SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ લતા ૨૬] મધ્યવતી કવન-કુંજ આધારે ચેતનને વિચાર કહું છું. આમ આ કૃતિ આત્માના સ્વરૂપના નિરૂપણરૂપ છે. એથી એનું “અધ્યાત્મગીતા' નામ સાર્થક ઠરે છે. દેશીઓ–પહેલી ઢાલ પાઈમાં છે. એ સિવાયની ઢાલે ભિન્ન ભિન્ન દેશમાં છે. છઠ્ઠી ઢાલ માટે “સિદ્ધચક્રપદ વો”ને ઉલ્લેખ છે. આ પંક્તિ તે શ્રી. રા. રા. (ખંડ, ઢા. ૧૧)ની છે કે જે ન્યાયાચાયે વિવિજયગણિના સ્વર્ગવાસ બાદ રચી છે એટલે આ દેશી ચરિત્રનાયકે નહિ પરંતુ અન્ય કોઈકે દર્શાવી હેવી જોઈએ. વિષય–પ્રથમ ઢાલમાં સૂચવાયા મુજબ પ્રસ્તુત કૃતિમાં નિમ્નલિખિત બાબતનું નિરૂપણ છે – (૧) ધર્મનું સાચું સ્વરૂપ શું છે ? (૨) હું ક્યાં છું, ક્યાં જઈશ અને ક્યાંથી આવ્યો છું ? (૩) હું કોને બાંધવ છું અને કેણું મારે બાંધવ છે ? (૪) સાચું ધર્મતીર્થ કયું? અને (૫) પરમાત્માનું શુદ્ધ સ્વરૂપ શું? બીજી ઢાલમાં ધર્મના વિયોગથી સંસારી જીવની થતી દુર્દશા અને ધર્મના સંગથી એને મળતા લાભ વર્ણવાયાં છે. ત્રીજી ઢાલમાં કહ્યું છે કે સાચા જ્ઞાનના અભાવમાં સંસારી જીવનમાં નરકગતિમાં અને તિયચ-ગતિમાં પરિભ્રમણે થાય છે અને એને અનેક દુઃખ ભેગવવા પડે છે, જ્યારે સાચું જ્ઞાન પ્રાપ્ત થતાં એને શુભ ગતિ અને સુખ મળે છે. ચોથી ઢાલમાં પૃથ્વીકાયથી માંડીને વાયુકાય સુધીનાં સાત સાત લાખ એમ ઉત્તરેતર મનુષ્યનાં ચૌદ લાખ ઊત્પતિસ્થાને ગણાવાયાં છે. આમ કુલે ૮૪ લાખ ગણાવી ૧૮ નાતરાં તેમ જ જાતજાતનાં સગપણ, આહાર - અને શણગાર વિષે ઉલેખ કરાય છે. પાંચમી ઢાલમાં પાપ-તીર્થ યાને મિથ્યાત્વીનાં તીર્થોની તેમ જ આમતીથની સમજણ અપાઈ છે. બાહ્ય દ્રવ્ય-તીર્થ, ધર્મ-તીર્થ ઇત્યાદિનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy