SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ [૬] રાક્ષસે અને વાનરાના પ્રત્રજ્યા-વિધાન અધિકાર વાનરવશ પછી ગૌતમ ગણધરે શ્રેણિક રાજાને કહ્યું કે-હે નરપતિ ! અહીં સુધી મેં રાક્ષસવંશની પરંપરા સક્ષેપથી જણાવી, હવે વાનરવંશની ઉત્પત્તિ કેવી રીતે થઇ, તે સાંભળેા વૈતાઢ્ય નામના પર્વતની દક્ષિણશ્રેણિમાં મેઘપુર નામના નગરમાં અમિન્દ્ર નામના એક પ્રસિદ્ધ વિદ્યાધર રાજા રહેતા હતા. તેને શ્રીમતી નામની ભાર્યાં અને તેના ગર્ભથી થએલ મહાગુણવાન, દેવકુમાર સરખી કાન્તિવાળા શ્રીકંઠ નામના પુત્ર હતા. સમગ્ર જીવલેાક વિષે સદ્ સ્ત્રીએ કરતાં અધિક રૂપવાળી, વિશાળ નેત્રવાળી શ્રીક’ડની ખહેન દેવી નામની કન્યા હતી. રત્નપુરના સ્વામી પુષ્પાત્તર નામના એક પરાક્રમી મહારાજા હતા. પોતાના ગુણ સરખા ગુણવાળા તેને એક પદ્મોત્તર નામના પુત્ર હતા. પુષ્પાત્તર રાજાએ પાતાના પુત્ર માટે શ્રીક'ઠની બહેનની માગણી કરી, પરંતુ તેને ન આપતાં તેણે કીર્તિધવલને આપી. તે બ ંનેને વિવાહ થયા, માટા સમુદાયને એલાવી વિધિપૂર્વક લગ્ન-મહાત્સવ કર્યાં. આ હકીકત સાંભળીને પુષ્પાત્તર રાજા કાપ પામ્યા. હવે કાઇક સમયે શ્રી' વ ́દન કરવા માટે દેવિગિર ગયા. પાછા ફરતાં એક સુંદર ઉદ્યાનમાં રહેલ એક કન્યાને જોઇ, કન્યાએ પણ કામદેવ સરખા રૂપવાળા તે કુમારને જોયા. અનેને પરસ્પર અનુરાગ ઉત્પન્ન થયેા. કન્યાના ભાવ જાણીને હર્ષોંથી રામાંચિત થએલ દેહવાળા શ્રીકંઠ કન્યાને આર્લિગન કરી એકદમ આકાશતલમાં ઉડ્યો. દાસીએ કન્યાના પિતા પુષ્પાત્તર રાજાને આ વૃત્તાન્ત કહ્યો, એટલે તરત જ કવચ પહેરીને હથીયાર ખાંધીને તેના માની પાછળ દોડ્યો. અનેકવિધ શાસ્ત્ર અને નીતિમાં કુશલ શ્રીક' પેાતાનુ હિત સમજીને કીર્તિધવલ રાજાના શરણે ત્યાં લંકાપુરીમાં ગયા. હિતમનવાળા રાક્ષસપતિએ સ્નેહપૂર્વક સન્માનથી ખેાલાન્ગેા. તેણે પણ કન્યાહરણ વગેરે બનેલા યથાર્થ વૃત્તાન્ત તેને જણાવ્યા. તેટલામાં આકાશતલમાં ઉત્તરદિશા તરફ હાથી, ઘેાડા, રથ, દ્ધા સહિત ઘણી મેાટી સેના ચાલી આવતી દેખી. કીર્તિધવલે મધુર શાંતિ કરાવનાર વચન સાથે દૂત માકલ્યા, ઉતાવળ અને ચપળતાવાળા તે પણ એકદમ પુષ્પાત્તરની પાસે ગયા. મસ્તકથી તેને પ્રણામ કરીને મધુર વચનથી દૂત કહેવા લાગ્યા કે–કીર્તિધવલે મને આપની પાસે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004884
Book TitlePaumchariya
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherVallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai
Publication Year1914
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy