________________
૧૦૫૦
બન્ધ-અધિકાર.
[ચતુર્થ લાભાન્તરાય-કર્મનું લક્ષણ
यस्योदये सति ईप्सितावाप्तिनं भवति तल्लाभान्तरायस्य लक्ष
(શરૂ) અર્થાત જે કર્મના ઉદય દરમ્યાન અભીષ્ટ વસ્તુની પ્રાપ્તિ ન થાય તે કમને “લાભાન્તરાયકમ' જાણવું. ભેગાતરાય-કમનું લક્ષણ
यस्योदये सति अन्नपानमाल्यादिवस्तुसन्निधानेऽपि भोक्तुं न शक्यते तद्रूपत्वं भोगान्तरायस्य लक्षणम् । (६३६) અથાત જે કર્મના ઉદયમાં અન્ન, જળ, પુષ્પની માળા વગેરે વસ્તુઓ વિદ્યમાન હોવા છતાં અને તેને ત્યાગ ન કર્યો હોય તે પણ તેને ભેગ ન કરી શકાય તે કમને ભેગાન્તરાય-કમ” સમજવું. ઉપભેગાન્તરાયનું લક્ષણ
यस्योदये सति स्त्रीवस्त्रशयनासनादिवस्तुसन्निधानेऽपि त्यागा. भावे च सति उपभोक्तुं न शक्यते तद्रूपत्वमुपभोगान्तरायस्य
I (હરૂ૭). અર્થાત્ જે કમને ઉદય થતાં સ્ત્રી, વસ્ત્ર, શયન, આસન વગેરે વસ્તુઓ પ્રાપ્ત થયેલી હોવા છતાં અને ત્યાગને અભાવ હેવા છતાં પણ તેને ઉપગ ન કરી શકાય તે કમને “ઉપગાનારાયકર્મ” કહેવામાં આવે છે. વર્યાન્તરાયનું લક્ષણ
यस्योदये सति उत्साहप्रतिघातो भवति तद्रूपत्वं वीर्यान्तरायस्य ક્ષમ્ (હરૂ૮). અર્થાત્ જે કમની આવિર્ભત દશામાં ઉત્સાહને પ્રતિઘાત પહોંચે છે તે કમ “વર્યાન્તરાય-કમ' કહેવાય છે.
આ પ્રમાણે આપણે મૂળ અને ઉત્તર એમ બન્ને પ્રકારની પ્રકૃતિઓના બંધનું પ્રતિપાદન કર્યું. હવે સ્થિતિ-બન્ધને વિચાર કરીશું.
રિથતિ” એટલે “અવસ્થાન” યાને કાલનું અવધારણ. બંધ-કાળથી માંડીને તે કર્મની નિર્જરા જ્યાં સુધી ન થાય તે સમયને સ્થિતિ કહેવામાં આવે છે. વિવિધ પ્રવૃતિઓની સ્થિતિને વિચાર કરતાં જણાય છે કે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કડાકી સાગરોપમની, નામ અને ત્રિકમની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ કલાકે સાગર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org