SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ વિનય-સૌરભ લઈને સંન્યાસીઓ –સંત, મહંતે અને મહાત્માઓ તેમ જ સાધુઓ અને સાધ્વીઓ પ્રત્યે ભારતવાસીઓ આદરની-પૂજ્યતાની નજરે જુએ છે અને એમને સાનંદ સત્કારે છે અને સન્માને છે તેમ જ શુભ નિષ્ઠાથી એમની પર્યપાસના કરે છે અને સદ્ભાવપૂર્વક એમને પ્રણામ પણ કરે છે. સાચા સંન્યાસી તમામ પાપાચરણથી દૂર રહેવા પુષ્કળ પરિશ્રમ કરે છે અને તેમ કરીને વારતવિક અર્થમાં “શ્રમણે પદને લાયક બને છે. જેઓ આ માર્ગને ખરા અંતઃકરણથી–સાચી સમજણપૂર્વક યથાર્થ માને છે એ બધા “જૈન” છે. એને અલ્પાંશે અમલ કરનારી વ્યક્તિ તે “શ્રાવક કિવા શ્રાવિકા છે અને એ અધિક પ્રમાણમાં જીવનમાં ઉતારનાર જે પુરુષ હોય તે તે જૈન શ્રમણ છે અને સ્ત્રી હોય તે તે જૈન શ્રમણ છે. એ શ્રમણ-શ્રમણીએ જૈન ચતુવિધ સંધના મુખ્ય સ્તંભરૂપ છે અને તેઓ આત્મકલ્યાણની સાથે સાથે એગ્ય ઉપદેશ, સાત્વિક સાહિત્યના સર્જન કે આદર્શરૂપ આચરણ દ્વારા પરનું મહાકલ્યાણ સાધે છે. આવા ઉચ્ચ કેટિના ભારતવર્ષીય શ્રમણોમાં વિક્રમની સત્તરમી શતાબ્દીના ઉત્તરાર્ધ અને અઢારમીના પૂર્વાર્ધમાં વિદ્યમાન તેમ જ લગભગ પચાસ વર્ષ સુધી વિવિધ કક્ષાની બુદ્ધિ અને રુચિ ધરાવનાર જનોને ઉપયોગી–માર્ગદર્શક થઈ પડે એવી જાતજાતની સાહિત્યિક કૃતિઓ રચી પિતાને જે સત્ત્વશાળી સાહિત્ય અને આર્ય સંસ્કૃતિને ઉત્તમ વાર મળ્યું હતું તેમાં વૃદ્ધિ કરી વિ. સં. ૧૭૩૮માં સ્વર્ગે સિધાવનાર “મહોપાધ્યાય વૈયાકરણ શ્રીવિનયવિજયગણ મહત્વનું સ્થાન ભોગવે છે. એથી એમના જીવન અને કવનની આછી રૂપરેખા સાધન અને સમય અનુસાર હું આલેખું છું. એ પૂર્વે એ ઉમેરીશ કે આ ગણિયે કે એમના કોઈ સમકાલીન સંસારી કે ત્યાગી ભક્ત એમનું જીવનચરિત્ર રચ્યાનું જણાતું નથી. આથી આપણે એમના બાહ્ય જીવન વિષે એમણે તેમ જ અન્ય વિદ્વાનોએ રચેલાં પુરતમાંના છૂટાછવાયા ઉલ્લેખ જોઈ સંતોષ માનવો પડે છે. એમની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy