SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ [૭૦] યુદ્ધ-વિધાન : ૩૨૩ છે. ચર થએલો કાર્ય શું અને અકાય શું? તેના વિવેકને ભૂલી ગયે. હે શ્રેણિક લંકાધિપ રાવણના હૃદયમાં જે કારણ હતું, તે સર્વે હું તને કહું છું, તે વિકથાને ત્યાગ કરીને તમે સાવધાનીથી શ્રવણ કરે- ' શત્રુસૈન્યને જિતને સર્વ પુત્ર, બાન્ય અને સુભટોને મુક્ત કરાવી પછી પણ હું લંકામાં પ્રવેશ નહિં કરીશ, પરંતુ પ્રથમકાર્ય આ કરી શકે સમગ્ર ભરતક્ષેત્રમાં પાદચારી સમગ્ર મનુષ્યોને નિર્વાસિત કરીને હું મારાં બલ, શક્તિ અને કાન્તિયુક્ત ઘણા વિદ્યાધરને તેમના સ્થાને રાજ્યગાદી પર સ્થાપન કરીશ. જેથી કરીને આ મારા વંશમાં દેવતાઓને, અસુરને પૂજ્ય એવા ઉત્તમ જિનેશ્વરે, ચક્રવર્તીઓ, બલદે, વાસુદે સરખા અત્યન્ત પરાક્રમી મહાપુરુષે ઉંચા વિમલ (યશ કે શક્તિવાળા) ઉત્પન્ન થાય. (૫૯) પાચરિત વિષે રાવણ-ચિતા-વિધાન’ નામના એગૂણસિત્તેરમા પર્વને ગૂજરાનુવાદ પૂર્ણ થયો. દિલ, [ સં. ૨૦૨૫ પ્ર. અ. શુ. ૧૧ ગુરુ.] [૭૦] યુદ્ધ-વિધાન ઋદ્ધિસંપન્ન ઈન્દ્ર મહારાજા જેમ સભામાં વિરાજમાન થાય, તેમ હવે તે રાવણ પિતાની સભામાં અત્યન્ત પ્રકાશિત એવા દિવસ સમયે સુભટ સાથે રાજસભામાં બેઠે. શ્રેષ્ઠ રત્નહાર, સુવર્ણકુંડલ, મુકુટ અને અનેક અલંકારોથી ભૂષિત શરીરવાળો રાવણ પોતાની સભાને રોમાંચિત કરતા અધિક ચિન્હાસાગરમાં ડૂબે. મારે સહેદર ભાનુકણું, મારા ઈન્દ્રજિત્ અને ઘનવાહન પુત્ર, હસ્ત-પ્રહસ્ત સુભટ આ સભા પ્રદેશમાં દેખાતા નથી. સભામાં તેઓને ન દેખતાં રેષાયમાન બની સુભટ સરખી ભયંકર ભ્રકુટિ ચડાવી, વિકરાળ મુખ ચહેરે બતાવી રાવણે ચક્રરત્ન તરફ દષ્ટિ ફેરવી. રેષાગ્નિ ફેલાએલ હૃદયવાળો તે આયુધશાળા તરફ જવા તૈયાર થયે, ત્યારે અણધાર્યા અતિ ખરાબ દુષ્ટ નિમિત્તો ઉપસ્થિત થયાં. બીજા પગથી ચાલતો હતો, ત્યારે પગના માર્ગમાં વાગ્યું, જતાં જતાં આગળ કાળા સર્વે માર્ગ કાપી નાખે અર્થાત વચ્ચે ઉતરીને અપશકુન કર્યા. “અરે! ન જશે, ન જશે” એમ અકુશલ શબ્દો તેના સાંભળવામાં આવ્યા અને અજય અપાવનાર ઘણા એચિન્તાં ઉત્પાતરૂપ અપશકુનો ઉત્પન્ન થયાં. તેનું ઉત્તરીય, વસ્ત્ર સરીને નીચે પડી ગયું. વૈડૂર્યરત્નને દંડે તથા છત્ર ભાંગી ગયાં. ત્યારે બે હાથની અંજલિ જોડીને મર્દોદરી પતિને વિનંતિ કરવા લાગી કે, “હે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004884
Book TitlePaumchariya
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherVallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai
Publication Year1914
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy