગર્ભ–જન્મ હોય છે. તેમાં ગર્ભ–જન્મના (૧) જરાયુજ, (૨) અંડજ અને (૩) પિતજ એમ ત્રણ પ્રકારે છે. આ વાત ગ્રંથકાર નીચે મુજબ નિદેશે છે –
જર્મના ધા, શરાર્થ-ડve-mોતા ! આ હકીકત પૂરેપૂરી લક્ષ્યમાં આવે તે માટે આપણે ગર્ભજના ત્રણ પ્રકારનાં લક્ષણો ગ્રંથકારના શબ્દોમાં અવલોકીએ. સંખ્યા પણ પ્રાયઃ ઉપર મુજબ જ છે. ફેર એટલા પૂરતા છે કે સાધારણ વનસ્પતિકાયની ચૌદ લાખ યોનિ ન ગણાવતાં ત્યાં નિત્ય નિગદની સાત લાખ અને અનિત્ય નિગોદની સાત લાખ એનિઓ ગણુવાઈ છે. જે જીવો ત્રસ-ભાવને યોગ્ય થયા નથી, છે નહિ તેમજ થશે નહિ તેઓ “ નિત્ય નિગોદ ' કહેવાય છે, જ્યારે જે જી ત્રસ–ભાવને પ્રાપ્ત થઈ ચૂક્યા છે અથવા થશે તેઓ “ અનિત્ય નિગોદ ' કહેવાય છે. વનસ્પતિ-કાયની જે દશ લાખ યોનિઓ ગણાવી છે તે નિત્ય નિગોદ તેમજ અનિત્ય નિગાદ સિવાયનાની ગણવી છે એટલે આ હકીકત પ્રત્યેક વનસ્પતિકાય સાથે મળી રહે છે. આ સંબંધમાં તત્વાર્થરાજ૦ (પૃ. ૧૦૦ )માં નિમ્નલિખિત અવતરણ નજરે પડે છે –
" णिच्चिदरधा दु सत्त य तह दस विलिदिपसु छच्चेव ।
सुरणिरयतिरिय पउगे चोद्दस मणुए सदसहस्सा ॥" [ नित्येतरधा द्विः सप्त च तरौ दश विकलेन्द्रियेषु षडेव ।
सुरनिरयतिर्यक्षु चत्वारि चतुर्दश मनुजे शतसहस्राणि || ] ૧ જુઓ ૧૮૭મું લક્ષણ.
58
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org