SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય આમ “વિનય-મંદિર” અંગેનું મુખ્ય કાર્ય થતાં ત્રણ માસ જેવા ટૂંકા સમયમાં દેવવિમાન સદશ મંદિરનું કાર્ય પૂર્ણ કરી શક્યા છીએ અને નજીકના ભવિષ્યમાં વિ. સં. ૨૦૧૮ના વૈશાખ સુદ સાતમને ગુરુવારે એ મંદિરના પ્રાણસમા પૂ. ઉપાધ્યાય શ્રીવિનયવિજયજી ગણિવરની મૂર્તિની તેમ જ તેઓશ્રીની પ્રાચીન પાદુકાની પ્રતિષ્ઠા કરવા અમે કૃતનિશ્ચયી થયા છીએ. અમારા ઉદ્દેશાનુસાર “વિનયમંદિર” અંગેની આટલી વાત કર્યા બાદ પૂ. ઉપાધ્યાયશ્રીનાં જીવન અને કવન અંગે વિનય-સૌરભ નામનું એક પુસ્તક પ્રોફેસર હીરાલાલ રસિકદાસ કાપડિયા જેવા એક પ્રૌઢ લેખક કે જેમનાં અત્યાર સુધીમાં ૧૫૪ પુસ્તકે તેમજ લગભગ ૬૦૦ લેખ પ્રકાશિત થયાં છે તેમની પાસે આ પુસ્તક તૈયાર કરાવરાવી અમને એ પ્રકાશિત કરતાં આનંદ થાય છે. પૂજ્ય ઉપાધ્યાયજીની જીવનઝરમર અંગેની માહિતી માટે યથાશય પ્રયાસ કરવા છતાં અમોને જોઈએ તેવી સફળતા મળી નથી, જ્યારે એમના કૃતિકલાપ માટે તે અમને સંતોષ થાય તેવી સામગ્રી આ પુસ્તક દ્વારા પૂરી પાડી શક્યા છીએ, કારણ કે અત્યાર સુધીમાં તેઓશ્રીના વિશાળ કૃતિકલાપમાંથી ૨૫ કૃતિઓનો પરિચય આ પૂર્વે અપાયે છે જ્યારે અહીં ૪૦ કૃતિઓને પરિચય આપવામાં આવ્યો છે એટલું જ નહિ, પરંતુ વાચકવૃંદ અને ખાસ કરીને વિદ્વદ્દવર્ગ આ પુસ્તકને સહેલાઈથી લાભ લઈ શકે તે માટે બે પરિવધને (પરિશિષ્ટા) પ્રણેતા પાસે તૈયાર કરાવી એને અહીં અમે સ્થાન આપ્યું છે. ૧ આ ઉપરાંત ૩૫ પુસ્તકે અપ્રકાશિત છે. એ તમામનો તેમજ ૫૪૬ પ્રકાશિત લેખેની સવિસ્તર નામાવલિ હીરક-સાહિત્ય-વિહાર નામની એમની પુરિતકામાં અપાઈ છે. એમણે લખેલા લગભગ ૬૦૦ લેખે અપ્રકાશિત છે. પ્રકાશિત લેખે મહત્ત્વના હોઈ એ એક પુરતકરૂપે પ્રસિદ્ધ કરાવા ઘટે. ૫૪ પ્રકાશિત પુસ્તકે માટે જુઓ પૃ. ૨૯, ૩૦ અને ૧૨૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy