SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ક લતા ૧૩] ઉત્તરવતી ક્વન-કુંજ પહેલી પાંચ ઢાલમાં કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ અને ઉત્તમ એ પાંચ સમવાય-કારણે અનુક્રમે પિતાપિતાને પક્ષ એકાતે રજુ કરે છે. ઠ્ઠી ઢાલમાં એ પાચ સમવાય મળતાં કાર્ય સિદ્ધ થાય છે. લતા ૧૩: ૧નેમિનાથ-બાર-માસ-સ્તવન [વિ. સં. ૧૭૨૮] આ પદ્યાત્મક ગુજરાતી કૃતિ વિ. સં. ૧૭૨૮માં રાંનેરના ચાતુર્માસ દરમ્યાન રચાઇ છે. એમાં એકંદર ૨૭ કડી છે. અંતિમ કડીમાં આ કૃતિને “રાજુલ–નેમિ-સંદેસડો' કહી છે. પ્રારંભમાં પથિક સાથે રાજુલા (રાજીમતી) નેમિનાથને સંદેશો મોકલે છે. કે મારે તમારી સાથે નવ ભવની પ્રીતિ છે એટલે તમારે છટકી જવું ન જોઈએ. આ પ્રમાણેની પહેલી કડી બાદ માગસર મહિનાથી માંડીને કાર્તિક સુધીની હકીકત રજૂ કરાઈ છે. એ માટે માહ મહિના માટે ત્રણ, વૈશાખ અને કાર્તિક માટે એકેક તેમ જ બાકીના નેવે મહિના માટે બબ્બે કડી છે. આમ આ ૨૩ કડીઓ દ્વારા બાર મહિના વિષે નીચે મુજબ કથન છે – માગસરમાં મેહથી મારું મન મોહ્યું. ચિત્તમાં ચટપટી થઈ અને જળ અને અન્ન ભાવતાં નથી. શાલિના ખેતર ફળ્યાં છે અને ગોપીઓ ગીત ગાય છે. કામની કળાને રસ કેળવી હે પતિ! તમે ચિત્ત બાળ છે. પિષમાં પ્રિયાનો દોષ ન હોવા છતાં એના પ્રત્યે રોષ ન રાખો. કાયા પિષવી જોઇએ અને તપથી એ શેષાવવી નહિ. સખત ટાઢે હેરાન કર્યા છે. કેની પાસે જઈએ ? નિષ્ફર નાથ એકલી મૂકી ચાલ્યા ગયા છે. માહની રાત નાથ વિના વીતતી નથી. શય્યા સૂની છે. પ્રભાતે ઊઠી પ્રેમથી ઊનું ભજન કરીએ. ઘેર આવે તે તમારી ઘણી સંભાળ લઉં. તેલ, તબેલ, રજાઈ વગેરે તૈયાર કર્યું જેથી ટાઢ પીડા ન કરે. ફાગણના દિવસ ૧ આ કૃતિ “જેન યુગ” (પુ. ૪, અં. ૯, પૃ. ૩૭૪)માં છપાવાઈ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy