SearchBrowseAboutContactDonate
Page Preview
Page 927
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫૫) ૮ સુવાવડ કરનારી સ્ત્રી જન્મ આપનારને પાંચ, સાત દિવસ સુધી રાંધી ખવરાવે અને પછી ત્યાંથી બીજા ઘેર વા પિતાને ઘરે ચાલી જાય ફરી જન્મ આપનારના ઘરે જાવ આવ ન કરે પણ તેના કુટુંબના ભેગી ખાતી પીતી હોય તે તેને ૧૨ દિવસનું સૂતક લાગે અને ન ખાતી પીતી હોય તે ત્યાંથી ગયા પછી સૂતક બિલકુલ લાગતું નથી. ૯ બીજા કુટુંબની સ્ત્રી સુવાવડ કરવા આવે અને તેના શેત્રીના માટે બીજા ઘરમાં રસોઈ થતી હોય તે ચેલે ાંધી જન્મ આપનારને દૂર ઉભી રહી ખાવા માટે આપે તેને પાંચ દિવસનું સૂતક લાગે વા પાંચ દિવસ સુધી જન્મ આપનારને રાંધી ખવરાવે અને પછી ત્યાંથી પિતાના ઘરે ચાલી જાય અને જન્મ આપનારના ઘરમાં જાવ આવ ન રાખે તો તેને ગયા પછી સૂતક લાગતું નથી. ૧૦ પિતાના પીયરમાં છોકરી જન્મે તો તેના પતિને અને તેના ઘરના કુટુંબિયેને પાંચ દિવસનું તથા બે પેઢી સુધીના ગેત્રીઓને ત્રણ દિવસનું સૂતક લાગે અને તેઓ ત્યાં જન્મ આપનારને માટે નિપજતી રસોઈના ચૂલે જ બની રસઈ ખાતા હોય તો ૨૭ દિવસનું તથા બીજા ચલે જ જમતા હોય તે ૧૨ દિવસનું સૂતક લાગે, પાંચસાત પેઢી સુધીના ત્રીજે જમતા હોય તે પાંચ દિવસનું સૂતક લાગે. અન્યથા લાગતું નથી. ૧૧ જે દાસદાસી પિતાની નિશ્રામાં રહેલા હોઈને તેને પિતાના ઘરમાં જ જન્મી હેય તે ત્રણ દિવસનું સૂતક લાગે અને જે તેના ઘરમાં જ જન્મી હોય તે ત્યાં જાવ આવ કરતાં ભેગા થવાથી ત્રણ દિવસનું સૂતક લાગે. અન્યથા લાગતું નથી. ૧૨ ઊપર જેને જેટલા દિવસનું સૂતક કહેલ છે, તેઓ જે નિજ ગોત્ર સિવાય અન્ય સ્થળના ઘરના શુદ્ધ જળથી સ્નાન કરી પૂજાદિ ધર્મક્રિયા કરે તે કઈ પ્રકારની હરકત નથી, પરંતુ ૨૭ અને ૪૦ દિવસના સૂતકવાળાઓને તે પૂજાદિ ધર્મક્રિયા કરવી બિલકુલ ક૫તી નથી. નિયમવાળાઓને દૂરથી જિનપ્રતિમાના દર્શન અને અલગ બેશી બીજાઓની સાથે પ્રતિક્રમણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy