SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ પરિપાક સાહિત્યને સાર્વજનીન, લલિત, દાર્શનિક અને આચારપ્રધાન વિભાગે વિચારતાં હૈમલઘુપ્રક્રિયા અને હૈમપ્રકાશ એ વ્યાકરણવિષયક કૃતિઓ હોઈ એ સાર્વજનિક –સાર્વજનીન–અસાંપ્રદાયિક સાહિત્ય છે. એ સિવાયની તમામ કૃતિઓ જૂનાધિક પ્રમાણમાં સાંપ્રદાયિક છેજૈનત્વથી અંકિત છે. લલિત સાહિત્યના ભક્તિ-સાહિત્ય અને કથાત્મક સાહિત્ય વગેરે ઉપપ્રકારે છે. પ્રસ્તુતમાં ભક્તિ–સાહિત્યમાં ચિત્યવંદને, સ્તવને તેમ જ સ્તુતિ-સ્તોને સમાવેશ થાય છે. એ ઉપરાંતનું લલિત સાહિત્ય વિજ્ઞપ્તિપ, શ્રીપાલ રાજાને રાસ, ફાગુ, બારમાસી વગેરે પૂરું પાડે છે. દાર્શનિક સાહિત્યમાં અધ્યાત્મ, તત્વજ્ઞાન, ન્યાય વગેરેનો સમાવેશ કરાય છે. અધ્યાત્મગીતા, વિનયવિલાસને મોટે ભાગ અને શાન્ત:સુધારસ એ અધ્યાત્મને અંગેની કૃતિઓ છે. લોકપ્રકાશ જૈન તત્ત્વજ્ઞાનને મહામૂલ્યશાળી ખજાને છે—એ જૈન વિશ્વકેશ છે. ગુણસ્થાનકગર્ભિત વીરસ્તવન તત્વજ્ઞાનની કૃતિ છે. ન્યાયની કૃતિઓ તરીકે નયકણિકા અને સ્યાદાદના ઉદાહરણરૂપ પાંચ સમવાયનું સ્તવન ગણાવાય. ષત્રિશજલ્પસંગ્રહ સંક્ષેપ એ ખંડનમંડનની દાર્શનિક કૃતિ છે. ચરણકરણાગને લગતી કૃતિઓ આચારપ્રધાન સાહિત્યની ગરજ સારે છે. શબ્દાંક વિનયવિજયગણિએ કેટલીક કૃતિના રચના-વર્ષ દર્શાવવા માટે અંકસૂચક શબ્દને ઉપયોગ કર્યો છે. તેમ કરતી વેળા કઈ કઈ વાર જૈન દાર્શનિક શબ્દ એમણે વાપર્યા છે. એક સ્થળે તે ૧ જુઓ લતાંક ૧, ૨, ૧૧, ૧૨, ૧૬ અને ૧૯. - ૨ આ નાનકડી પ્રહેલિકાની ગરજ સારે છે. ૩ જુઓ લતાંક ૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy