SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ લતા ૨૫] મધ્યવર્તી કવન-કુંજ - ૭૫ ગુરુ તરીકે ઉપા. મુનિવિમલને ઉલેખ કર્યો છે. એમણે પિતાને ગણિ' કહ્યા છે. “નિધિમુનિ-રસ-શશિન” અર્થાત વિ. સં. ૧૯૭૮માં આ કૃતિ કપટવાણિજ્ય (કપડવંજ)માં એમણે પૂર્ણ કરી છે. અંતમાં એમણે સજજનેને સંધનાથે વિજ્ઞપ્તિ કરી છે. આ સિવાય ગ્રંથ પ્રાયઃ ગદ્યમાં છે. એની શરૂઆત મિથ્યાત્વરૂપ સમુદ્ર તરી જવા માટે જિનપ્રવચનરૂપ વહાણને આશ્રય લેવાનું કહ્યું છે. આ સમુદ્ર અને વહાણ એ બંનેનું રૂપકની પરંપરા દ્વારા હૃદયગમ વર્ણન કરાયું છે. . કેઈ બહછાલીએ રચેલે ઉત્સુકન્દમુદ્દાલ નામને ગ્રંથ ધર્મસાગરગણિને મળતાં એને ગણિપિટકનું ઉપનિષદ્ ગણી એમણે એનું બહુમાન કર્યું અને એમણે એ પ્રમાણે પ્રરૂપણા કરવા માંડી. એને એમના ગુરુ વિજયદાનસૂરિએ કરેલું નિષેધ એ ધર્મસાગરગણિએ માન્ય ન રાખે એટલે વિજયદાનસૂરિએ એમને વિ. સં ૧૬૧૮માં ગચ્છ બહાર કાઢ્યા અને ઉસૂત્રકન્દમુદ્દાલને જલશરણ કર્યો. તેમાં નિન્દા થતાં ધર્મસાગરગણિ ગુરુને શરણે ગયા અને સાત જલ્પને અંગે “મિચ્છા મિ દુક્કડ” દીધાં એટલે ગ૭માં લેવાયા. ધર્મસાગરગણિને ઉસૂત્રકન્દમુદ્દાલને આશય ખ્યાલમાં હતું એટલે એમણે હીરવિજયસૂરિના સમયમાં એ અનુસાર પ્રરૂપણ કરી. એથી હીરવિજયસૂરિએ એના પ્રતિકારરૂપે પાટણમાં વિ. સં. ૧૬૪૬માં બાર જલ્પ કહ્યા અને એની વિરુદ્ધ વર્તે તેને સંઘ બહાર કાઢવા એમ કહ્યું. આથી ભયભીત બની ધમસાગરગણિએ પ્રરૂપણ કરવા માંડી વાળી. કાલાંતરે એમણે પાંચ જલ્પની વિરુદ્ધ પ્રરૂપણ કરી. એ ઉપરથી હીરવિજયસૂરિએ એમની પાસે શિષ્યોને અમદાવાદ મોકલી પાંચ જલ્પ અંગે “મિચ્છા મિ દુક્કડ' વિ. સં. ૧૬૪૮માં દેવડાવ્યાં. આગળ ઉપર વિજયસેન- ૧ એમને પરિચય મેં “મહોપાધ્યાય ધર્મસાગરગણિની જીવનરેખા” નામના મારા લેખમાં આપે છે. આ લેખ “જે. ધ. પ્ર.”(પુ.૬૮, અં. ૨, ૩-૪ અને ૫)માં છપાયે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy