________________
: ૧૬૯ :
તપના ૫૦ ગુણ–તપ પદ બાર પ્રકારનું, પણ ગુણ નસ પચ્ચાસ;
નીરખે નવપદ વિધિએ, વિસ્તારે ત્યાં વાસ. તપ પદના (૫૦)પચ્ચાસ ગુણે નવપદ વિધિ આદિકથી જાણી લેવા.
તપ આરાધનથી તપના પ્રભાવે ઉપજતી પશ્ચાસલબ્ધિઓ આ પુસ્તકના છઠ્ઠા ભાગના પચ્ચાસ આંકમાં છે, ત્યાંથી જોઈ લેવું. આ જ્ઞાન ગુણ સ્તવાના-વિશસ્થાનક પૂજાની
આઠમી ઢાળ. જ્ઞાનના એકાવન ગુણ છે–મૂળજ્ઞાન પાંચ છે. ૧ મતી, ૨ શ્રુત, ૩ અવધિ, ૪ મન:પર્યવ, ૫ કેવળ, એકાવન ગુણ મતીના ૨૮. શ્રુતના ૧૪. અવધિના ૬. મન:પર્યવના ૨. કેવળને ૧. એ એકાવન ગુણ જાણવા. દહે–અધ્યાતમ જ્ઞાને કરી, વિઘટે ભવ ભ્રમ ભીતિ સત્ય ધર્મ તે જ્ઞાન છે, નમે જ્ઞાનની રીતિ.
અરણીક મુનીવર ચાલ્યા ગોચરી—એ દેશી. જ્ઞાનપદ ભજિયેરે જગત્ સુહંકફ, પાંચ એકાવન ભેદરે; સમ્યગજ્ઞાન જે જિનવર ભાષિયું, જડતા જનની ઉરછેદે છે. જ્ઞા. ૧ ભક્ષાભક્ષ વિવેચન પરગડે, ખીરની જેમ હસે રે, ભાગ અનંતરે અક્ષરને સદા, અપ્રતિપાતિ પ્રકારે. જ્ઞા. ૨ મનથી ન જાણે કુંભકરણ વિધિ, તેહથી કુંભકેમ થાશેરે. જ્ઞાન દયાથી પ્રથમ છે નિયમા, સદ સભાવ વિકાશેરે. જ્ઞા. ૩ કંચનનાણુંરે લંચનવંત લહે, અંધ અંધ પુલાયરે; એકાંતવાદી તત્વ પામે નહીં, સ્યાદ્વાદ રસ સમુદાયરે. જ્ઞા૪ જ્ઞાન ભર્યો ભરતાદિક ભવ તર્યા, જ્ઞાન સકળ ગુણમૂળરે; જ્ઞાની જ્ઞાનતણું પરિણતિ થકી, પામે ભવજળ કૂળરે. જ્ઞા૫ અલ્પાગમ જઈ ઉગ્રવિહાર કરે, વિચરે ઊઘમ વંતરે; ઊપદેશમાળામાં કિરિયા તેહની, કાય કલેશ તસ હુંતરે. જ્ઞા. ૬ જયંત ભૂપરે જ્ઞાન આરાધતે, તીર્થકર પદ પામેરે રવિશશિ મેહપરેજ્ઞાન અનંતગુણી, સૌભાગ્યલક્ષ્મી હિતકામેરે. સા. ૭
૨૨ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org