SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ! આહંત દર્શન દીપિકા. ૪૩૯ હરણ), ભુંડ (ડુક્કર), ગવય, સિંહ, વાઘ, રીંછ, ચિત્તે, કૂતરે, શિયાળ, બિલાવિગેરે પ્રાણીઓને નિર્દેશ કરી શકાય છે, આ સંબંધમાં જુએ તત્ત્વાર્થ (અ. ૨, સૂ. ૩૪)નું ભાષ્ય (પૃ. ૧૯૩). છાશ, દહીં, કાંજી, તમન વગેરેને વિષે વાયુ-કૃમિના જેવા આકારવાળા અત્યંત સૂક્ષમ જે જીવ ઉત્પન્ન થાય છે તે “સજ” કહેવાય છે. “સંસ્વેદ એટલે “પરસે', એથી ઉત્પન્ન થતા છે “સંદજ' છે. જેમકે માંકડ, જુ. સંમૂચ્છનથી બનેલા તે “સંમૂછિમ' છે. ઉદાહરણ તરીકે કૃમિ, કીધ, માખી વગેરે. ઉભિ એટલે ભૂમિને ભેદવું. આથી કરીને ભૂમિને ભેદીને ઉત્પન્ન થતા છે “ઉમિજાજ' કહેવાય છે. દwત તરીકે પતંગીઉં, ખંજન વગેરે. નિની ગણત્રી ઓની સંખ્યા અનંતની છે એટલે એનાં ઉત્પત્તિ-સ્થાને યાને નિઓ પણ અનંત હેવી જોઈએ એમ કહેવાય તેમ નથી, કેમકે જીના સામાન્ય આધારરૂપ લેક પણ અસંખ્ય પ્રદેશાત્મક જ છે તેમજ વળી વિશેષ આધારરૂપ એવા નરકનાં નિષ્ફટ, દેવ-થા તેમજ પ્રત્યેક અને સાધારણ જંતુનાં શરીર પણ અસંખ્ય જ છે. આથી કરીને જે અનંત હોવા છતાં પેનિઓ અનંત, કેમ હોઈ શકે ? આથી કે એમ કહે કે ભલે નિઓની સંખ્યા અનંતની ન હ, કિન્તુ તે અસંખ્ય હોવી જોઈએ તો તે વાત પણ શાશ્વસંમત નથી. કારણ કે સર્વનની દ્રષ્ટિ અનસાર વર્ણાદિની સમાનતાને લક્ષ્યમાં લઈને ઘણી નિઓને પણ એક જ ગણવામાં આવે છે અને તે પ્રમાણે વિચારતાં અનંત જીવોની નિઓની સંખ્યા ૮૪ લાખની જ ઠરે છે. આ કથન પણ વિસ્તારની દ્રષ્ટિએ સમજવું; બાકી અન્ય અપેક્ષા પ્રમાણે વિચાર કરતાં સંક્ષેપથી પૂર્વોક્ત સંવૃતાદિ નવ ભેદ થાય છે. આથી એ લક્ષ્યમાં રાખવું કે ૮૪ લાખ તો નિની સંખ્યા છે, નહિ કે સંસારી જીની. એવી જ રીતે એ વાત પણ ધ્યાનમાં લેવા જેવી છે કે એ કંઈ નિયમ નથી કે એક યોનિમાં એક જ જીવ ઉત્પન્ન થાય, આથી તે જૈન શાસ્ત્રમાં કહ્યું છે કે એક જ નિમાં અનેક કુલો હોય છે. જેમકે છાણરૂપ નિમાં કૃમિ-કુલ, કીટ-કુલ, વૃશ્ચિક-કુલ એમ અનેક કુલે છે એટલે કે છાણમાંથી કમિ. કીટ. વીંછી એમ અનેક છ જન્મે છે. અથવા તે છાણમાંથી ઉત્પન્ન થયેલા વીંછીઓના રાતા વગેરે વણે આશ્રીને અનેક જાતનાં કુલે છે. આથી તે નિ અને કુલને ભેદ દર્શાવતાં પ્રવચનસારોદ્ધારની વૃત્તિના ૨૮૭માં પત્રમાં કહ્યું છે કે – “योनिर्जीवानामुत्पत्तिस्थानं, यथा वृश्चिकादेर्गोमयादि, कुलानि तु योनिप्रभवाणि" અર્થાત્ “નિ” એટલે જીવનું ઉત્પત્તિ-સ્થાન, જેમકે વીંછી વગેરેનું છાણ વગેરે અને કુલ એટલે યોનિમાં ઉત્પન્ન થતું. ૧ આ ઉપરથી જણાય છે કે “ ઉભિજજ ને અર્થ અત્ર “ વનસ્પતિ ' નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy