SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ નાણા ૨૩૧ નાણુ સ્ટેશનથી નાણા ગામ ૧ માઈલ દૂર પશ્ચિમ દિશામાં વસેલું છે. પહાડી જંગલને રસ્તે છે. નાણુ જ્યારે વસ્યું હશે એને ઈતિહાસ મળતું નથી, પરંતુ ગામ બહારના નીલકંઠ મહાદેવના પ્રાચીન મંદિરમાં સં. ૧૨૩૦ અને તે પછીના લેખે સાંપડે છે અને જૈન મંદિરના બારણું ઉપર જમણી બાજુએ કેરેલા અક્ષરે ત્રુટિત વર્ગો સાથે સં. ૧૦૧૭ની સાલ સ્પષ્ટ આ પ્રમાણે બતાવે છે. “વમનિ .માતર []૨૨૭ ” આ ઉપરથી આ ગામ એથીયે ઘણું પ્રાચીન હશે. સૈનની શ્રદ્ધા મજ અહી શ્રીમહાવીર ભગવાનના મંદિર વિતસ્વામી અર્થાત ભગવાનના પ્રતિભાવાળું છે. એટલે એની પ્રાચીનતા અઢી હજાર વર્ષ સુધી લંબાય. અલબત્ત, હજી “જીવિતસ્વામી” ના નામે ઓળખાતી પ્રતિમાઓ વિશે જીવિતસ્વામીની વ્યાખ્યાને જોઈએ તેવે ખુલાસો મળી શકતો નથી. એટલે આ હકીકત ઈતિહાસવિામાં હજી ચર્ચાસ્પદ જ છે. આજે જીર્ણોદ્ધાર સમયે બિરાજમાન કરેલી મૂળનાયકની મૃતિ ઉપર સં. ૧૫૦૫ને શિલાલેખ અડધે તે વંચાય છે. એટલે અત્યારે એ પ્રાચીન મૂર્તિ અહીં નથી એટલું તે સ્પષ્ટ છે. બ્રાહ્મણેના કથન મુજબ આ ગામ બ્રાહાનું હતું. એ સમયે જેનેએ અહીં મંદિર બંધાવ્યું. તે પછી જેને અને બ્રાહ્મણે વચ્ચે વિખવાદ થયે. જેને આ ગામનું પાણી હરામ કરી ઉચાળા ભરી બીજાં ગામમાં રહેવા ચાલ્યા ગયા. એ હકીકતને નિર્દેશ કરતે ગધેયે પેલે અહીં જોવાય છે. પછી સમાધાન થતાં કેટલાક શ્રાવકે અહીં રહેવા આવ્યા. આજે અહીં પોરવાડ શ્રાવકનાં ૧૧૫ ઘરે વિદ્યમાન છે, ૮ ઘર એશવાલ શ્રાવકનાં છે. અહીં ૨ ઉપાશ્રય અને ૨ જૈન ધર્મશાળાઓ છે. શ્રીમહાવીરસ્વામી ભગવાનનું મંદિર ગામના મધ્ય ભાગમાં આવેલું છે. એની વિશાળતા અને ભવ્યતામાં પ્રાચીનતાની છાપ અંકાઈ આવે છે. મૂળ ગભારો, ગૂઢમંડપ, ગૂઢમંડપમાં મૂળગભારાને ફરતી ભમતી, ભમતીમાં દેરીઓ અને ગેખલામાં તીર્થકર મતિઓ બિરાજમાન કરેલી છે. આ ભમતીમાં ચાર કારવાળી એક સમવસરણુસ્થિત ચૌમુખ પ્રતિમાની દેરી છે. પાસેની બીજી દેરી ખાલી છે. શિખર અને ઘૂમટને આકાર ઘણે ઊંચે અને વિસ્તારયુકત હોવાથી ભવ્ય લાગે છે. મૂળનાયક શ્રીમહાવીરસ્વામીની બદામી રંગની અતિસુંદર મતિ રા હાથ ઊંચાઈની છે. ગાદી નીચે આ પ્રમાણે લેખ છે – '" संवत् १५०५ वर्षे माघवदि ९ शनी श्रीनाणकीयगच्छे श्रीमहावीरबिंब प्र० श्रीशांतिसूरिभिः ॥" મૂર્તિની આસપાસ સુંદર પરિકર તેરણયુકત બનેલું છે. તેમાં સુંદર શિલ્પ આકૃતિએ કરેલી છે અને તેની નીચે સં. ૧૫૦૬ નો લેખ છે. મતિ અને પરિકર જીર્ણોદ્ધાર સમયનાં છે, કેમકે અહીંની બીજી મૂર્તિઓ અને નંદીશ્વર પટ્ટ ઉપર સં. ૧૨૦૦ અને તે પછીના લેખે મોજુદ છે. નંદીશ્વરદ્વીપને આરસ ૫ટ્ટ લાક્ષણિક રચનાવાળે છે. તે ૩ * ૩ ફીટને લાંબા-પહોળે છે વચ્ચે સાત દ્વીપ અને ચારે બાજુએ નંદીશ્વરદ્વીપનાં તેર-તેર શિખરબંધી મંદિરે આબેહુબ દેખાવ આપેલ છે. ચારે બાજુએ સમુદ્ર લહેરાઈ રહ્યો હોય અને વચ્ચે ખાલી પડતા ખૂણાઓમાં શ્રાવકેને ભકિતની વિવિધ મુદ્રામાં ચામર, પુષ્પમાલા, વાજિંત્ર વગેરે સામગ્રીયુક્ત બતાવ્યા છે. સૌથી ઉપરના ભાગમાં વચ્ચે મંગળકળશ અને બંને બાજુએ પુષ્પમાલધરની માનવ આકૃતિઓ ઊભી છે. નીચેના બંને ખૂણામાં એક તરફ આ દ્વીપ કરાવનાર શ્રાવક અને બીજી તરફ શ્રાવિકા ચિત્યવંદન કરી રહ્યાં હોય એવે સુંદર દેખાવ શિપીય નમૂનાની પૂર્ણતા બતાવી રહ્યો છે. એની નીચે કેરેલે સં. ૧૨૭૪ ના જ્યેષ્ઠ વદિ મંગળવારને ઘસાઈ ગયેલે પધાત્મક લેખ છે. ભમતીની એક દેરીમાં બે મેટા કાઉસગિયા સરખી આકૃતિના છે પણ ચહેરાને ભાગ ખૂબ ઘસાઈ ગયે છે. ભગવાનના હાથ નીચે ચામરધારી એકેક ઈંદ્ર બંને બાજુએ ઊભા છે. પાસે એકેક શ્રાવક અને શ્રાવિકા બેઠેલાં છે. ૨. “ અબુદાચલ પ્રદક્ષિણા જૈન લેખસંદેહ ” : લેખાંક : ૩૫૧. છે. એજન : લેખાંક: ૩૪૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy