SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ જૈન તીર્થ સર્વસંગ્રહ વળી, જેસલમેરના કિલ્લાના શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરની પ્રશસ્તિ શ્રીદેવતિલકસૂરિએ સં. ૧૫૮૩ માં રચેલી છે. તેમાંથી જણાય છે કે અહીં કેચર નામના શ્રેષ્ઠીએ એક મંદિર બંધાવ્યું હતું. એ પ્રશસ્તિગત ઉલ્લેખને આપણને ઉપયોગી અંશ આ પ્રકારે છે – " उकेशवंशे श्रीशंखवालगोत्रे सं० आंबापुत्र सं० कोचर हुया जिणइ कोरंटइ नगरि अने संखवालीगामइ उत्तुंगतोरण जैनप्रासाद कराव्या xxx जिणइ आपणइ उदारगुणइ आपणा घरनउ सर्वधन लोकने देह कोरंटइ कर्ण नामना लीधी।" અ કણ જેવા દાની શ્રેષ્ઠી કેચરે ચૌદમા-પંદરમા સૈકામાં બંધાવેલા ઉત્તગતરણ મંદિરને આજે પત્તો મેળવી મુશ્કેલ છે. આ પ્રશસ્તિગત ઉલેખ આપણને પ્રાપ્ત થયે ન હેત તે અહીં કે ચરે બંધાવેલું મંદિર હતું એવી હકીકત પણ આપણને જાણવા ન મળત. આવાં તે અનેક મંદિરો અહીંની ભૂમિ ઉપર કાળનિદ્રામાં સૂતાં પડયાં છે; એને ઈતિહાસ શે જાણી શકાય ? અહીં જૈનેતર સ્થાને પણ ઘણાં છે, જે ૧૨ થી ૧૮મી સદી સુધીમાં બનેલાં છે. ૧૧૩. બેડા (કઠા નંબર : ૨૮૧૮) મરીડા સ્ટેશનથી ૩ માઈલ દૂર પૂર્વ દિશામાં બેડા નામનું ગામ છે. આ ગામ “નાબેડા’ના નામે પ્રસિદ્ધ છે. શેડવાડમાં ગણતી નાની પંચતીથીમાંનું આ એક તીર્થ છે. અહીં ૧ મટી જૈન ધર્મશાળા, ૨ ઉપાશ્રય અને જેના પાઠશાળા વગેરે છે. પિરવાડ શ્રાવકેનાં લગભગ ૧૨૫ ઘર છે. ગામમાં શ્રીસંભવનાથ ભગવાનનું બાવન જિનાલયવાળું સૌશિખરી મંદિર વિશાળ છે. મંદિરની રચના અને શિલ્પકારીગરી હૃદયહારિણી છે. આ મંદિર અગિયારમી સદીમાં બન્યું હોય એમ જણાય છે. મૂળનાયકની પ્રતિમા ૧ હાથ ઊચી શ્વેતવણું છે. તેના ઉપર સં. ૧૬૪૫ને લેખ છે. દેવકુલિકાઓની મૂર્તિ ઉપર ૧૭ મી સદીના લેખે છે. જૂના બેડા નયા બેડાથી ૨ માઈલ દૂર પૂર્વ દિશામાં જુના બેડા નામનું ગામ છે. પ્રાચીન સમયમાં આ ગામ જૈનધર્મનું મોટું કેંદ્ર હતું. આજે તો અહીં શ્રાવકનું એક પણ ઘર નથી, જ્યારે શ્રીયાશ્વનાથ ભગવાનનું શિખરબંધી સુંદર મંદિર છે. લોકોમાં મૂળનાયકને “દાદાજી’ના નામે મહિમા ગવાય છે. આ મંદિર પણ વિક્રમની ૧૧ મી સદીમાં બન્યું હોય એમ લાગે છે. ૧૧૪. નાણુ (કેઠા નંબર : ૨૮૨૨ ) નાણા દીયાણા નાદિયા, છવિતસ્વામી વાંદિયા આવી શ્રદ્ધાભરી લેકવાણીમાંથી આ પ્રાચીન તીર્થનું રહસ્ય પ્રગટ થાય છે. આ ગામના નામ ઉપરથી “નાણુકીયગચ્છ” હસ્તિમાં આવ્યો હતો અને નાણકીયગચછના આચાર્યોના લેખે બારમી સદીના તે મળી આવે છે. એટલે એ પહેલાં આ ગ૭ સ્થપાયે હે જાઈએ. ગચ્છની ઉત્પત્તિનું માન જે ગામને મળે ત્યાં એ ગ૭ના આચાર્યોને માનનારા શ્રદ્ધાળુ ભક્ત શ્રાવકેની વસ્તી પણ વિશાળ હોય એવું અનુમાન સતરાં નીકળે છે. ટૂંકમાં આ ગામ અગિયારમી-બારમી સદી જેટલા પ્રાચીન કાળમાં જેની જાહોજલાલીથી ગાજતું સમૃદ્ધ નગર હોવું જોઈએ. અહીંના જૈન મંદિરમાંથી મળી આવતા સં. ૧૦૧૭ થી લઈને સં. ૧૬૫૯ સુધીના શિલાલેખે ઉપર્યુકત અનુમાનને પ્રમાણિત કરી રહ્યા છે. ૧. “ અર્થદાચલ પ્રદક્ષિણા જેન લેખસંદોહ” લેખાંકઃ ૩૪૧ થી ૦૬૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy