________________
[ 8 ]
સહસંપાદક તરીકેનું કાર્ય કરી આપવા બદલ, પ્રે. હીરાલાલ ૨, કાપડિયા એમ. એ. એમણે ઉપક્રમણિકા લખી આપી તે બદલ તથા શ્રીપાલીતાણું બહાદુરસિંહજી પ્રિન્ટિંગ પ્રેસના માલિકોએ સુંદર છાપકામ કરી આપ્યું, તે બદલ તેઓને પણ અમે હાર્દિક આભાર માનીએ છીએ.
લિ.
સં. ૨૦૨૬ શ્રાવણ શુદિ ૧
શ્રીવિજયદેવસૂર સંધ શ્રીગેડીઝ જૈન દેરાસર ૧૨, પાયધુની, મુંબઈ–૩
ગોકળદાસ લલુભાઈ સંઘવી લક્ષ્મીચંદ દુલભાઇ શાહ પુષ્પસેન પાનાચંદ ઝવેરી
| મેનેજિંગ ટ્રસ્ટીઓ શ્રીગેડીજી દેહરાસર અને ધર્માદા ખાતાંઓ.
णमो त्थु णं अणुओगधारीण। आगमाद्धारक आचार्य श्रीआनन्दसागरसूरीश्वरेभ्यो नमः ।
# અ નુ વા દકી ય નિ વે દ ન ક અનંત કેવલજ્ઞાનને વરેલા તીર્થકર ભગવંતે નિરૂપણ કરેલ, અનન્ત દુઃખસ્વરૂપ, દુઃખફલ અને દુઃખપરંપરાવાળા, ચારગતિ અને ૮૪ લાખ યોનિસ્વરૂપ એકાંત દુખમય સંસારના જીવને ભવિતવ્યતા પરિપકવ થવાના ગે. ઉત્તરોત્તર પ્રશ્યપ્રક પામવાના કારણે મનુષ્યજન્મ, આર્યક્ષેત્રાદિ ધર્માનકુલ સર્વ સામગ્રી પ્રાપ્ત થઈ. તે પ્રાપ્ત થવા છતાં ગુરુ-સમાગમ અને ગીતાર્થ ગુરુમુખથી જિનવાશુનું શ્રવણ-પરિણમન થવું અત્યન્ત દુર્લભ છે.
પૂર્વકાલના અનેક જ્ઞાની ગીતાર્થ શાસનના સંભભૂત મહામાભાવિક પુરુષે થઈ ગયા, જેમણે ભાવી ભવ્યાત્માઓ માટે વિવિધ અનુયેન-ગર્ભિત ગ્રન્થો, શાસ્ત્રો, ચરિત્ર, પ્રકરણ ઈત્યાદિની રચનાઓ કરેલી છે, જેનું વર્તમાનમાં આપણે પઠન-પાઠન, અધ્યયન, શ્રવણ અને વાચન કરીએ છીએ.
દ્રવ્યાનુયોગ, ચરણકરણનુયોગ, ગણિતાનુયોગ અને ધર્મકથાનુયોગ આમ ચાર અનુયોગ હોવા છતાં જીવને પ્રથમ આલંબનભૂત માગે ચડાવવામાં સહાયભૂત હેય તે તે ધર્મકથાનુયોગ અર્થાત ચરિતાનુયોગ છે. તેવા અનુગરૂપ જ્ઞાતાધર્મકથા, રાય પણ આદિ આગમસ છે. તેમ જ શ્રીવિમલસૂરિનું પઉમચરિય, શ્રીસંધદાસગણિ વાચક-વિરચિત વસુદેવહિંડી, શ્રીહરિભદ્રસૂરિની સમરાઈચ કહા, શ્રીઉદ્યોતનસુરિની કુવલયમાલા-મહાકથા, શીલાંકરિજીનું ઉપન્ન મહાપુરિસચરિય; આ સિવાય પણ કથાસાહિત્ય અતિવિશાળ પ્રમાણમાં પ્રાકૃત-સંસ્કૃત, અપભ્રંશ અને ગુજરાતી કાવ્યમય-રાસમય ગવ-પદ્યમય વર્તમાનમાં પણ મુદ્રિત અમુકિત ઉપલબ્ધ છે. દરેક અભ્યાસી જિજ્ઞાસુવર્ણ પ્રાકૃત-સંસ્કૃત ભાષાના જ્ઞાતા હેતા નથી, તે દરેક પૂર્વાચાર્યોના રચેલા ગ્રન્થોના ભાવો જાણવાથી વંચિત ન રહે તેવા શુભ આશચથી મેં આ પૂર્વે પ્રા. કુવલયમાલકા, પ્રા. સમરાઈગ્ય કહા, અને ચપન મહાપુરિસરિય તેમજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org