________________
૯૨૪ આસ્રવ-અધિકાર
[ તૃતીય અહિંસાદિ વ્રતોને અણુવ્રત તરીકે વર્ણવવામાં આવે છે. આ અણુવ્રતે ત્યાગના પ્રાથમિક પાયારૂપ હોવાથી એને “મૂલ ગુણ” કે “મૂલ વત” તરીકે પણ નિર્દેશ કરાય છે. આ મૂળ ત્રતોની રક્ષા, પુષ્ટિ કે શુદ્ધિ માટે ગૃહસ્થ બીજા કેટલાંક વ્રતે સ્વીકારે છે કે જેને “ઉત્તર ગુણ કે “ઉત્તર વત” કહેવામાં આવે છે. આવાં ઉત્તર વ્રતો ટુંકમાં સાત છે. તેમાંનાં ત્રણને “ગુણવત” અને બાકીનાં ચારને “શિક્ષાત્રત” એવી સંજ્ઞા આપવામાં આવે છે.
આ ગ્રંથકારે વિરતિના દેશવિરતિ અને સર્વવિરતિ એવા બે ભેદે પાધિ દેશવિરતિના જે પાંચ પ્રકારે બતાવ્યા છે તે સર્વ અણુવ્રત છે તે ગુણવ્રત અને શિક્ષાવ્રતને સમાવેશ કેવી રીતે દેશવિરતિમાં થાય છે એ પ્રશ્ન ઊઠે છે. તત્વાર્થ (અ. ૭, સૂ. ૨)માં પણ અલ્પ અંશે વિરતિ તે અણુવ્રત અને સર્વાશે વિરતિ તે મહાવ્રત એમ વતન બે જ ભેદ પાડેલા છે. તે પછી ગુણવ્રતાદિ માટે અવકાશ જ કયાં રહ્યો ? આને ઉત્તર મને એમ હુરે છે કે અણુવ્રત તરીકે જે રૂઢ શબ્દ છે તે આ સૂત્રમાં અપેક્ષિત નથી, પરંતુ મહાવતે સિવાયનાં સર્વ વ્રત વિરતિની દષ્ટિએ ઉતરતાં હોવાથી–તેમાં વિરતિને અંશ ઓછો હોવાથી-મહાવ્રતોની અપેક્ષાએ નાનાં હોવાથી અણુવ્રત તરીકે અત્ર નિર્દેશાયાં છે; એટલે ગુણવ્રત અને શિક્ષાત્રતે પણ આ અપેક્ષાએ અણુવ્રતો જ છે અથવા સ્થૂલ અહિંસાદિ અણુવ્રત એ મૂળ વતે છે, જ્યારે દિગગ્રતાદિ ગુણ બતે તેમજ શિક્ષાવતે ઉત્તર વતે છે; એથી કરીને જેમ વૃક્ષના પ્રહણથી તેની શાખા વગેરેનું ગ્રહણ આવી જ જાય છે તેમ અણુવ્રતના સ્પષ્ટ ઉલેખથી બાકીનાં ગુણવ્રતાદિને નિર્દેશ ઉપલક્ષણથી સમજી લેવાને છે.
કેટલેક સ્થળે અણુવ્રતને બદલે “અનુવ્રતને નિર્દેશ છે. આ નામ પણ સાર્થક છે, કેમકે સમ્યકત્વની પ્રાપ્ત થયા પછી જે વ્રતે ગ્રહણ કરાય તેને “અનુવત” કહેવામાં જરા પણ વાંધો નથી.
મૂળ ગુણોને વિશેષ ગુણ કરવાવાળાં અને એથી કરીને તે ગુણવતના નામથી ઓળખાતા એવાં ત્રણ તેને ઉલેખ હવે કરવામાં આવે છે. તેમાં પ્રથમ દિગ્ગતનું લક્ષણ વિચારીશું.
तिर्यगू_धआदिदशानां दिशां यथाशक्तिगमनविषयकपरिमाणाभिग्रहरूपत्वं दिग्त्रतस्य लक्षणम् । (४४५) અથાત્ તિર્થી, ઊંચી, નીચી ઈત્યાદિ દશ દિશાઓમાં જવા સંબંધી પરિમાણને શક્તિ મુજબ અભિગ્રહ ધારણ કરે તે “દિવ્રત” છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ત્યાગની રુચિ અનુસાર પૂર્વ, પશ્ચિમ વગેરે બધી દિશાઓમાં અમુક અમુક ગાઉ સુધી જ ગમન-આગમનરૂપ પરિમાણ નકકી કરી એની બહાર ગમનાગમન કરવાનો વિચાર માંડી વાળો કે જેથી કરીને એ બહારનાં ક્ષેત્રો આશ્રીને અધમ થતું અટકે તે “દિગ્ગત' કહેવાય છે. લેભની વૃત્તિને વધતી જતી અટકાવવા માટે આ વ્રતની યેજના કરવામાં આવી હોય એમ સમજાય છે.
૧ એ યાદ રાખવું કે એક રથૂલ અહિં જ મૂળ અણુવ્રત છે. બાકીનાં ચારે અણુવ્રત, ત્રણ ગુણત્રતા અને ચાર શિક્ષાત્રતે તેના પેપક હોવાથી મૂળ અણુવ્રતમાં આ તમામને સમાવેશ થઈ જાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org