SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૪૪ : પઉમચરિય–પદ્મચરિત્ર વાળું ખેચને પૂજ્ય મહા સૂર્યહાસ ખર્શ ગ્રહણ કરી લીધું છે. શોકાગ્નિથી તપેલા અંગવાળી હું પુત્રમસ્તકને ખોળામાં સ્થાપન કરીને વાછરડા વગરની ગાયની જેમ દડદડ આંસુ પાડતી રણમાં રુદન કરવા લાગી. હે પ્રભુ! તે સમયે કેઈક પુત્રના દુષ્ટ વરીએ આવીને રુદન કરતી મને ગમે તે કારણે દઢ આલિંગન કર્યું. હું ઈચ્છતી ન હોવા છતાં તે પાપીએ રણમાં હું એકાકી હતી, ત્યારે દાંત અને નખથી આવી અવસ્થા પમાડી. પૂર્વ જન્મમાં કરેલા પુણ્યના પ્રભાવે હું તેનાથી બચી ગઈ અને હે સ્વામી! અખંડિત ચારિત્રવાળી હું અહીં આપની પાસે પહોંચી ગઈ. ત્રણ ખંડના અધિપતિ વિદ્યાધર રાવણ રાજા મારા ભાઈ છે, અને તે દૂષણ! તમે મારા પતિ છે, તો પણ હું આવી રીતે દુઃખ પામી. પત્નીનું વચન સાંભળીને શેકપૂર્ણ મનવાળો ખરદૂષણ રાજા ત્યાં ગયે અને પૃથ્વીપીઠ પર પડેલા મૃતપુત્રને જોયે. ક્રોધે ભરાએલ તે ક્ષણવારમાં પિતાના ઘરે પાછો ફર્યો અને ચૌદ હજાર ઉત્તમ દ્ધાઓ સાથે તે તયાર થયે. ચિત્તપ્રભ મંત્રીએ તેને કહ્યું કે-“આ કાર્ય માટે લંકાધિપતિને જણાવવા દૂત મોકલે. ત્યારે ખરદૂષણે તરત રાવણના પાસે દૂત મોકલ્યા. પુત્રના શેકના કારણે નેત્રમાંથી અશ્રુ વહેવડાવતા રુદન કરવા લાગ્યો. દૂત દ્વારા સન્ડેશે કહેવરાવ્યો, છતાં જ્યારે રાવણ આવવામાં વિલંબ કરતો હતો, ત્યારે ખરષણ ચૌદ હજાર દ્ધાઓ સાથે ચાલી નીકળ્યો. આકાશમાં ખરદૂષણના સિન્યના વાજિંત્રોના શબ્દો સાંભળીને “આ શું છે? આ શું છે?” એમ બેલતી બેલતી સીતા ગભરાઈને રામની પાસે ચાલી ગઈ. “હે ચંદ્ર-સરખા વદનવાળી! તું ભય ન પામ, આકાશમાં ઉડતા હસો પોતાના મુખથી શબ્દ કરતા ચાલ્યા જાય છે, મને ધનુષ આપ કે, જેથી તેમનો વિનાશ કરું.” એ પ્રમાણે રામે કહ્યું, તેટલામાં તે આકાશમાંથી વિવિધ પ્રકારના આયુધો સહિત મેઘસમૂહ-સરખું સૈન્ય નીચે ઉતરતું જોવામાં આવ્યું. તે સમયે રામદેવ વિચારવા લાગ્યા કે, નંદીશ્વરીપે ગએલા દેવ પાછા ફરી રહેલા છે અને પિતાના સ્થાને જઈ રહેલા છે કે શું? અથવા વંશસ્થલ વનમાં જેને કાપી નાખ્યો અને તે મરી ગયે, તેનું વેર લેવા માટે તેના આ બધુઓ આવ્યા છે કે શું? નક્કી દુષ્ટશીલવાળી તે દુષ્ટ સ્ત્રીએ ત્યાં જઈને જે પ્રમાણે ઘટના બની, તે પ્રમાણે જણાવી જણાય છે અને તે કારણે આ લોકો અહિં આવેલા છે. એમ વિચારીને કવચ અને ધનુષ ઉપર દષ્ટિ ફેંકતા રામને લમણુ કહેવા લાગ્યા કે, “મારી વાત સાંભળો–હે રામ! હું હોઉં અને તમે લડવા જાવ, તે ઉચિત ન ગણાય, માટે તમે સીતાને સંભાળો અને શત્રુ સામે હું જાઉં છું. વિરીઓથી ઘેરાએલે હું સિંહનાદ જે વખતે છડું, તે વખતે હે રાઘવ ! નક્કી તમારે જલદી મારી પાસે આવવું.” એમ કહીને તેણે બખ્તર ધારણ કર્યું અને સાથે હથિયાર ગ્રહણ કર્યા. શત્રુ સન્મુખ પહોંચીને રાક્ષસ-સુભટો સાથે યુદ્ધ કરવા લાગ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004884
Book TitlePaumchariya
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherVallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai
Publication Year1914
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy