SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય અને શ્રીસંધમાં અપૂર્વ ઉત્સાહ આવ્યું. કાર્તિક વદ ૧૧ના રોજ ૧૦૧ માળા પહેરાવવાની હોવાથી તે અંગે ઉછામણી બોલાતાં હજારો રૂપિયાની ઉછામણ થતાં ઉત્સાહમાં અધિક વૃદ્ધિ થઈ. વિ. સ. ૨૦૧૮ના માગસર સુદ પાંચમના માળારોપણ, શાંતિસ્નાત્ર તેમજ સંધજમણ વગેરેના નિર્ણયાનુસાર અષ્ટાલિકા મહોત્સવને પ્રારંભ થઈ ચૂકી હતું ત્યાં તે પ. પૂ. આચાર્યદેવ શ્રીવિજયનન્દનસૂરીશ્વરજી મ. સાહેબે ફરમાવેલ “વિનય-મંદિર”ની ખનનવિધિ માટે માગસર સુદ ત્રીજના રોજ તારવી શા. રતિલાલ ચુનીલાલના વરદ હસ્તે ચતુર્વિધ શ્રીસંધની વિશાળ હાજરીમાં ખાતમુહુત કરવામાં આવ્યું અને તેઓ તરફથી રૂ. ૧૦૦૧ સ્મારક-નિધિ ફંડમાં આપવામાં આવ્યાની જાહેરાત થઈ બીજે જ દિવસે એટલે માગસર સુદ ચોથે માળાને ભવ્ય વરઘેડ ચડ્યો હતો. જેને તથા જૈનેતર વર્ગ માટે આ વરઘોડે તે પ્રથમ વાર જ નજરે ચડ્યો હતે. કીડીયારાની જેમ ઉભરાએલે માનવમહેરામણ સી કેઈનું ધ્યાન ખેંચે તેમ હતું. સુદ પાંચમ એ તે મંદિર ઉપર કળશ ચડાવવા જેવો દિવસ. આ બધાયે પ્રસંગેની સહર્ષ ને ગુજરાતમિત્ર તથા ગુજરાત દર્પણ”, “પ્રતાપ”, “લેકવાણી” વગેરે સુરતનાં સમાચારપત્રોના ખબરપત્રીઓ દ્વારા લેવામાં આવી હતી. ટૂંકમાં શાસનપ્રભાવના કરવાનું સદ્ભાગ્ય અમારા શ્રીસંઘને મળ્યું હોવાથી અમે ગૌરવ લઈએ છીએ. માગસર સુદ આઠમ એટલે “વિનયમંદિરના શિલાથાપનને દિવસ. તે પણ ઉપરોક્ત પૂજ્ય પુરુષે તેમજ ચતુવિધ શ્રીસંઘની હાજરીમાં કાહવયે શા. નગીનદાસ લલ્લુભાઈ ઈચ્છાપરીખના વરદ હસ્તે કરાવવામાં આવેલ અને તેઓ તરફથી રૂા. ૧૦૦૧ મારકનિધિફંડમાં આપ્યાની જાહેરાત કરવામાં આવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy