________________
: ૧૦૪ : નિત્ય નવ કરણને શ્રાવક ધર્મ.
(મનહર છંદ. ). ત્રિકાલ જિન વંદન યથાશક્તિ જિનપૂજા,
પંચવિધ સ્વાધ્યાય તે સદા સુખ દાય છે; ગુણી ગુરૂનું વંદન સુવિધિ સુપાત્રદાન,
બે ટંક પ્રતિકમણ કરવું કહાય છે. યથાશક્તિ વ્રત પાળે નવા નવા તપ તપે,
નવું નવુ જ્ઞાન લેવા ઈચછા સુજણાય છે, આ નવે નિત્ય કરણી વાળે શ્રાવકનો ધર્મ,
અહેતે લલિત ભાખ્યો શાત્રે સમજાય છે. નવ પ્રકારના સુપન અને તેનું ફળ.
( મનહર છંદ. ) અનુભવ્યું સાંભળ્યું ને દેખું પિત્ત કફ તણું,
ચિંતિત સહજનું છે નકામા ગણાય છે; દેવ ઉપદેશે આવ્યું પુન્યના પ્રભાવે પાવ્યું,
પાપથી પાવ્યું તે ત્રણ ખરાજ મનાય છે. આદ્યયામે એક વર્ષ બીજાનું છ માસે ફળે.
ત્રીજાયામે ત્રણ માસે ચોથે માસે પાય છે; બે ઘડી રાતે જે દીઠું દશ દિવસમાં ફળે,
સૂર્યોદયનું લલિત તુર્ત ફળ દાય છે. ૧ નવ પ્રકારે વાહન ને તેથી થતો લાભ ઘેરલાભ
( મનહર છંદ. ) ખરે ધન હાની થાય હયે ધન લાભ થાય,
ગજે બહુ સુ:ખદાય જીવન ગળાય છે; મહિષે મરણ જાણ જંબુકે સુખની હાણ,
સિંહે પિશ્ન પણું ને મરણ પમાય છે. કાગ અતિ દુ:ખ દાઈ મેરે અર્થ લાભદાઈ,
હંસે સર્વે પ્રકારની સુખ વૃદ્ધિ થાય છે; નવ વાહનથી નેટ ભેગે સુખ દુઃખ ભેટ,
લલિત રાખે ચીવટે દુઃખ ઘરે જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org