________________
ન્યા. તી. ન્યા. વિ. ઉપાધ્યાય શ્રીમંગલવિજયકૃત જૈનતત્વદીય સંબંધી
ઉત્સર્ગ–ઉદ્ગારનો અનુવાદ
ગુજરાતથી પગે વિહાર કરીને મહાશ્રમ પૂર્વક જેમણે “કાશી માં મેટું ન વિદ્યાલય સ્થાપ્યું, ત્યાંના પ્રૌઢ વિદ્વતાથી વિભૂષિત પંડિતેને જૈનધર્મ વિષેને સંદેહ જેમણે રફુરાયમાણ તર્કો વડે દૂર કર્યો, “બંગાળ દેશમાં વિચરીને ધર્મોપદેશ આપી ત્યાંના માંસ ભક્ષણ કરનારા મનુષ્યના હૃદયમાં કરણને અંકુર જેમણે રે, “કાશી ના રાજાના પ્રમુખપણા હેઠળ સર્વ ભારતીય પંડિતેઓ જેમને ઉચ્ચ પદવીને માનથી અલંકૃત કર્યા, હિંસારૂપ દેષને દૂર કરવા માટે અને દયાધમને પ્રચાર કરવા માટે જે કૃપાળુએ “કાશીમાં પશુશાળા ( પાંજરાપિળ) સ્થાપી, “જોધપુર નગરમાં સાહિત્ય પરિષદ્ ભરી શિક્ષાના વ્યાપારના હિંડિમની જેમણે ઉઘોષણા કરી, તેમજ ગામે ગામ અને શહેરે શહેર સર્વતઃ જૈન ધર્મ સંબંધી ભાષણ દ્વારા કોના ઉપર ઉપકાર કરવાનું જેમનું વ્રત નિશ્ચળ છે, તે શારદ ચંદ્રરૂપી અમૃતની જેમ સુંદર આચાર વડે મનહર એવા શ્રી વિજયધર્મ નામના સૂરિ ખરેખર પ્રસિદ્ધ જ છે. મારા જેવા જડ બુદ્ધિએ પણ જે કંઈ ઉન્નતિ પ્રાપ્ત કરી તેમાં તારી કૃપાદ્રષ્ટિ સિવાય બીજું કશું કારણ નથી. હે ગુરુ! તારી કૃપાથી જ હું આટલી ભૂમિકાએ આરૂઢ થયે છું એટલે તારા ઋણમાંથી મારી જાતને મુક્ત કરવા હું અસમર્થ જ છું, છતાં તારા કરકમળમાં આ કંઈક કૃતિ અખું છું અને એથી મારા જન્મને અંશતઃ કૃતાર્થ થયેલે માનું છું,
–મંગલવિજય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org