________________
પ્રકાશકીય
મુખ્યતયા આ આરાધનામાં બાળ, પ્રૌઢ અને વૃદ્ધો ઉપરાંત શાળામહાશાળાના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ તેમજ શિક્ષક-શિક્ષિકાઓ તથા સરકારમાન્ય અધિકારીઓ પણ જોડાયાં હતાં. - ૪૭ દિવસની આ આરાધકોની આવજાની અનુમોદના માટે અનુમોદકોની અવરજવર એટલે હદે પહોંચી હતી કે રાંદેર એક તીર્થધામ જેવું બની ગયું હતું. આવનાર અનુમોદની ભક્તિ કરવા માટે રોજ ભાથાની સગવડ પણ કરવામાં આવી હતી. " આરાધકે તપથી ને અનુષ્ઠાનથી પ્રમત્ત ન બની જાય અને અપ્રમત બની સુંદરતર આરાધના કરે તે અંગે પૂ. પંન્યાસ શ્રીચંદ્રોદયવિજયજી ગણિવરના જાગૃતિ અંગેના બબ્બે વખત વ્યાખ્યાને રહેતાં. શ્રાવિકા માટે પૂ. સાધ્વીજી ચંદ્રપ્રભાશ્રીજી પણ ખૂબ લક્ષ્ય રાખતાં. એના પરિણામે આરાધકેની આરાધના ઉત્સાહભેર થતી.
ઉમંગભર્યા આ વાતાવરણમાં વિ. સં. ૨૦૧૮ના કાર્તિકી પૂર્ણિમાના દિવસે પૂ. પંન્યાસપ્રવરશ્રીની પ્રેરણુથી પૂ. ઉપાધ્યાય શ્રીવિનયવિજયજી ગણિવરના સ્મારકમંદિર માટે તેમજ તેઓશ્રી અંગેનાં જીવન અને કવનના પરિચયરૂપે એક પુસ્તક તૈયાર કરાવી પ્રસિદ્ધ કરવા માટે શ્રીસંઘે નિર્ણય કરતાં “વિનય મંદિર સ્મારક સમિતિ” એ નામક સમિતિ નીમી સ્મારકનિધિફંડ શરૂ થતાં રૂા. ૯૦૦૦ (નવ હજાર)ને ફાળે . ( દિન પ્રતિદિન આ ફાળામાં વૃદ્ધિ થતાં વિ. સ. ૨૦૧૮ના કાર્તિક વદ દસમના રોજ સુરતથી આ અલૌકિક પ્રસંગના પ્રેરણાદાતા પ. પૂ. આચાર્યદેવ શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પ. પૂ. આચાર્ય મહારાજ શ્રીવિજયવિજ્ઞાનસૂરીશ્વરજી મ., પ. પૂ. આચાર્ય વિજયકસૂરસૂરિજી મ. પૂ. પં. શ્રીકુમુદચંદ્રવિજયજી ગણિ મ. તથા પૂ પં. શ્રી કીર્તિચંદ્રવિજયજી ગણિ આદિ વિશાળ મુનિમંડળ વિહાર કરી સસ્વાગત પધાર્યા અને તેઓશ્રીની પાવન નિશ્રામાં રાંદેરના ઉદાર દિલ શેઠ મગનલાલ નાથાભાઈ તરફથી રૂ. ૧૧૧૧૧ આપવાનું વચન મળ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org