________________
૧૦૯
ઉલ્લાસ ]
આહંત દર્શન દીપિકા. સુધી મિથ્યાત્વની ગુણ-શ્રેણિ પ્રવર્તે છે, પરંતુ બે આવલિકા અવશિષ્ટ કહેતાં ગુણ-શ્રેણિ નિવર્સે છે. આ પ્રમાણે અન્ડરકરણના પ્રવેશ–સમયથી માંડીને તે અન્તર્મુહૂર્ત સુધી તે જીવ પથમિક સમ્યગ્દષ્ટિ રહે છે.
પશમિક સમ્યગ્દર્શનના અન્તમુહૂર્તને અન્ને કિંચિત્ અધિક એવી એક આવલિકા જેટલી સ્થિતિ બાકી રહેતાં શુક્લપક્ષી જીવ દ્વિતીય સ્થિતિગત સમ્યકત્વાદિ ત્રણે પુંજના દલિકને અધ્યવસાય-વિશેષની મદદથી આકર્ષીને તેને અન્ડરકરણની અન્ય આવલિકામાં પ્રક્ષેપે છે, એટલે કે પ્રથમ સમયમાં અધિક, દ્વિતીય સમયમાં એથી જૂન, તૃતીય સમયમાં એથી પણ ન્યૂન એમ આવલિકાના અન્ય સમય સુધી દલિકનું હીન હીનતર પ્રક્ષેપનું કાર્ય ચાલે છે. આ પ્રમાણે પ્રક્ષેપાતાં કલિકની સ્થાપના (આકૃતિ) ગોપુછ (ગાયના પૂછડા) જેવી બને છે.
અન્ડરકરણને કાળ આવલિકા પ્રમાણ બાકી રહેતાં અધ્યવસાય અનુસાર ત્રણ પુજેમાંથી કઈ પણ એક પુંજને ઉદય થાય છે. જે આ સમયે શુભ અધ્યવસાય હોય તે શુદ્ધ દલિકને ઉદય થાય છે એટલે કે આત્મા “ક્ષા પશિક” સમ્યકત્વ પ્રાપ્ત કરે છે, જે મધ્યમ અધ્યવસાય હોય, તે મિશ્ર દલિકને ઉદય થાય છે એટલે આત્મા “મિશ્ર-દષ્ટિ બને છે, અને જે મલિન અધ્યવસાય હાય તે અશુદ્ધ દ્રવ્ય ઉદયમાં આવે છે એટલે આત્મા ફરીથી “મિથ્યાદષ્ટિ બને છે.
અત્ર ખાસ ધ્યાનમાં રાખવા જેવી હકીકત એ છે કે ઉપશમ-સમ્યત્વની સહાયતાથી આત્મા જે મિથ્યાત્વ–મેહનીયના શુદ્ધાદિ ત્રણ પુ-વિભાગો કરે છે, તે પૈકી ગમે તે એક તે અન્તર્મુહૂર્ત કાળ વીત્યા બાદ જરૂર જ ઉદયમાં આવે છે અને તેમ થતાં તે ચોથા, ત્રીજા કે પહેલા ગુણસ્થાનને પ્રાપ્ત કરે છે.
કર્મગ્રન્થકાર અને સિદ્ધાંતકારે વચ્ચે મતભેદ (૧) પ્રથમ કયું સમ્યક્ત્વ
અનાદિ મિથ્યાષ્ટિ જીવ પ્રથમતઃ યથાપ્રવૃત્તિકરણાદિ ત્રણ કરો દ્વારા પથમિક સમ્યકત્વ જ પામે છે તે વાત કર્મગ્રંથને જ અનુસરે છે અર્થાત્ એ કર્મગ્રન્થકારેને જ અભિપ્રાય છે. સિદ્ધાન્તકારોના અભિપ્રાય પ્રમાણે તે અનાદિ મિથ્યાદષ્ટિ પ્રાણી પ્રથમ તે ઔપશમિક સમ્યક્ત્વ જ પ્રાપ્ત કરે એવો કંઈ અચળ નિયમ નથી. અર્થાત્ કે અનાદિ મિથ્યાષ્ટિ જીવ
પથમિક સમ્યકત્વ પામે તે કઈ ક્ષાએ પશિક સમ્યક્ત્વ પણ પામે. (૨) પથમિક સમ્યક્ત્વ પછીની દશા–
ઔપથમિક સમ્યક્ત્વના સંપાદનને માર્ગ જે આપણે ઉપર વિચારી ગયા, તે કર્મ ગ્રન્થકારોના મત પ્રમાણે છે. મેટે ભાગે આ જ માગને સૈદ્ધાન્તિકે સ્વીકારે છે એટલે કે યથાપ્રવૃત્તિકરણાદિ ત્રણ કરણની પ્રાપ્તિ પૂર્વક અન્તરકરણના પ્રથમ સમયમાં સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે ત્યાં સુધી તેઓ મળતા થાય છે, પરંતુ વિશેષતા એ છે કે આ ઓપશમિક સમ્યકત્વના અનુભવ-સમયમાં કે તે પૂર્વે પણ છવ મિથ્યાત્વ-મેહનીયના શુદ્ધાદિ ત્રણ પુજે કરતે નથી જ. આ ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org