SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કાર-વાટિકા સાહિત્યપ્રવૃત્તિરૂ૫ એમનું અ તરંગ જીવન જાણવા માટે આ કરતાં વધારે આશાસ્પદ પરિસ્થિતિ છે, જોકે એ પણ સંપૂર્ણપણે સંતોષકારક છે નથી જ. એનાં બે કારણે છે – (૧) જૈન જ્ઞાનભંડારની પૂરેપૂરી તપાસ હજી પણ થઈ નહિ હેવાથી આ ઉપાધ્યાયની તમામ કૃતિઓ આપણને મળી ગઈ છે એમ કહેવાનું સાહસ હું તે નહિ કરું. (૨) એમણે સંસ્કૃત, પાઈય (પ્રાકૃત), ગુજરાતી અને હિન્દીમાં જે કૃતિઓ રચી છે તેમાં સમગ્ર ગુજરાતી કૃતિઓ પૂરતે પણ એક જ ગ્રંથરૂપે સંગ્રહ અદ્યાપિ પ્રસિદ્ધ થયેલ નથી તે પછી સંસ્કૃત કૃતિઓની તે વાત જ શી કરવી ? વિનયવિલાસ ઉપરાંત એમણે કઈ હિન્દી કૃતિ રચી જ નહિ હશે? શું પાઈય ભાષામાં જિણઈયથવણ અને વિજયદેવસૂરિવિજ્ઞપ્તિમાંના "પ્રાકૃત' તરીકે ઓળખાવાતા અલ્પાંશ ઉપરાંત એમણે કોઈ પણ કૃતિ એ ભાષામાં પરિપૂર્ણ નહિ જ રચી હશે ? જન્મદાતા અને જ્ઞાતિ–વણિક જ્ઞાતિના જણાતા તેજપાલ અને તેમનાં પત્ની રાજશ્રી (રાજબાઈ) એ ઉપા. વિનયવિજયગણિના સાંસારિક પિતા અને માતા થાય એમ આ ચરિત્રનાયકકૃત લોકપ્રકાશ (સર્ગ ૩૭, લે. ૭૫) જોતાં જણાય છે. જન્મભૂમિ અને જન્મસમય–વિનયવિજયગણિને જન્મ ક્યાં અને ક્યારે થયો હતે એ બાબત અત્યારે તો આપણે અંધારામાં છીએ. જન્મસમય માટે કોઈ સ્પષ્ટ ઉલ્લેખ મળતું નથી. તેમ છતાં એમનો ૧ આને લઈને મારે ગુજરાતી કૃતિઓના પ્રત્યક્ષ દર્શન માટે અન્યાન્ય અને પ્રાપ્ય પુસ્તક મેળવવા પ્રયાસ કરવો પડે છે અને તેમ છતાં સંપૂર્ણ સફળતા તે મળી નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy