SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ લતા ૧૦]. ઉત્તરવતી કવન-કુંજ પ્રારંભમાં આત્માને પિતાનું સ્વરૂપ વિચારવા સૂચન છે, અને મનને બંધવ' કહી એને વિનતિ કરાઈ છે. ત્યાર બાદ રૂપકેની પરંપરા વર્ણવાઈ છે – પાટણ (પત્તન)નું વર્ણન-ભવચક્ર' નામનું એક પાટણ (પત્તન) યાને મહાનગર છે. એ આદિ અને અંત વિનાનું છે. એમાં ૧૨૪ માર્ગ– પિળ છે અને ૨૮૪ લાખ ચૌટાં છે. ચૌટે ચૌટે અનેક હાટ યાને દુકાન છે. ત્યાં ખૂબ વણિક વેપારી છે. અનેક વસ્તુઓ ઉપજે છે અને વિનાશ પામે છે. આ પાટણમાં ચાર નયર (નગર) છેઃ (૧) પાપી પિંજર, (૨) પશુસંસ્થાન, (૩) માનવવાસ અને (૪) બુદ્ધિનિધાન. એમાં કમપરિણામ નામને મહાપ્રતાપી રાજાધિરાજ છે. અનેક રાણાઓ એની સેવા કરે છે અને ત્રિભુવનમાં એની આજ્ઞા કાઈ લેપતું નથી. જોકે એને “પરમેશ્વર કહે છે. એને કૃષ્ણ અને બ્રહ્મા તરીકે માને છે. એ ભાગ્ય, દેવ અને “ખુદા છે; અન્ય કોઈ કર્તાહર્તા નથી. આ રાજાધિરાજને આઠ બાંધે છેઃ (૧) જ્ઞાનાવરણુ, (૨) દર્શનાવરણ, (૩) અંતરાય, (૪) મોહનીય, (૫) નામ, () ગોત્ર, (૭) આયુષ્ય અને (૮) વેદનીય. આ પૈકી પહેલા ચાર વિકરાળ છે. એ ઘનઘાતી' કહેવાય છે. એ આત્માના સ્વરૂપને આવરે છે. એ આવરણનું કાર્ય વિવિધ ઉદાહરણે દ્વારા સમજાવાયું છે અને એ કાર્ય થતાં આત્માની જે દશા થાય છે તે વર્ણવાઈ છે. પુષ્ય અને પાપ સુખ અને દુઃખ રૂપે પરિણમી આત્માને બંધનરૂપ થાય છે. ત્રસ, થાવર સૂક્ષ્મ, ધૂળ, પૃથ્વી, પાણી, વન, તરુ, અગ્નિ, વાયુ, કીડી અને કંયુઓ એ નામ ૧ આથી ૨૪ દંડક અભિપ્રેત છે. ૨ આ સંસારી જીવોનાં ઉત્પત્તિસ્થાનની સંખ્યા દર્શાવે છે. ૩ ર૯મી કડીમાં આને બદલે “વિબુધનિધાન” નામ છે. ઉપમિતિમાં વિબુધાલય” છે. ૪ આ ચાર તે અનુક્રમે નારક–ગતિ, તિર્યંચગતિ, મનુષ્ય-ગતિ અને દેવગતિ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy