SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ [૨] ત્રિભુવનાલંકાર હાથીના પૂર્વભવો : ૩ય : દુઃખ પીડાવાળા સંસારમાં ભ્રમણ કરવા લાગ્યા. વિનેદ અને રમણ બંને ભાઈઓ પિતપોતાના કર્મોથી આખરહિત રીંછ થયા અને વનદવમાં બળી મરી ગયા. - ત્યાર પછી બંને શિકારીના યુવાન પુત્ર, પછી હરણે, પછી સારંગ જાતિના હરણે, અરણ્યમાં ટેળાના ત્રાસથી છૂટા પડી ગયા. કેઈક વખત સ્વયંભુ રાજા વિમલજિનેન્દ્રને વાંદીને પાછા ફરતા હતા, ત્યારે તે હરણીયાને જોયા એટલે તુષ્ટ થયે અને અને હરણને ઘરે લઈ ગયો. મુનિવરોને ઉત્તમ પ્રકારના આહારનું દાન કરતા દેખીને પ્રસન્નમનવાળા હરિણે રાજાને ઘરે ધૃતિ પામ્યા. આયુષ્ય પૂર્ણ થતાં સમાધિ મેળવીને મૃત્યુ પામેલા તે બંને દેવો ઉત્પન્ન થયા. દેવલોકમાંથી ચ્યવેલા તિર્યંચની વિવિધ નિમાં ભ્રમણ કરવા લાગ્યા. મહામુશીબતે ફરી મનુષ્યપણું મેળવીને તે વિનોદને જીવ હરણ હતું, તે કામ્પિત્યનગરમાં બત્રીશ કેડ ધનને સ્વામી ધનંદ વણિકને ત્યાં પુત્રપણે જન્મ્યો. રમણજી જે હરણ થયે હતો, તે અનેકવિધ યોનિઓમાં ઉત્પન્ન થઈ સંસારમાં પરિબ્રમણ કરીને કાસ્પિત્ય નગરમાં ધનદને ભૂષણ નામનો પુત્ર થયો. પુત્રના સ્નેહથી તેના ઉત્તમ ભવનમાં ધનદ પિતાએ તેની સમક્ષ દેહને સુખાકારી એવાં અનેક સુખ સગવડ આપનારાં સાધને કરાવી આપ્યાં. પિતાની મનહર યુવતીઓની સાથે ભેગ ભોગવતે ઉદય પામતા કે અસ્ત થતા સૂર્ય-ચન્દ્રને પણ જાણતો નથી અર્થાત્ સ્ત્રીઓના ભાગોમાં અત્યન્ત આસક્ત બની ગયે. હે શ્રેણિક ! આ સંસારમાં જીવોનાં નાટક તો જુઓ કે, જે એક વખત સગો ભાઈ હતા, તે જ ફરી ભૂષણને પિતા થયે. તેટલામાં રાત્રિના છેલ્લા સમયે દેવદુંદુભિને શબ્દ સાંભળીને, દેવતાઓનું આગમન દેખીને એકદમ ભૂષણ પ્રતિબોધ પામે. ભદ્રક પરિણામી, શીલ પાળવાના સ્વભાવવાળે, ધર્મમાં રક્ત, તીવ્રભાવનાયુક્ત, તે ભૂષણકુમાર શ્રીધરમુનિ પાસે વન્દન કરવા માટે પ્રવર્યો. અશોકવનમાં મહેલમાંથી નીચે ઉતરતાં ત્યાં સાપે ડંખ માર્યો, મૃત્યુ પામી મહેન્દ્ર દેવલોકમાં માટે દેવ થયા. ત્યાંથી ચ્યવને પુષ્કરવરદ્વીપમાં ચન્દ્રાદિત્ય નગરમાં પ્રકાશયશ રાજાની માધવી દેવીની કુક્ષિથી પુત્રપણે ઉત્પન્ન થયે. અમરેન્દ્રના સમાન રૂપવાળે, સમગ્ર કાન્તિવાળ, જગદ્યુતિ નામને પુત્ર થયો. જે સંસારભારુ તેમ જ રાજ્યગમાં અનાદરબુદ્ધિ કરવા લાગ્યું. તપસંયમ–શીલ-સમૃદ્ધ મુનિવરોને આહારાદિક દાનના પુણ્યોગે મરીને દેવકુરુમાં, ત્યાર પછી કમે કરી ઈશાનકલ્પમાં ગયા. ત્યાં દેવસુખનો ભોગવટો કરીને ઘણું પલ્યોપમનું આયુષ્ય પૂર્ણ કરીને ચ્યવને જબૂદ્વીપમાં પશ્ચિમવિદેહમાં મહાસમયમાં રત્નપુર વિષે અચલ નામના ચક્રવતીની હરિણી નામની ભાર્યાની કુક્ષિમાં લોકોના નેત્રના ઉત્સવભૂત રાજપુત્ર તરીકે જન્મ્યા. પોતાના પુત્રને વિરાગ્ય પામેલો જાણીને ચકવર્તીએ ત્રણ હજાર કન્યાઓ સાથે બલાત્કારથી પુત્રનાં લગ્ન કર્યા. તે યુવતીઓ કુમારનું લાલન-પાલન કરતી હતી. પરન્તુ ધીર એ કુમાર ભેગોને વિષ સમાન માનતો હતો અને પ્રત્રયા અંગીકાર કરવાને એકાન્ત ભાવ સેવતા હતા. કેયૂર, હાર, કુંડલ આદિ આભૂષણોથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004884
Book TitlePaumchariya
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherVallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai
Publication Year1914
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy