SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ જૈન તીર્થ સર્વસંગ્રહ ૧૧૨. કેરા ( કેમ નંબરઃ ૨૮૦૩-૨૦૦૬) એરણપુરા સ્ટેશનથી ૧૨ માઈલ દૂર કેરટા નામે પુરાણું ગામ છે. આજે એક નાના ગામડામાં પરિવર્તન પામેલું આ ગામ પ્રાચીન કાળમાં વિશાળ નગર હતું, એમ પ્રાચીન ગ્રંથના ઉલ્લેખે અને અહીં પડેલાં હજારે ધ્વસાવશેથી સમજાય છે. આ ગામના નામે પ્રસિદ્ધિ પામેલા “કેટકગચ્છ”ના કારણે અહીં જેનેની બહુલતા અને પ્રબળતા હશે એવું અનુમાન નીકળે છે. શ્રીરત્નપ્રભસૂરિજીએ વીર નિર્વાણ સં૦ ૭૦માં અહીંના શ્રી મહાવીર જિનાલયની પ્રતિષ્ઠા કરાવી હતી, એ ઉલ્લેખ ચૌદમા સૈકાના ગ્રંથમાંથી મળી આવે છે, જેને નિર્દેશ આગળ કરવામાં આવશે. શ્રીધર્મસાગરીય “તપાગચ૭૫દ્રાવલી ”થી જણાય છે કે, ભગવાન મહાવીરની માટે થયેલા ૧૭મા ગુરુ શ્રીવૃદ્ધદેવસૂરિએ વી. નિ. સં. ૧૫ (વિ. સં. ૧૨૫)માં નાહડ મંત્રીએ કરાવેલા જિનમંદિરમાં પ્રતિષ્ઠા કરી હતી. સં. ૧૦૮૧ લગભગમાં પરમહંત કવીશ્વર શ્રીધનપાલે રચેલા “સત્યપુરીય મહાવીર ઉત્સાહ” નામના સ્તોત્રમાં આ ગામને ઉલેખ આ પ્રકારે કરેલ છે – શેરિટ લિરિક્ષાઢ ધાર સાદુ નરાળ૩ ” આ પ્રથમ ચરણમાં જ કરંટ તીર્થને નિર્દેશ છે. આથી આ ગામ સં. ૧૦૮૧ થીયે પ્રાચીન અને તીર્થ તરીકે પ્રસિદ્ધ હોવું જોઈએ. પંદરમા સૈકાના યાત્રી કવિ મેહ પિતાની “તીર્થમાળા”માં “કેરટ પંન્યાસ કવિ શીતવિજયજી વીર કોરિટિ માલ' અને અઢારમા સૈકાના શ્રી જ્ઞાનવિમલસૂરિ “ કેટઈ જીવિતસ્વામી વીર આ પ્રમાણે બીજાં તીર્થોની સાથે જ આનું જીવિતસ્વામી મહાવીરના તીર્થ તરીકે સ્મરણ કરે છે; આથી સમજાય છે કે ૧૧મીથી ૧૮ મી સદી સુધી આ તીર્થની યાત્રાથે જૈન સંધ આવ્યા કરતે હતે. ગામને અડીને એક નાની પણ વિકટ પહાડી પર અનંતરામ સાંકલાએ પોતાના શાસનકાળમાં પાકે કિલ્લે બંધાવ્યું છે, જે ધેલાગઢ' નામે ઓળખાતું. આજે આ ગઢ તૂટેલી હાલતમાં પડેલો છે, શિખરના મધ્યભાગમાં એક માતાનું મંદિર અને ગુફા પણ છે. . ૧. અહી ચાર વિશાળ જૈન મંદિરે ઊભેલાં મોજુદ છે, તે પૈકી સૌથી પ્રાચીન મંદિર કેરટાથી ના માઈલ દૂર નહરવા” નામક સ્થાનમાં આવેલું છે. ચારે તરફ બાંધેલા પાકા કેટમાં મૂળગભારે, ગૂઢમંડપ, સભામંડપ, શૃંગારકી અને શિખર વગેરેની રચનાવાળું સુભગ ને ભવ્ય મંદિર છે. તેમાં મૂળનાયક શ્રીમહાવીરસ્વામી ભગવાનની પ્રતિમા પ્રતિષ્ઠિત છે, અંદરની એાસરીમાં એક મજબૂત ભેંયરું બનેલું છે. સં. ૧૩૭૧માં રચાયેલા ઉપકેશગચચરિત્ર'માં આ મંદિરના પ્રતિષ્ઠાપક આચાર્ય વિશે આ પ્રકારે ઉલ્લેખ મળે છે:-- " सप्तत्या वत्सराणां चरमजिनपतेमुक्त जातस्य वर्षे, पश्चम्यां शुकृपक्षे सुरगुरुदिवसे ब्रह्मणः सन्मुहर्ते । रत्नाचार्यः सकलगुणयतैः सर्वसंघानज्ञातैः. श्रीमद्वीरस्य बिम्बे भवशतमथने निर्मितेयं प्रतिष्ठा । उपकेशे च कोरण्टे, तुल्यं श्रीवीरबिम्बयोः । प्रतिष्ठा निर्मिता शक्त्या, श्रीरत्नप्रभसूरिभिः ॥" આ ઉલ્લેખ ઉપરથી જણાય છે કે, શ્રીરત્નપ્રભસૂરીશ્વરે વીર નિર્વાણના ૭૦ વર્ષો વીત્યા પછી..માસની સુદિ ૫ ને ગુરુવારના દિવસે બ્રાહ્મમુહૂર્તમાં શ્રી મહાવીર ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા એસિયા અને કેરટ નગરમાં એક જ દિવસે કરી. આ હકીકત આ૫ણને આ મંદિર ૨૪૦૦ વર્ષ પહેલાંનું પ્રાચીન હોવાનું જણાવે છે. શ્રીરત્નપ્રભસૂરિએ પ્રતિષ્ઠિત કરેલી મૂર્તિ આજે આ મંદિરમાં નથી. કેઈ કારણવશાત એ લુપ્ત થતાં સં. ૧૭૨૮માં શ્રીવિજયપ્રભસૂરિના શાસનકાળમાં શ્રી જયવિજયગણિના ઉપદેશથી બીજી મહાવીર ભગવાનની પ્રતિમા સ્થાપન કરવામાં આવી એ પુરાવો અહીંના સભામંડપના થાંભલાના એક લેખ પરથી મળે છે. એ લેખ આ પ્રકારે છે: " संवत् १७२८ वर्षे श्रावण सुदि १ दिने भट्टारकश्रीविजयप्रभसूरीश्वरराज्ये श्रीकोरटानगरे पंडितश्री ५. श्रीश्रीजयविजयगणिना उपदेशथी मु. जेतापुरासिंघभार्या मु. महारायसिंग भा० सं० बीका सांबरदास को० उधरणा मु० जेसंग सा० गांगदास सा० लाधा सा० Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy