SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ પઉમચરિય-પદ્મચરિત્ર : ૭૬ : પહેલા આરોપ નામના યમના સુભટ જલ્દી આબ્યા. તેના સંગ્રામમાં બિભીષણ તેની અગ્રસેનાને માખરે પહોંચ્યા. યમસુભટ આટોપ બિભીષણ ઉપર જે જે અસ્ત્ર-શસ્ત્રો હથીયાર છેાડતા હતા, તેને રત્નશ્રવાના પુત્ર રાવણ તે સના ખાણુથી પ્રતિકાર કરી રાકતા હતા. મત્તહાથી વડે જેમ દુષ્ટહાથી તેમ યુદ્ધમાં ખિભીષણે પરાક્રમથી ફ્ેકેલાં અતિતીક્ષ્ણ ખાણા વડે તે આર્ટાપ સુભટને દૂર ભગાડી મુકયા. આટોપ સુભટને પલાચન થતા દેખીને ક્રોધ પામેલેા યમ ઉભા થયા અને ચતુરંગ સેના સહિત રાક્ષસસેના ઉપર ત્રાટકયો. રથની સાથે રથ, હાથી સાથે હાથી, ઘેાડા સાથે ઘેાડા, પાયદલ સાથે પાયદલ લડવા લાગ્યા. હા જ્યાં એક ક્ષણ થયા નથી, તેટલામાં તા સુભટોએ શસ્રના પ્રહારાથી હાથી-ઘેાડાઓને ઘાયલ કર્યા અને તેના પડવાથી ભૂમિ ઢ'કાઈ ગઈ, ચાન્દ્રાએના જીવનના અંત કરનાર યુદ્ધ પ્રવર્તતું હતું, ત્યારે સૈન્યને પીડીને યમ દશમુખ તરફ પહોંચ્યા. યમભટને નજીક આવતા દેખીને રત્નશ્રવાના પુત્ર રાવણ યુદ્ધ કરવા માટે તેની સમક્ષ આવી પહેાંચ્યા. પછી વિજળી જેમ ચમકતાં શસ્ત્રોથી લાંખા કાળ સુધી યુદ્ધ કરીને ગુસ્સાવાળા યમને ખાણાના પ્રહારથી ઘાયલ કરીને રથ ઉપરથી નીચે પાડી નાખ્યો. મૂર્છા પામવાથી ખીડાયેલા નેત્રવાળા તેને સમગ્ર પરિવાર સાથે ઇન્દ્રની પાસે રથન પુર (ચક્રવાલપુર)માં લઈ ગયા. સ્વસ્થ થયા પછી તેણે ઇન્દ્રને વિનયપૂર્વક કહ્યુ કે, હે પ્રભુ ! કિષ્કિંધિપુરમાં મેં જે યમક્રીડા પ્રવર્તાવી, તેની હકીકત આપ સાંભળે, કદાચ આપ ખૂબ ગુસ્સો કરે અથવા પ્રસન્ન થાય અગર મારુ સર્વસ્વ જીવન હરણુ કરી લ્યા, કે બીજો કાઇ દંડ કરા, પરંતુ હવે હું યમનુ કાર્ય હું કરીશ. લેાકપાલ વૈશ્રમણને જેણે પરાજિત કર્યા, મદોન્મત્ત હાથીને જેણે વશ કર્યાં, યુદ્ધમાં મને પણ જેણે ખાણેાથી ભગાડયો છે. યમનું આ વચન સાંભળીને ઇન્દ્ર ચારે ખાજુથી ઘેરો ઘાલીને યુદ્ધ કરવા તૈયાર થયા, પરંતુ મંત્રીઓએ તત્કાલ તેને તેમ કરતાં અટકાવ્યેા. ઇન્દ્રે યમને કહ્યું કે, ‘તું સુરગ્રીવ નામના ઉત્તમનગરમાં જા અને શત્રુભટના ભય ત્યાગ કરીને ત્યાં નિર્ભયતાથી સ્વસ્થતાપૂર્વક રહે. અહીં ઇન્દ્ર પણ પેાતાના ભવનમાં સર્વાં સમૃદ્ધિ અને યુવતીએ સહિત એવા પ્રકારના ઉત્તમ ભાગેા ભાગવતા હતા ગએલા કાળ કેટલેા ગયા, તેની ખબર પડતી ન હતી. વિજયપ્રાપ્ત રાવણે આદિચરજને કિષ્કિંધિનગરી અને ઋક્ષરજને મગિરિ ઉપર રિક્ષપુર આપ્યું. આ પ્રમાણે ઋક્ષરજ અને આદિત્યરજને કુલપર પરાથી પ્રાપ્ત થએલા રાજ્ય પર સ્થાપન કરીને રાવણ પુષ્પક વિમાનમાં આરૂઢ થઇને આકાશમાં ઉડવા લાગ્યા. ખેચર સુભટોના માટા સમૂહ સાથે હજારી તરંગાવાળા ભયકર લવણુસમુદ્રને જોતા જોતા લંકા તરફ ચાલ્યા. લવસમુદ્ર કેવા હતા ? ભયકર મત્સ્ય, મગરમચ્છ અને કાચબાએ એક બીજા પર ટકરાવાના કારણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004884
Book TitlePaumchariya
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherVallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai
Publication Year1914
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy