________________
જીવઅધિકાર
[ પ્રથમ આત્મ-નિરૂપણ હવે ઉપર્યુક્ત જીવાદિક સાત પદાર્થોનું લક્ષણ દ્વારા પ્રતિપાદન કરવામાં આવે છે. તેમાં પ્રથમ જીવ (આત્મા)નું લક્ષણ વિચારવામાં આવે છે. આ સંબંધમાં ગ્રન્થકાર કહે છે કે –
રૂપાવર નીવરા હૃક્ષગમ (૨) અર્થાત્ ઉપયોગવાળા પદાર્થને “જીવ” કહેવામાં આવે છે. અથવા જો ગુણ અને ગુણની અભેદ વિવક્ષા કરીએ તે ઉપયોગ એ જીવનું લક્ષણ છે એમ કહી શકાય. આ લક્ષણ પરત્વે વિશેષ વિચાર કરીએ તે પૂર્વે લક્ષણ એટલે શું તે જોઈ લેવું અનાવશ્યક નહિ ગણાય, કેમકે ગ્રન્થકારે આ ગ્રન્થમાં અનેક વસ્તુઓનાં લક્ષણો આપ્યાં છે,
લક્ષણનું લક્ષણ
જે વસ્તુને જે અસાધારણ ધર્મ હોય તે તે વસ્તુનું “લક્ષણ” સમજવું. જેનાથી વસ્તુ જણાય તે “લક્ષણ છે. જે લક્ષણમાં અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ અને અસંભવ એ ત્રણ દેમાંને એક પણ દેષ ન હોય, તેને શુદ્ધ “લક્ષણ” જાણવું. ૧ સરખા તત્ત્વાર્થાધિના દ્વિતીય અધ્યાયનું નિમ્નલિખિત આઠમું સૂત્ર–
“ ૩૫ ૪૫. ” આ વાતનું ઉત્તરાધ્યયનસૂત્ર ( અ૦ ૨૮)ની નિમ્નલિખિત દશમી તેમજ અગ્યારમી ગાથાએ સમર્થન કરે છે:
" ઘરના કાળો કારો, કીજો ૩ વમનસ્ટam | नाणेणं दसणेणं च सुहेण य दुहेण य ॥ १० ॥ नाणं च दंसणं चेत्र, चरित्तं च तवो तहा। वीरियं उपयोगो य, एयं जीवस्त लक्खणं ॥ ११।।" [वर्तनालक्षणः कालो जीव उपयोग लक्षणः। ज्ञानेन दर्शनेन च सुखेन च दुःखेन च ।। १० ॥ ज्ञानं च दर्शनं चैव चारित्रं च तपस्तथा ।
वीर्यमपयोगश्चतज्जीवस्य लक्षणम् ॥ ११ ॥ અર્થાત વતન એ કાળનું લક્ષણ છે અને ઉપયોગ એ જીવનું લક્ષણ છે. આ જીવ જ્ઞાન, દર્શન, સુખ અને દુઃખથી જણાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીય અને ઉપગ એ જીવનમાં લક્ષણ છે.
૨ સરખાવો
૩ (
રેતિ ક્ષમ ” આ વ્યુત્પત્તિ-અર્થ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org