SearchBrowseAboutContactDonate
Page Preview
Page 707
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૬૧ : પ્ર. પુરૂષ જે જે સ્ત્રીને પરણે કે તેતરત શાથી મરે? ઉ૦ સાધુ પણું માહારામાં છે, એમ કહીને સ્ત્રીનું સેવન કરે, તથા ત્યાગી થઈ વસ્તુઓને સંગ્રહ કરે તેથી, તેમજ ખેતરમાં ચરનારી ગાયને ત્રાસ આપે તેથી. પ્ર. નપુંશક પણું શાથી પામે ? ઉ૦ મહા કૂડ કપટ છળ પર પંચાદિક કરવાથી. પ્રનરકગતિમાં શાથી જાય? ઉ૦ સાતે મહાન કુવ્યસનો સેવનથી પ્ર૦ ધનાઢ્ય પણ શાથી થાય? ઉ૦ સુપાત્રને સભાવથી દાન આપી આનંદ પામવાથી. પ્ર. મન વાંછિત ભેગો શાથી મળે? ઉ. પરોપકાર કરવાથી. પ્રરૂપવંત શાથી થવાય? ઉઠ તીવ્ર તપશ્યા કરવાથી. પ્ર. સ્વર્ગમાં શાથી જવાય? ઉ૦ તપ, જપ, વ્રત, પચ્ચખાણ સંયમ, ક્ષમા, દયાદિક, ગુણેથી. બત્રીશ વસ્તુ સંગ્રહ. સામુદ્રિક પ્રમાણે પુરૂષના ૩ર લક્ષણ–૧ છત્ર, ૨ કમળ, ૩ ધનુષ્ય, ૪ રથ, પ વા ૬ કાચ, ૭ અંકુશ, ૮ વાવડી, ૯ સ્વસ્તિક, ૧૦ તારણ, ૧૧ સરોવર, ૧૨ કેસરી સિંહ, ૧૩ વૃક્ષ, ૧૪ ચક, ૧૫ શંખ ૧૬ હસ્તિ, ૧૭ સમુદ્ર, ૧૮ કળશ, ૧૯ મહેલ, ૨૦ મત્સ્ય, ૨૧ જવ, ૨૨ યજ્ઞથંભ, ૨૩ સ્તુપ (ચેતરે), ૨૪ કમંડળ, ૨૫ પર્વત, ૨૬ ચામર, ૨૭ દર્પણ, ૨૮ બલદ, ૨૯ પતાકા, ૩૦ લક્ષ્મીના અભિષેક, ૩૧ મયૂર, ૩ર ઊત્તમ માળા. પુરૂષના ૩૨ ગુણ–૧ શીલવંત, ૨ કુલવંત, ૩ સત્યવંત, ૪ વિદ્યાવંત, ૫ દયાવંત, ૬ તેજવંત, ૭ સુચિત્તવંત, ૮ અલ્પ આહારી, ૯ પ્રમાદ સહિત, ૧૦ વચન અચળ, ૧૧ નમ્ર પ્રણામ, ૧૨ ધર્મવંત, ૧૩ જ્ઞાનવંત, ૧૪ ઉત્તમ, ૧૫ લજાવંત, ૧૬ ગુણ ગંભીર, ૧૭ સુરમ્ય, ૧૮ ઈષ રહિત, ૧૯ ચતુર, ૨૦ દાનમાં ઉદાર, ૨૧ ભાગ્યવંત, ૨૨ ગધ્યાની, ૨૩ સુજાણ, ૨૪ પરઉપકારી, ૨૫ બુદ્ધિવંત, ૨૬ વિવેકવંત, ૨૭ નિર્ભય, ૨ દેવને પૂજક, ર૯ ગુરૂને ઊપાસક, ૩૦ માતા પિતાને ભક્ત, ૩૧ સરળ, ૩ર વિચારશીલ. ૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy