SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1237
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫૮ એક્ષ-અધિકાર, [ સક્ષમ તીર્થકર અને અતીર્થકર એમ ઉભય પ્રકારના સ્વયંબુદ્ધ, પ્રત્યેકબુદ્ધ તેમજ અન્યને ઉપદેશ આપનાર અને કેવળ પિતાનું કલ્યાણ સાધનાર એ બધા સિદ્ધ થાય છે. જ્ઞાન-દ્વાર–ભૂત-દષ્ટિએ બે, ત્રણ કે ચાર જ્ઞાનવાળા સિદ્ધ થાય છે. વર્તમાન-દષ્ટિએ તે કેવળ કેવલજ્ઞાની જ સિદ્ધ થાય છે. અવગાહના-દ્વાર–અવગાહનાને અર્થ અત્ર ઊંચાઈ સમજવાનો છે. ભૂત-દષ્ટિએ તીર્થકર જઘન્યથી સાત હાથ જેટલી અવગાહનાવાળા અને ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુષ્ય જેટલી ઊંચાઇવાળા મેક્ષે જાય. સામાન્ય કેવલી જઘન્યથી વામન એવા કુર્મા પુત્રની પેઠે બે હાથની કાયાવાળા અને ઉત્કૃષ્ટથી પાંચસે ધનુષ્ય ઉપરાંત ધનુષ્યપૃથત્વ જેટલી અવગાહનાવાળા સિદ્ધ થાય. સામાન્ય રીતે એમ કહેવાય કે જઘન્યથી અંગુલપૃથ૦ જેટલે અંશે ન્યૂન એવા સાત હાથની અવગાહનાવાળા અને ઉત્કૃષ્ટથી ધનુષ્યપૃથકત્વ જેટલા અધિક એવા પ૦૦ એટલે પર ૫ ધનુષ્ય પ્રમાણે અવગાહનાવાળા સિદ્ધ થાય. વર્તમાન-દષ્ટિએ તે સિદ્ધ થયા પૂર્વે જે અવગાહના હોય તેનાથી બે તૃતીયાંશ અવગાહનાવાળા સિદ્ધ જાણવા. અન્તર-દ્વાર-કઈ એક સિદ્ધ થયા પછી તરત જ અનંતર સમયમાં જ બીજા કેઈ સિદ્ધ થાય તે તે “નિરંતરસિદ્ધ” કહેવાય છે. આ પ્રમાણે લાગલગટ મેક્ષની પ્રાપ્તિ જઘન્યથી બે સમય સુધી અને ઉત્કૃષ્ટથી આઠ સમય સુધી છે. ત્યાર બાદ એક સમય એટલે તે અંતર પડે જ પડે. કેઈ સિદ્ધ થાય પછી તરત જ નહિ કિન્તુ અમુક કાળ વીત્યા બાદ જે બીજા સિદ્ધ થાય તે તે “ સાંત-સિદ્ધ” કહેવાય છે. આ અમુક કાળ ઓછામાં ઓછો એક સમય અને વધારેમાં વધારે છ માસ જેટલે સંભવે છે, સંખ્યા–દ્વાર એક સમયમાં જઘન્યથી એક અને ઉત્કૃષ્ટથી ૧૦૮ સિદ્ધ થાય. તેમાં ઉત્કૃષ્ટથી ઊર્ધ્વ– લેકમાંથી ૪, અધેલકમાંથી ૩ર અને તિલકમાંથી ૧૦૮ સિદ્ધ થાય. વળી સમુદ્ર આશ્રીને ૨ અને અન્ય જલાશય આશ્રીને ૩ જાણવા. એક સમયમાં મારેમાં વધારે ઉકષ્ટ અવગાહનાવાળા ૨, જધન્ય અવગાહનોવાળા છે અને મધ્યમ અવગાહનાવાળા ૧૦૮ સિદ્ધ થાય. એવી રીતે લિંગ આશ્રીને પુરુષ-લિંગે ૧૦૮, સીલિંગ ૨૦ અને નપુંસકલિંગે ૧૦ થાય. ગૃહ-લિંગે ૪, અન્ય લિગે ૧૦ અને વલિંગે ૧૦૮ થાય. આ પ્રમાણે કાળ વગેરે માટે ગ્રંથાંતરથી જાણી લેવું. અ૫હેવ-દ્વાર– ઉપર આપણે જે ક્ષેત્રાદિ અગ્યાર બાબતે વિચારી ગયા તે પ્રત્યેકને લક્ષ્મીને સિદ્ધ થયેલા છનું ઓછા વધતા પણ વિચારવું એ આ દ્વારનું કાર્ય છે. જેમકે ક્ષેત્રની બાબતમાં સંહરણ - ક્ષેત્રે સિદ્ધ થયેલા કરતાં જન્મ-ક્ષેત્રે સિત થયેલા અસંખ્યાત ગુણ છે. ઊલોકમાં સિદ્ધ થયેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy