SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1019
Loading...
Download File
Download File
Page Text
________________ આસવ-અધિકારે. [ nતીય અત્ર કેઈ પ્રશ્ન ઊઠાવે કે સ્વીકારેલ પ્રાણાતિપાતવિરતિરૂપ વ્રત અખંડિત હેવાથી અને વધ, બંધ ઇત્યાદિની વિરતિને શ્રાવકે સ્વીકાર નહિ કરેલ હોવાથી કેવી રીતે વધાદિ અતિચાર ગણાય? આને ઉત્તર એ છે કે પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરાતાં પરમાર્થવૃત્તિથી તે નિરપેક્ષ વધ, બંધ ઈત્યાદિનું પ્રત્યાખ્યાન થઈ જ ચૂક્યું, કેમકે તે પ્રાણાતિપાતનાં કારણે છે, આથી કઈ એમ શંકા ઉઠાવે કે આવી પરિસ્થિતિમાં તે વધાદિ રૂપ આચરણથી તે વ્રતને ભંગ સંભવે છે, નહિ કે અતિચાર, કેમકે નિયમના પાલનમાં ક્ષતિ આવે છે, તે આનું સમાધાન એ છે કે આંતરિક વૃત્તિ પૂર્વકનું અને બાહ્ય વૃત્તિ પૂર્વકનું એમ ત્રત બે પ્રકારનું છે. તેમાં જયારે કોધાદિ આવેશથી નિરપેક્ષપણે વધારિ આચરવામાં આવે છે ત્યારે મરણ નીપજે નહિ તે પણ અન્તવૃત્તિથી વ્રતને ભંગ થાય છે, કેમકે તેમાં નિયતા અને નિરપેક્ષતા રહેલી છે, કિન્તુ હિંસાના અભાવને લઈને બહિર્વત્તિથી તે એ વ્રતનું પાલન થયું છે. આ પ્રમાણે અંશથી વ્રતનું પાલન થતાં હોવાથી એ “અતિચાર' કહેવાય છે અથવા અનાગ, સહસાકાર ઈત્યાદિ દ્વારા સર્વત્ર અતિચાર સમજી લે. દ્વિતીય આયુરતના અતિચારે (૧) મિથ્યા-ઉપદેશ, (૨) રહસ્યનું અભ્યાખ્યાન, (૩) સહસા-અભ્યાખ્યાન, (૪) લેખ અને (૫) વિશ્વસ્તના મંત્રને ભેદ એ બીજા અણુવ્રતના પાંચ અતિચારે છે. તત્વાર્થ (અ. ૭, સૂ૨૧)માં સહસા--અભ્યાખ્યાનને બદલે ન્યાસ-અપહારને અને વિશ્વસ્ત મંત્રલેદને બદલે સાકારમંત્રભેદને ઉલલેખ છે. મિથ્યા-ઉપદેશનું લક્ષણ पापजनकोपदेशकरणरूपत्वं, परेण स्वयं वाऽन्यस्यातिसन्धान. रूपत्वं वा मिथ्योपदेशस्य लक्षणम् । (४२६) ૧ કહ્યું પણ છે કે“ જ બારમતિ પાણત, વિજ મૃત્યુ જ હતા. मिगधते यः कुपितो बधादीन , करोत्यसौ स्यानियमेऽनपेक्षः ॥ मृत्योरभाषामियमोऽस्ति तस्य, कोपा दयाहीनतया दुभमः । લેવા માપપજાજ, gયા “અસિવાર પ્રકારિત ” ૨ સાવધાનતાને અભાવ. ૩ વગર વિચાર્યું કામ કરવું. ૪ " fમોરારદાચ્છાદરાજકિયાખ્યાતા સારવાર " ૫ મહેમાંહે તકરાર થાય અને તેમ થતાં પરસ્પરને પ્રેમ તૂટે તે માટે એક બીજાની ચાડી ખાવી એ આનો અર્થ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy