SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ વિનય-સૌરભ [લતા ૧૧ ગીતવીતરાગ રચ્યું છે અને એનું બીજું નામ જિનાષ્ટપદી છે અને એના ઉપર અન્ય ચારુકતિએ ટીકા રચી છે. આ બંને દિગંબર છે. સોળ “પ્રકાશમાં વિભક્ત શાન્ત સુધારસ “શાન્ત’ રસથી ઓતપ્રોત છે. એ અમુક અંશે આત્મલક્ષી ગેય કાવ્ય છે. રચનાનું સ્થળ અને વર્ષ–આ કૃતિ “ગન્ધપુર” (ગાંધાર) નગરમાં શિખિ-નયન-સિન્ધ-શશિન્ ' અર્થાત વિ. સં. ૧૭૨૩માં રચાઈ છે. ટીકાકરતુત કૃતિ ઉપર મુનિશ્રી વૃદ્ધિવિજયના શિષ્ય શ્રીગંભીરવિજ્યજીએ સંસ્કૃતમાં ટીકા રચી છે. ભાષાંતર–મૂળ કૃતિનું સવિવેચન ગુજરાતી ભાષાંતર મનસુખભાઈ કિરચંદ મહેતાએ કર્યું છે. મોતીચંદ ગિ. કાપડિયાએ પણ તેમ કર્યું છે અને સાથે સાથે ટિપ્પણમાં મૂળ કૃતિને અંગે પાઠાંતર તેમ જ કેટલાક સંસ્કૃત શબ્દના અર્થ આપ્યા છે તથા વિસ્તૃત ઉપઘાત લખ્યો છે. લતા ૧૨: પાંચ સમવાયનું સ્તવન [ વિ. સં. ૧૭૨૩ ] આ છ ઢાલમાં વિભક્ત કરાયેલી ગુજરાતી પદ્યાત્મક કૃતિ છે. આને પ્રારંભ દેહાની પાંચ કડીથી કરાય છે, જ્યારે એની પૂર્ણાહુતિ એક કડીના “કલશથી કરાઈ છે. છ ઢાલમાં અનુક્રમે ૭, ૧૦, ૮, ૮, ૧૦ અને ૮ કડી છે. આમ એકંદર ૫૮ કડી છે. આ કૃતિ “સતર-વહિંલોચન” અર્થાત વિ. સં. ૧૭૨૩માં રચાયેલી છે. ૧ આ અંબાલાલ ગોવર્ધનદાસે ઈ. સ. ૧૯૧૩માં છપાવેલા સાજન સન્મિત્ર (પૃ. ૩૨૪–૩૨૯)માં અપાયેલું છે. ૨ આને અર્થ ૧૭૩૨ થઈ શકે અને એ અર્થ જે. ગૂ. ક. (ભા. ૧, પૃ. ૧૩)માં કરાયો છે, જો કે જૈ. ગૂ. ક. (ભા. ૩, ખંડ ૨, પૃ. ૧૧૦૫)માં ૧૭૩૨ નહિ પણ ૧૭ર૩ જોઈએ એમ સુધારે સૂચવાયો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy