SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૦ : પઉમચરિય–પદ્મચરિત્ર થતું નથી. આ પ્રમાણે કહીને ભરત આસન ઉપરથી ઉભું થયું અને જાતે હતું, ત્યારે ભારી સ્નેહ વહન કરતા લક્ષમણે તેને રોકી રાખ્યા. જેટલામાં હજુ લક્ષમણ ભરતને રતિક્રીડા માટે આગ્રહ કરતા નથી, તેટલામાં તો રામની આજ્ઞાથી ભારતની ભાર્યા ત્યાં આવી પહોંચી. દરમ્યાન સીતા તેમ જ વિશલ્યા શુભા, ભાનુમતી, ઈન્દુમતી, રત્નમતી, વળી લીમી, કાન્તા, ગુણમતી, નલકૂબરી, કુબેરી, બધુમતી, ચન્દના, સુભદ્રા, સુમના, ઉત્સુકા, કમલમતી, નન્દા, કલ્યાણમાલા, તથા ચન્દ્રકાન્તા, શ્રીકાન્તા, ગુણમતી, ગુણસમુદ્રા, પદ્માવતી વગેરે તથા ઋજુમતી આદિ યુવતીઓને પરિવાર આવી પહોંચ્યો. મન અને નયનને હરણ કરનાર, સર્વાલંકારથી વિભૂષિત કરેલાં અંગવાળી, હાથણીઓ જેમ હાથીને વીંટળાઈ વળે, તેમ આ સર્વે સુન્દરીઓ ભરતની ચારે બાજુ ઘેરીને ઉભી રહી. સીતાએ કહ્યું કે-“હે દેવર ! અમારું આ કહેલું માને કે આ યુવતીઓ સાથે તમે જલસ્નાન પૂર્વક ક્રિીડા કરે. જેને નેહ-સંબન્ધ ઓસરી ગએલે છે, તે ભરત આ પ્રમાણે કહેવા છતાં ઈચ્છાવગર માત્ર દાક્ષિણ્યથી અલ્પ અનુમતિ દેખાડી. ભારતની સર્વ પત્નીઓ ત્યાં આવી પહોંચી અને હર્ષ પામેલી તે પત્નીઓ સાથે સરોવરમાં ઉતર્યો. સુગન્ધી કિંમતી વિવિધવર્ણવાળા ચોળવાનાં નિગ્ધ તિથી મહાત્મા ભરતનું ઉદ્વર્તન કર્યું, પિતાની યુવતીઓએ નાન કરાવ્યું. સરોવરમાંથી બહાર નીકળીને ભાવથી જિનેશ્વરની પૂજા કરીને ત્યાર પછી સમગ્ર યુવતીઓએ વિવિધ પ્રકારનાં આભૂષણથી ભરતને અલંકૃત કર્યો. પદાર્થોનું યથાર્થ સ્વરૂપ સમજનાર ભરત કીડારતિથી તદ્દન વિરક્ત થયું હતું, યુવતીઓથી ઘેરાએલે હોવા છતાં પણ મનમાં અતિશય વૈરાગ્યને ધારણ કરતે હતો. આ સમયે ગેલેક્યમંડન નામનો હાથી આલાનસ્તંભ ઉખેડીને શાલામાંથી ક્ષોભ પામીને બહાર નીકળી ગયે. ભવનનાં ઉત્તમ તેરણોને ભાંગી નાખતો, કિલ્લામાં રહેલી દુકાનોને અને નગરજનોને ત્રાસ પમાડતે નગરમાં દડાદેડી કરી ભ્રમણ કરવા લા. પ્રલયકાળના મેઘ સમાન તેના શબ્દો સાંભળીને બીજા હાથીઓ પણ ઓસરી ગએલા મદ અને દર્પવાળા દશે દિશામાં પલાયન થવા લાગ્યા. ઉત્તમ સુવર્ણ અને રત્નમય ઉંચા નગરના દરવાજાને તોડીને અકસ્માત્ તે મહાહાથી ભારતની પાસે આવીને ઉભો રહ્યો. તે મદોન્મત્ત હાથીને દેખીને તે યુવતીઓ ભયથી શરીરે પૂજવા લાગી અને કિરણ જેમ સૂર્યને વીંટળાઈ વળે તેમ આ યુવતીએ ભરતની પાસે વીંટળાઈ વળી. ભારતની સન્મુખ જતા હાથીને જેઈને નગરલોક અને સર્વ પરિવાર માટે હાહારવ અને કોલાહલ કરવા લાગ્યા, હવે તે સ્નાન કરેલા પરિવારથી પરિવરેલા રામ અને લક્ષમણ બંને એક સાથે હાથીને દેખીને પકડવા તૈયાર થયા. તેટલામાં ભારતનરેન્દ્રને દેખીને હાથી નિર્નિમેષ નેત્રવાળો થયો અને પિતાને ગતભવ સ્મરણ કરવા લાગ્યું. તેનું હૃદય એકદમ શાન્ત બની ગયું અને શરીરનાં ગાત્રો ઢીલાં થઈ ગયાં. ભરતરાજાએ હાથીને કહ્યું કે, “કયા અનાયે તને રોષ કરા ?, હે ગજવર ! શાન્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004884
Book TitlePaumchariya
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherVallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai
Publication Year1914
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy