SearchBrowseAboutContactDonate
Page Preview
Page 608
Loading...
Download File
Download File
Page Text
________________ બતાવેલા પરમાર્થ સામે પ્રષ્ટિ રાખી રહેતા) ઘાતિકર્મોને ક્ષય કરી ( શુદ્ધ નિર્મળ ભાવથી) કેવળજ્ઞાન પામ્યા. હાથીને સ્કંધ ઉપર અરૂઢ થયેલા મરૂદેવીમાતા, કાષભદેવ સ્વામીની-નાદ્ધિ-સિદ્ધિ દેખીને તત્કાળ શુભ ધ્યાનથી સંતકૃત કેવળી થઈ મોક્ષપદ પામ્યા. જંઘાબળ જેનું ક્ષીણ થયું છે એવા અણિક પુત્ર આચાચેની સેવા (ઉચિત વૈયાવચ્ચ) કરતાં જેને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું તે પુછપચૂલા સાધ્વીને પુનઃ પુનઃ નમસ્કાર છે? ગૌતમસ્વામીએ જેમને દીક્ષા દીધી છે અને શુભ ભાવવડે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે એવા પંદરસે તાપને નમસ્કાર હે. પાપી પાલવડે યંત્રમાં પીલાતા છતાં, જીવને શરીરથી જુદા જાણીને સમાધિ પ્રાપ્ત થયેલા, જેમને કેવળજ્ઞાન પેદા થયું છે, તે સ્કંદગસૂરિના સઘળા શિષ્યોને નમસ્કાર હે ? શ્રી વર્ધમાન સ્વામીનાં ચરણને સિંદુવારના ફૂલથી પૂજવાને ઈચ્છતી દુર્ગત નારી, શુભ ભાવવડે કાળ કરીને દેવગતિમાં ઉપજીને સુખી થઈ. એક દેડકે પણ ભાવથી ભુવનગુરૂ શ્રી વર્ધમાન સ્વામીને વાંદવા ચાલ્યા, ત્યાં માર્ગમાં ઘડાની ખરી નીચે કચરાઈ મરણ પામીને, નિજનામાંકિત-દરાંક નામે દેવતા છે. વિરત સાધુ અને અવિરત શ્રાવક (રાજા) જે બંને સગા ભાઈ હતા. તેમને ઉદ્દેશીને આ સાધુ સદાય ઉપવાસી હોય અને આ શ્રાવક સદાય બ્રહ્મચારી હોય તો, અમને હે નદીદેવી માર્ગ આપજે, એમ ઉક્ત મુનિને વંદના કરવા જતાં અને પાછા વળતાં માર્ગમાં પાણીના પૂરથી ભરેલી નદીને સંબોધી તે શ્રાવકા ( રાણુઓ) એ કહે છતે તેમના સાચા ભાવથી નદીએ તેમને તરતજ પેલે પાર જવા દેવા માટે માર્ગ કરી આપે હતે. શ્રી ચંડરૂદ્ર ગુરૂવડે ડંડ પ્રહારથી તાડન કરાતા એ તેને (શાન્ત) શિષ્ય, શુભ લેશ્યાવંત છતે તત્કાળ કેવળજ્ઞાન પામે. સમિતિ ગુપ્તિવંત સાધુઓને કવચિત્ જીવન વધ થઈ જાય છે, તે પણ જે તેમને નિહ્ય બંધ કર્યો નથી, તેથી તેમાં ભાવજ પ્રમાણ છે પણ કાયવ્યાપાર પ્રમાણ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy