SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય શ્રીકલ્પસૂત્રની કલ્પસૂત્ર-સુબેધિકા નામની સંસ્કૃત વૃત્તિ, શ્રીપાલ રાજાને રાસ. અને પુણ્યપ્રકાશનું સ્તવન ઇત્યાદિના શ્રવણ દ્વારા વર્ષોથી શ્રીસંધ જે પૂજ્ય શ્રમણવર્ય મહોપાધ્યાય શ્રીવિનયવિજયજી ગણિવરના નામથી સુપરિચિત છે તેઓશ્રીના સ્વર્ગવાસની ભૂમિ તેમજ તેઓશ્રીની જ્ઞાનસાધનાના પવિત્ર વાતાવરણથી પ્રસિદ્ધિ પામેલ રાંદેરના શ્રીનેમિનાથજીના દહેરાસરમાં રહેલી તેઓશ્રીની પાદુકાના દર્શને વિ. સં. ૨૦૧૭ના જેઠ માસમાં પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીવિજયકસૂરસૂરીશ્વરજી મહારાજ પંન્યાસ શ્રીચંદ્રોદયવિજયજી ગણિ આદિ વિશાળ મુનિમંડળ સહિત પધાર્યા. અત્રેનાં ભવ્ય જિનમંદિરનાં, “વિનયવિજ્ય ઉપાશ્રય'ના નામથી પ્રસિદ્ધ પામેલા જીર્ણ ઉપાશ્રયના તેમજ તેઓશ્રીની વિ. સં. ૧૭૪૩માં પ્રતિષ્ઠિત થયેલી પાદુકા વગેરેનાં દર્શન કરી એમણે જિનશાસનનાં એક અજોડ તત્ત્વવેત્તા અને જૈન વિશ્વકોશના કર્તા પૂજ્ય ઉપાધ્યાયજી જેવા ઉપકારી પુરુષરત્નના ઉપકારનું ઋણ ચૂકવવા શ્રીસંઘને પ્રેરણું કરી. સભાગ્ય અમારા શ્રીસંઘને ઉપરોક્ત પૂજ્યવર્યોની એ પ્રેરણાથી મહામંગળકારી શ્રી “ઉપધાન તપની આરાધનાના ઉલ્લાસમય વાતાવરણમાં વિશેષ પુષ્ટિ મળી. મહામંગળકારી ઉપધાન તપને પ્રારંભ વિ. સ. ૨૦૧૭ના આ સુદ દસેમે થનાર હૈવાથી. શ્રીસંઘે “ઉપધાન તપ સમિતિ નીમી શ્રીસંધમાંથી સારું એવું ફંડ કર્યું અને આરાધકોની તમામ અનુકૂળતા સચવાઈ રહે તે અંગે જાતજાતની પેટા સમિતિએ નીમી. આવો મહામૂલે પ્રસંગ અમારે આંગણે વર્ષો બાદ અમને મળ્યું હોવાથી આબાલવૃદ્ધોએ આરાધકોની સેવાને તેમજ જિનશાસનની પ્રભાવના કરવાને યથાશક્તિ લાભ લીધે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy