SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ રાણકપુર ૨૧૫ અનેક પ્રકારના ઊંચા મંડપ બનાવ્યા. અનેક પ્રકારની નકશીવાળી પૂતળીઓથી સુશોભિત મંદિરને જોઈ લેકેનાં ચિત્ત આશ્ચર્યમગ્ન બની ગયાં. એ મંદિરની ચારે બાજુએ ચાર ઉજજવળ ભદ્રપ્રાસાદે બનાવ્યા. આમ નંદીશ્વર દ્વીપના. અવતારસમું અને ત્રણે લોકમાં દેદીપ્યમાન લાગતું હોવાથી તેનું નામ “શૈલેશ્વદીપક' રાખવામાં આવ્યું. આમાં પશ્ચિમ દિશાના દ્વારે અત્યંત સુંદર મંડપ છે. ત્યાં હમેશાં નાટક-ઓચ્છવ થયા કરે છે. ઉત્તર દિશાના દ્વારે શ્રીસંઘ અને ભેજક-ભાટ બેસીને કલરવ કર્યા કરે છે. પૂર્વ દિશાના દ્વારે સામે જ ઊચા વિધ્યગિરિની ભીંત છે, એ તરફ લેકેને વાસ છે, તેથી પ્રભાતે ઊઠીને તેઓ શ્રી આદિનાથ પ્રભુને પ્રણામ કરી પૂજા–સેવા કરે છે. દક્ષિણ દિશાનું દ્વાર અત્યંત વિશાળ છે, અને તે તરફ પૌષધશાળા છે. ચારે દરવાજે ચાર બિબે છે. એ ચોમુખી દેવળ ઉપર ચાર શિખરે છે અને ત્રણ ભૂમિકા (માળ)નાં મળીને કુલ ૧૨ શિખરો શેભી રહ્યાં છે. તેમાં સુવર્ણના દંડ-કલશે તે ત્રણે ભુવનને મેહ પમાડે એવા છે. દેવછંદ, સાત મંદિરમાં ચાર ચાર જિનેશ્વરે, વીશ વિહરમાન જિન અને ચોવીશે તીર્થકરોનાં મળી ૭૨ જિનાલયે છે, અને ફરતાં ચારે બાજુએ બિબેને પાર નથી. વિવિધ પ્રકારની અનેક પૂતળીઓ અને ઝીણા કેતરકામથી આ મંદિર આબુના બીજા અવતારસમું લાગે છે. તેણે અને થાંભલાઓ તે એટલા બધા છે કે તે ગણાવી શકાય એમ નથી.” છેવટે અત્યંત ઉલાસમાં આવી જઈ કવિ ઉસ્પેક્ષા કરતાં કહી દે છે. “જાણે નંદીશ્વરને અવતાર જ ધરણવિહાર રૂપે ન થયું હોય !” અઢારમા સૈકાના યાત્રી શ્રીજ્ઞાનવિમલસૂરિ પિતાના “રાણકપુર તીર્થ સ્તવનમાં કહે છે: “નલિની ગુમ વિમાનની માંડણવાળું આ મંદિર બહુ ઊંચું છે. પાંચ મેરુ, ચારે તરફ મોટો ગઢ, બ્રહ્માંડના જેવી બાંધણી, ૮૪ દેરીઓ, ચારે તરફ ચાર પિળ, ૧૪૨૪ થાંભલા, એકેક દિશામાં બત્રીસ-બત્રીશ તેરણો, ચારે દિશાએ ૪ વિશાળ રંગમંડપ, સહસ્ત્ર કટ. અષ્ટાપદ, ૯ ભેંયરાં અને અનેક જિનબિંબ, રાયણની નીચે પાદુકા, અબદમૃતિ વગેરે યુક્ત ત્રણ માળનું આ મંદિર છે. અહીં ૩૪૦૦૦ જિન પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવામાં આવી છે.” શ્રીસમયસુંદર ઉપાધ્યાય સં. ૧૭૧૫ માં રચેલા એક સ્તવનમાં જણાવ્યું છે કે, “ગેલેક્યદીપક મંદિરમાં ૭૨ દેવાલય, ૧ અષ્ટાપદ શિખર, ૧ શત્રુંજય શિખર, ૨૪ મંડપ, ૧૦૦ તરણે, ૨૦૦૦ સ્તંભે જેના ઉપર નાટક કરતી પપર પૂતળીઓ અને કુલ ૪૦૦૦ પ્રતિમાઓ વિરાજમાન છે. પંચતીથી, સમવસરણ અને નંદીશ્વર દ્વીપની પણ સાંગોપાંગ રચનાઓ નિર્માણ કરેલી છે.” મતલબ કે, આવું ભવ્ય દેવમંદિર બંધાવતાં ઘણાં વર્ષો લાગ્યાં હશે એમાં શંકા નથી, અને હજારે કારીગર તેમ જ મજૂરેથી આ ગામ વસી ગયું હશે અને બીજા વર્ણના લેકે પણ વેપાર-ધંધાથે અહીં આવી વસ્યા હશે. પંદરમી સદીના અંતમાં રાણકપુર ઘણું આબાદ અને સમૃદ્ધ નગર બની ચૂક્યું હતું. એ સમયે માત્ર જેનેનાં જ ૧૦૦૦ ઘરે વિદ્યમાન હતાં. ઉપર્યુક્ત મેહ કવિએ સં. ૧૪૯૯ ની આસપાસ રચેલા “રાણિગપુર ચતુર્મુખ પ્રાસાદ સ્તવન'માં તેશ જાતમાહિતીનું વર્ણન કરતાં કહે છે: “રાણકપુર જઈને અત્યંત ઉલ્લાસ અને સંતોષ થાય છે. આ નગર અણહિલપુર પાટણ જેવું છે, તેના ગઢ, મંદિર અને પિળે અત્યંત સુંદર છે. વચ્ચે સરિતાનાં સલિલ વહે છે. ત્યાં કુવા, વાવ, વાડી, હાટ અને જિનમંદિર ઘણાં છે. તેમાં અઢાર વર્ણના લેકે, લક્ષમીવંત વેપારીઓ અને પુણ્યશાળી નવીઓ વસે છે. તેમાં યશસ્વી દાનીશ્વર ધરણિંદ (ધરણુ) નામને સંઘવી મુખ્ય છે. તે જિનમંદિરને ઉદ્ધારક છે. તેની પુણ્યાત્મા માતા કમલદે છે જે રત્નસિંહ અને ધરણિદ નામના નરરત્નને જન્મ આપી ધન્ય! ધન્ય! ગવાય છે. ” આ વર્ણન ઉપરથી રાણકપુરની પુરાતન સમૃદ્ધિને હૂબહૂ ખ્યાલ આવી રહે છે. વળી, એ જ કવિએ રચેલી તીથમાળા’ મુજબ અહીં ૭ જિનમંદિરે હતાં, જ્યારે અઢારમા સૈકાના યાત્રીઓ-શ્રીજ્ઞાનવિમલસૂરિ અને પં. મહિમાએ અહી ૫ જિનમંદિર હોવાની નોંધ પિતાની “તીર્થમાળામાં કરી છે. પણ આજે તે માત્ર ૩ જિનમંદિરે, યાત્રાળુઓ ટેની ૨ ધર્મશાળાઓ અને ૧ ઉપાશ્રય સિવાય આખું યે ગામ સૂનું પડયું છે. ટેકરીઓ ઉપર પડેલાં કેટલાંયે હિયારે એના ભૂતકાળની ઝાંખી કરાવી રહ્યાં છે. અહીંથી વસ્તી કેમ ઘટવા પામી અને ૩ સિવાયનાં બાકીનાં મંદિરે દવા કયારે થયાં એ સંબધે જાણવાજોગ ઈતિહાસ મળતું નથી. કહે છે કે, ઓરંગઝેબના આક્રમણથી આ સંદર નગારનો ભંગ થયો અને અવારનવાર પડતા દુષ્કાળના કારણે વસ્તી ઉચાળા ભરી ગઈ. Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy