________________
૩૫૪ જીવ-અધિકાર
[ પ્રથમ છે. ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય અને ગર્ભજ મનુષ્યના સંબંધમાં છએ લેસ્થાઓ સંભવી શકે છે. તિષ્ક દેવ અને દેવીઓને તેમજ સૌધર્મ અને ઈશાન દેવલેકવાસી જીવોને તેમજ તમામ વૈમાનિક દેવીઓને તેજલેશ્યા છે. સાનકુમાર, મહેન્દ્ર, અને બ્રહ્મલેક કલ્પના દેને પદમલેશ્યા અને ત્યાર પછીના બાકીના બધા દેવને ફક્ત શુકલ લેડ્યા જ છે.
લેશ્યા પરત્વે અ૫–બહત્વ
શુકલ લેફ્સાવાળા છે સૌથી થોડા છે, કેમકે કેટલાક પંચેન્દ્રિય તિર્યંચમાં, મનુષ્યમાં તેમજ લાન્તકાદિ દેવેમાં તેને સદ્દભાવ છે. પદમલેશ્યાવાળા છે આથી સંખ્યય ગુણ છે, કેમકે આવા જવેમાં કેટલાક પંચેન્દ્રિય તિર્યચ, મનુષ્ય અને પ્રથમના ત્રણ કલ્પના દેને સમાવેશ થાય છે. અત્ર કેઈને શંકા થાય કે આ હકીકત તે વ્યાજબી લાગતી નથી, કારણ કે લાન્તકાદિ દેવે કરતાં તે સાનકુમારાદિ ત્રણ કલ્પવાસી દેવેની સંખ્યા અસંખ્યાતગુણ છે. આનું સમાધાન એ છે કે શુકલ લેફ્સાવાળા પંચેન્દ્રિય તિર્યંચ ની જઘન્ય સંખ્યા વિચારીએ તો પણ તે જીવોની સંખ્યા અસંખ્યાત સનસ્કુમારાદિ ત્રણ કલ્પવાસ કરતાં અસં
ખ્યાત ગુણી છે. આ વાતને ધ્યાનમાં લઈને પમલેશ્યાવાળા જીની સંખ્યા વિચારવામાં આવે તે પછી ઉપલી હકીકત અસ્થાને લાગશે નહિ. પદમલેશ્યાવાળા છ કરતાં તેજલેશ્યાવાળા જી અસંખ્ય ગુણ છે, કેમકે તેજલેશ્યા તે બાદર પૃથ્વીકાય, અપકાય પ્રત્યેક વનસ્પતિ, સંખેય ગુણ પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો, ભવનપતિ. વ્યન્તર, જતિષ્ક, સૌધર્મ અને ઐશાન દેવામાં સંભવે છે. આથી અનન્ત ગુણા જી (સિદ્ધના છો) અલેશ્ય-લેશ્યરહિત છે. આથી કાપતલેશ્યાવાળા પ્રાણીઓ અનંત ગુણ છે, કેમકે સિદ્ધના કરતાં વનસ્પતિકાયના જીવો અનન્ત ગુણા છે. આથી નીલેશ્યાવાળા જી અધિક છે અને તેના કરતાં વળી કૃષ્ણલેશ્યાવાળા જીવોની સંખ્યા વિશેષ છે.
લેશ્યાઓના વર્ણાદિનું સ્વરૂપ –
લેશ્યાઓના વર્ણાદિકનો વિચાર કરીએ તે પૂર્વે એ ધ્યાનમાં રાખવું અગત્યનું છે કે લેસ્થાના દ્રવ્ય-લેશ્યા” અને “ભાવ-લેહ્યા” એમ બે ભેદે પદ્ધ શકે છે, કૃષ્ણાદિ લેશ્યાને યોગ્ય જે દ્રવ્ય તેને “દ્રવ્ય-લેશ્યા સમજવી અને આવાં દ્રવ્યના સાનિધ્યથી આત્મામાં ઉત્પન્ન થતા ભાવનેપરિણામને “ભાવ-લેશ્યા” જાણવી. આ વર્ણાદિને વિચાર દ્રવ્ય-લેશ્યાને જ આશ્રીને ઘટી શકે છે. તેમાં કૃષ્ણ લેસ્થાને વર્ણ વર્ષા ઋતુના મેઘ, અંજન, ખંજન, કાજલ, ગવલ (ભેંસનું શીંગડું), અરિષ્ઠક, કેડિલા (કેયલ), ભ્રમર, ભ્રમરાવલી, ગજકલભ છે હાથીનું બચ્ચું), કૃષ્ણ કેશર, કણ અશક ઇત્યાદિના રંગને મળતા આવે છે. નીલ લેસ્થાને વર્ણ ભંગ, ભંગનાં પીંછાં, ચાસ, ચાસના પીંછાં, પિપટ, પિપટનાં પીંછા, શ્યામ વનરાજી, કબૂતર તથા મેરની ગરદન, બલદેવનાં વસ્ત્ર, નીલ કમલ, નીલ અશોક ઈત્યાદિના રંગ જેવો છે. કાપત લેશ્યાને વણ ખદિરનાં ઝાડને સાર, અતસીનાં તેમજ વૃન્તાકનાં ફૂલ ઈત્યાદિને મળતું આવે છે. તેજલેશ્યાનો વર્ણ તે માણિજ્ય, ઉગત સૂર્ય, સંધ્યા, પરવાળાના અંકુર ઇત્યાદિના લાલ રંગ કરતાં ચડે તેમ છે. સુવર્ણ, ચંપિ ઇત્યાદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org