SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ પરિપાક ૨૨ કેટલાંક સ્તવનેના પ્રારંભમાં મુકિત આવૃત્તિમાં એને “ભાસ' કહ્યાં છે. રાસ–શ્રીપાલ રાજાને રાસ એમ એક જ “રાસ છે. શાલિભદ્રસૂરિએ વિ. સં. ૧૨૪૧માં રચેલે ભરખેસર-બાહુબલિ-રાસ ઉપલબ્ધ રાસમાં પ્રાચીનતમ છે. રૂપક-કાવ્ય–ધર્મનાથની વિનતિરૂપ સ્તવન એ એક જ રૂપકકાવ્ય છે. વિનતિ-આદિજિનવિનતિ એમ એક જ વિનતિ છે. વિ. સં. ૧૪૬૦ના અરસામાં જયશેખરસૂરિએ અબુદાચલ-વીનતિ, “જીરાપલ્લીય” પાર્શ્વનાથ-વિનતિ તેમ જ મહાવીર-વીનતિ રચી છે. સક્ઝાય–આંબેલની, ઈરિયાવહિયની, પટ્ટાવલીની, પચ્ચક્ખાણની, ભગવતીની તેમ જ મરૂદેવીની એમ એકંદર છે “સજઝાય છે. - સંદેશ-કાવ્ય-નેમિનાથ–બારમાસ-રતવન યાને રજલ–નેમિસંદેશ એ એક લઘુ સંદેશ-કાવ્ય છે. એ બારમાસીના પણ ઉદાહરણરૂપ છે. સ્તવન–ઉપધાનનું, ગુણસ્થાનકગર્ભિત વીરનું, જિન-વીસીમાંની કેટલીક કૃતિઓ, ધર્મનાથની વિનતિરૂપ, નેમિનાથ-બાર–માસનું, પાંચ સમવાયનું, ‘પુણ્યપ્રકાશ', વીસી અને ષડાવશ્યકનું એમ નવ “સ્તવન' છે. સૂરતિ ચૈત્યપરિપાટી પણ એક હિસાબે “સ્તવન” ગણાય. હરિયાળી–વિનયવિલાસનાં ૨૨મા અને ૨૪મા પદ એમ બે હરિયાળી છે. હિન્દી પદ્યાત્મક કૃતિઓનાં પણ વિવિધ સ્વરૂપે છે. પ્રસ્તુતમાં કેવળ પદ અને હરિયાળી એ બેનાં જ અને તે પણ વિનયવિલાસમાંથી જ ઉદાહરણ આપણને મળે છે. ૩૭ પદમાંથી ૬ ગુજરાતી પદે બાદ કરતાં પદો તરીકે ૩૧ કૃતિ છે, જ્યારે ૧૪મું પદ એ એક જ “હરિયાળી” છે. ૨૫મું પદ અંશતઃ કોયડારૂપ છે. ૧ આને કર્તાએ “સ્તવન' કહેલ છે. આ કૃતિ ગાયકવાડ પૌલ્ય ગ્રંથમાલામાં ઈ. સ. ૧૯૫૬માં પ્રકાશિત ગુર્જરરા સાવલીમાંની ચેથી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy