SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1075
Loading...
Download File
Download File
Page Text
________________ બંધે-અધિકાર. [ ચતુર્થ સંભવે છેઅભવ્ય આશ્રીને સંભવ નથી. અર્થાત જે ભવ્ય જીવોની સાથે કર્મને સંબંધ છે તેને, તથાવિધ જ્ઞાનાદિ સામગ્રીના સાથે વિરોગ થાય છે જ સામગ્રી ન મળે તે ન થાય; કેમકે રેગ્યતા માત્રથી સર્વ કેઈ અમુક પર્યાયરૂપ જ બને એ કથન યુક્તિસંગત નથી. સ્પષ્ટ શબ્દમાં કહીએ તે પ્રતિમાદિરૂપ પર્યાયને એવાં લાકડાં, પત્થર વગેરે તથાવિધ સામગ્રીના સદુભાવે પ્રતિમારૂપ થાય છે અને તેના અભાવમાં નથી થતાં, એ જેમ જગજાહેર વાત છે તેમ અત્ર ભવ્ય જીવ માટે સમજી લેવું. આ ઉપરથી એ ફલિત થાય છે કે જીવ અને કમ પરસ્પર અવિભાગપણે અવસ્થિત રહેવાથી તેને વિગ નથી થતે એ કથન અનેકાંતિક છે, કેમકે જેમ ક્ષીર અને નીર વચ્ચેના સંબંધને તેમજ સુવર્ણ અને મારી વચ્ચેના સંબંધને યોગ્ય સામગ્રી મળતાં વિયોગ થાય છે તેમ કર્મ અને જીવના અનાદિકાલીન સંગને પણ તથાવિધ જ્ઞાનાદિ સામગ્રી મળતાં વિગ થાય છે અર્થાત્ કર્મના પંજામાં સપડાયેલ જીવ મુક્ત બને છે. બધુના ચાર પ્રકારે બન્ધનું લક્ષણની દષ્ટિએ પ્રતિપાદન પૂર્ણ થતાં હવે તેને વિધાનની દ્રષ્ટિએ વિચાર કરાય છે. જોકે અન્ય એક જ છે છતાં તેના કામમાં જે ભિન્નતા જોવાય છે તે અપેક્ષાએ તેના પ્રકૃતિ વગેરે વિભાગો પડાય છે. દાખલા તરીકે મનુષ્ય એક જ છે, છતાં પણ તેના કાર્ય અનુસાર તેને ઘાતકી, અધમ ઇત્યાદિ વિશેષણોથી વધાવવામાં આવે છે. બન્ધના મુખ્ય બે ભેદ છે –(૧) દિવ્ય-બન્ધ અને (૨) ભાવ-બ. તેમાં તૃણ, કાષ્ટ ઇત્યાદિના બન્ધને દ્રવ્ય-બન્ધ' જાણો. ભાવઅન્ય છે તે ધ્યાનમાં આવે તે માટે તેના (1) પ્રકૃતિ, (૨) સ્થિતિ, (૩) અનુભાગ અને (૪) પ્રદેશ એમ ચાર ભેદ પાડી તે પ્રત્યેકનું લક્ષણ રજુ કરાય છે. તેમાં પ્રકૃતિ-બન્ધનું લક્ષણ નીચે મુજબ છે – अनाभोगपूर्वकाध्यवसायविशेषे सति आहारपरिणामवत् स्थित्यादिलक्षणकर्मपरिणतिरूपत्वं प्रकृतिबन्धस्य लक्षणम् । ( ५४०) અર્થાત્ ઉપયોગ વગરના અધ્યવસાયના સદ્દભાવમાં આહારના પરિણામની માફક સ્થિતિ ઈત્યાદિ રૂપ કમને જે પરિણામ થાય છે તેને “પ્રકૃતિ-અન્ય ” કહેવામાં આવે છે. પ્રદેશ-બન્ધની જેમ આને હેતુ પણ યુગ છે. આ બન્ધ કર્મ અને આત્માની ઔપચારિક એકતાને પ્રતિપાદન કરનાર છે. ૧ જેમ કર્મ ગ્રહણ કરવામાં હિંસાદિ ક્રિયાને સાફલ્ય છે તેમ કમને વિઘાત કરવામાં દયા વગેરે ક્રિયાનું સાફલ્ય છે. અર્થાત જેમ તીત્રાદિ અશભ પરિણામ કર્મ ગ્રહણ કરવામાં હેતુરૂપ છે તેમ તીવ્ર દિ શુભ પરિણામ તેનો વિયોગ કરવામાં તરૂપ છે. ૨ જુઓ પૃ. ૭૮૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy