SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ પઉમચરિય-પદ્મચરિત્ર ઉપર મનઅભિલાષા કરતા ન હતા. પૂર્વભવના સંચિત દૃઢ સ્નેહના કારણે વિમલ અને ઉત્કટ ગુણના કારણે નિરન્તર માત્ર સીતાનું જ સ્મરણ કરતા હતા. (૫૭) : ૨૫૮ : પદ્મરિત વિષે ‘ સુગ્રીવનું આખ્યાન’ નામના સુડતાલીશમા પા ગૂજ રાનુવાદ સમાપ્ત થયા. [૪૭] [૪૮] કેટિશિલાનું ઉર્દૂરણ હવે રામની શાન્તિ માટે તે કન્યાઓએ નૃત્ય, ગાયન અને લીલાથી તે સ્થાનને આનન્દદાયક કર્યું”. તેમની સમક્ષ સમગ્ર વૈભવ, સ્નાન, ભેાજન-સામગ્રી હાજર કરી, તે પણ સીતા-રહિત રામને આ સર્વ ભાગ-સામગ્રી બિલકુલ આનન્દ આપતી ન હતી. ગીતના શબ્દને સાંભળતા નથી, મનેાહર રૂપને પણ જોતા નથી, ચેાગી જેમ સિદ્ધિનું ધ્યાન ધરે, તેમ એકાગ્ર મનથી સીતાનું ધ્યાન ધરતા હતા. સીતાના સમાગમના ઉલ્લાપ સિવાય બીજા ઉલ્લાપ પણ કરતા નથી. પાસે એઠેલાને પણ કહેતા કે, હું જનકપુત્રી ! તું જલ્દી મારી પાસે આવ. દેવી હોય કે માનુષી હાય, નાગકન્યા હોય કે, યક્ષિણી હાય, ગમે તે કાઈ સ્ત્રી હાય, પણ આ જીવલેાકમાં સીતા-સમાન મને દેખાતી નથી.’ આવા અને આના સરખા બીજા ઘણા પ્રકારના પ્રલાપ કરતા હતા. રામે લક્ષ્મણને કહ્યું કે, પેલા સુગ્રીવ હજી જવાની ઢીલ કેમ કરે છે?' રામના વચનથી લક્ષ્મણુ સુગ્રીવના ભવનમાં જઇને તેને ઠપકા આપવા લાગ્યા કે, · વાસઘરમાં ભરાઇને એલેલું સ ભૂલી ગયા કે શું? જ્યારે પરમેશ્વર સીતાના વિયેાગરૂપી દુઃખસમુદ્રમાં ડૂબી ગયા છે અને અઢી દર્શી મહાપાપી તું અહીં વિષયસુખ કેવી રીતે ભાગવી રહેલા છે ? હે કૃતજ્ઞ ! ખેચરાધમ ! પાપમતિવાળા! હું તને ત્યાં પહોંચાડુ કે, રામે દુષ્ટમતિવાળા તારા સરખાને પહેાંચાડ્યો છે.’ આ પ્રમાણે તિરસ્કારાએલા સુગ્રીવે નમન કરીને કહ્યું કે, ‘હું ભૂલી જ ગયા. મારા એક અપરાધની ક્ષમા આપેા. તેને કરેલી પ્રતિજ્ઞાનું સ્મરણ કરાવીને લક્ષ્મણે એક વૃત્તાન્ત ઉપકાર કેવી રીતે કર્યાં ? કહ્યો કે, ચેાગીએ યક્ષત્તને શ્રેણિકે ગૌતમ ભગવન્તને પૂછ્યું કે−‘ હે ભગવન્ત ! યક્ષઇત્તના સ્પષ્ટ અને વિસ્તાર અથવાળા જે વૃત્તાન્ત હોય તે કહેા. કારણ કે, તે જાણવાની મારી તીવ્ર ઇચ્છા છે.' ત્યારે ગણધર ભગવતે કહ્યુ` કે- હું શ્રેણિક ! ચેાગીના કહેવા પ્રમાણે યક્ષદત્તને માતાની સાથે જે સમાગમ થયા, તે વૃત્તાન્ત સાંભળે— Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004884
Book TitlePaumchariya
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherVallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai
Publication Year1914
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy