SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૫૪ : પઉમચરિય-પદ્મચરિત્ર આ સમયે રામે ખિભીષણને સુલટા સમક્ષ કહ્યું કે, હે ભદ્ર! હવે અમારે ક્રૂરજીયાત સાકેતપુરીએ પ્રયાણ કરવું જોઇએ. પુત્રના શાકાગ્નિમાં બળી જળી રહેલી અમારી માતાઓને ત્યાં જઇ અમારાં દનરૂપી જળવડે ઠારવી જોઇએ અર્થાત્ શાન્તિ પમાડવી જોઇએ.’ મસ્તકથી પ્રણામ કરીને ખિભીષણે વિનંતિ કરી કે, ‘મારી વાત સાંભળેા, હે રામ ! સેાળ દિવસ સુધી આપે મારા ભવનમાં નિવાસ કરવા પડશે. હે સ્વામી ! બીજી વાત પણ આપ સાંભળેા કે, સાચા સમાચાર સાકેતમાં માકલવા માટે એકદમ હું ભરતના ઉપર મારા ૢા માકલું છું.' રામની આજ્ઞાથી ઉતાવળથી જનારા ને માકલ્યા, એટલે ત્યાં જઇને ભરતને પ્રણામ કરીને અહિંના સ સમાચાર જણાવ્યા કે, ‘રામે હલસહિત મુશલ અને પરાક્રમી લમણે ચક્રરત્ન પ્રાપ્ત કર્યું છે. લંકાધિપતિ રાવણુ મરાચા અને સીતાના મેળાપ થઇ ગયા છે. ઇન્દ્રજિત્ મેઘવાહનને કેદ પકડેલા હતા, તેઓને અન્ધનથી મુક્ત કર્યા-એટલે તે સુભટાએ દીક્ષા અંગીકાર કરી. રામે અને લક્ષ્મણે ગરુડ અને કેસરી નામની વિદ્યાઓ પ્રાપ્ત કરી છે. રાવણુના સગાભાઇ બિભીષણુ સાથે હમેશાં ગાઢ પ્રીતિ થઈ છે અને આનન્દ પામેલા રામ-લક્ષ્મણ લકાપુરીમાં રાજ્યવેભવ ભાગવી રહેલા છે.' આ પ્રમાણે રામ-લક્ષ્મણની સમૃદ્ધિ સાંભળીને ભરતરાજા ઘણું! હર્ષ પામ્યા. ત્યાર પછી તાસ્કૂલ અને સુગન્ધિ પદાર્થાથી દૂતની વૈભવાનુસાર પૂજા કરી. ત્યાર પછી ભરત તે ક્રૂતાને સાથે લઇને માતાની પાસે ગયા અને પુત્રશેાકથી દુઃખિત થએલી માતાઓને રામ-લક્ષ્મણના સમગ્ર સમાચાર દ્વાએ જણાવ્યા. પુત્રાની કુશલવાર્તા સાંભનીને માતાએ તેમને અભિનન્દન આપ્યાં. એટલામાં તે લંકાનગરીથી ખીજા પણુ અનેક વિદ્યાધરા આવી પહેાંચ્યા. આકાશમાં રહેલા તે ખિભીષણ વગેરે વિદ્યાધર સુભટાએ તે નગરીના સર્વ ઘરામાં રાની વૃષ્ટિ કરી. હવે તે નગરીમાં દક્ષ વિદ્યાધર શિલ્પિએએ સમગ્ર ભવનેાની તલભૂમિ રત્ન અને સુવર્ણ થી એક સરખી બનાવી દીધી. નગરમાં અનેક ઉંચા શિખરાવાળાં જિનભવના નિર્માણ કરાવ્યાં. અષ્ટાપદ પર્વતના શિખર સરખા ઉંચા હજારો પ્રાસાદા નિર્માણ કરાવ્યા, સુવર્ણના સ્તંભાની પ્રચુરતાવાળા, વિશાળ રત્ના જડેલા, ચારે બાજુ મનેાહર વિજયધ્વજા-પતાકા આંધેલા મંડપાની રચનાઓ કરાવી. જેમાં સુવર્ણ–રત્નમય અનેક મેાતીઓની માળાઓ લટકી રહેલી હતી. સર્વ દિશાએમાં મનેાહર તેારણેા શેાભી રહેલાં હતાં. વળી જિનગૃહામાં દેવે અને ઈન્દ્રોના જિનભવન સરખા સ્નાત્રમહાત્સવેા પ્રવર્તાવ્યા. તેમજ જિનભવનેામાં નાચનૃત્ય. નાટક, ગીત–વાજિંત્રના મધુર શબ્દોથી અધિક આન ંદ પ્રવર્તાત્મ્યા. વૃક્ષાના તરુણ પલ્લવાવાળા તથા વિવિધ પ્રકારનાં સુગન્ધિ પુષ્પાની પ્રચુરતાવાળા, કાયલ અને ભ્રમરાના મધુર ગીતવાળાં ઉપવના, વસતઋતુના સમયની જેમ વિકસિત અન્યાં. વાવડીએ અને સરાવરાને વિષે સૂયવિકાસી, ચન્દ્રવિકાસી વગેરે કમળા તથા લાલ, સફેદ, શ્યામ કમળાથી જળ ઢકાઈ ગયાં. તેમજ જિનેશ્વરનાં ભવનાને વિષે પણ તેવાં કમળા શાભા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004884
Book TitlePaumchariya
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherVallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai
Publication Year1914
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy