SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ જૈન તીર્થ સર્વસંગ્રહ ૧૦ ૦. બાલી ( કે નંબર : ૨૬૬૧-૨૬૬૮ ) ફાલના સ્ટેશનથી ૪ માઈલ દૂર બાલી નામે મોટું કઆતી ગામ આબાદ છે. ઉદયપુર મહારાણાની પટરાણું બાલી કુંવરીના નામે આ ગામ વસાવેલું છે. એમ પણ કહેવાય છે કે, બાલી નામની ચેધરાણીએ અહીં પ્રથમ વાસ કર્યો તેથી આનું નામ ‘બાલી' પડયું. પહેલાં અહીં ચૌહાણ રાજાઓને અધિકાર હતે. પછી લેરના સેનગરા સરદારો અને તે પછી મેવાડના રાણાઓના અધિકારમાં આ ગામ હતું. તે પછી મારવાડના અધિકાર નીચે આવ્યું. વિસં. ૧૮૨૬ થી ૧૮૩૩ સુધીમાં અહીં પશ્ચિમ તરફ નાને કિલે બંધાવેલ છે. આ બધી હકીકત ઉપરથી આ ગામ પ્રાચીન જણાય છે. આજે અહીં તાંબર જૈનેનાં ૫૪૦ ઘરમાં ૨૦૦૦ જેનેની વસ્તી છે. ૯ ઉપાશ્રય અને ૩ જૈન મંદિરે વિદ્યમાન છે. બજારમાં શિખરબંધી મંદિર શ્રી આદીશ્વર ભગવાનનું છે. મૂળનાયકની તવણી પ્રતિમા ૧ હાથપ્રમાણુની છે. તેની શ્રીહીરવિજયસૂરિએ પ્રતિષ્ઠા કરેલી છે. પહેલાં મૂળનાયક શ્રી શાંતિનાથ પ્રભુ બિરાજમાન હતા પરંતુ કે કારણવશાત્ એ મૂર્તિને સ્થાને શ્રી આદીશ્વર પ્રભુ બિરાજમાન કરેલા છે. એ સમયે આ મંદિરને જીર્ણોદ્ધાર થયેલ છે પણ મંદિર તે પ્રાચીન છે. લકવાયકા પ્રમાણે આ મંદિર ગંધર્વસેન રાજાએ બંધાવેલું છે. એ હિસાબે લગભગ ૨૦૦૦ વર્ષ પહેલાં બન્યું એમ કહેવાય પરંતુ એની એટલી પ્રાચીનતા સંબંધે કશું જાણવા મળતું નથી. લગભગ ૩૫ વર્ષ પહેલાં આ મંદિરની જમીન ખેદતાં સેનાના સિક્કાઓ જડી આવ્યા હતા. ૨. બીજું શિખરબંધી મંદિર શ્રી પાર્શ્વનાથ ભગવાનનું છે. આમાં કાચનું સુંદર જડાવ કામ કરેલું છે. મૂળનાયકની પ્રતિમા ૧ હાથપ્રમાણુની છે. તેના પરિકર ઉપર સં. ૧૧દરને પ્રાચીન લેખ છે. આ મંદિર વિ. સં. ૧૮૨૦માં ઓશવાલ શેઠ ગાભાજી અને ટાજીએ મળીને બંધાવેલું છે. કેટલાકના કથન મુજબ અહીં કિલે બંધાવવામાં આવ્યું તેની સાથેસાથ આ મંદિર પણ બંધાવવામાં આવ્યું. મૂળનાયકની પ્રતિમા બાલીથી ૨ માઈલ દૂર આવેલા સેલા ગામના તળાવમાંથી નીકળી આવી હતી. ત્યાંથી લાવીને આ મંદિરમાં પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. આ પ્રતિમાના પ્રતિષ્ઠાકાર ખંડેરકગચછીય આચાર્ય શ્રીયશોભદ્રસૂરિ હોય એમ જણાય છે. ૩. ત્રીજું શ્રીધર્મનાથ ભગવાનનું શિખરબંધી મંદિર પતિજીના ઉપાશ્રયમાં આવેલું છે. યતિવર્ય શ્રીવિવેકસાગરજીએ સં. ૧૯૫૦માં બંધાવેલું છે. ૧૦૧. હથુંડી–રાતા મહાવીર (કોઠા નંબર: ર૬૭૦) એરણપુરા રેડ સ્ટેશનથી પૂર્વ દિશામાં ૯ માઈલ, વીજાપુરથી ૨ માઈલ અને હથુડીથી ૧ માઈલ દર સાવ નિર્જન જંગલમાં આવેલા પહાડમાં એક દેવવિમાન જેવું જૈન મંદિર શોભી રહ્યું છે. એ મંદિર “રાતા મહાવીરના નામે ઓળખાય છે. પાસે કઈ વસ્તી નથી પણ એ ભૂમિ ઉપર પથરાયેલાં ખંડિયેરે અને સ્થાપત્યના અવશેના ચિહ્નો એની ભૂતકાલીન સ્થિતિનું ભાન કરાવી રહ્યાં છે. આજે તે આસપાસ પથરાયેલી કુદરતી રચનામાં સંવાદ સાધતી આ માનવરચનાનું નિરાળું વ્યક્તિત્વ અહીંની ભૂમિ ઉપર જાણે અજબ કાબૂ ધરાવી રહ્યું હોય એમ તરત ભાસે છે. પહાડની મોટી મોટી બે ટેકરીઓથી ઘેરાયેલી વચલી એક નાની ટેકરી ઉપર મહાવીરસ્વામી ભગવાનનું વંદનીય મંદિર દૂરથી નજરે પડે છે. આ મંદિર ૭૫-૮૦ ફીટ લાંબા અને ૫૦-૬૦ ફીટ પહોળા કેટથી ઘેરાયેલું છે. આ કેટને ચારે તરફ ઊંચી દીવાલે અને બે તરફ બે મેટા દરવાજાઓ છે. કેટના વિશાળ દરવાજાની બહાર બેસી શકાય એવા એટલા બંને તરફ બાંધેલા છે. વચ્ચે આવેલું ચિત્ય તદ્દન સાદું છે. તેમાં કેરણી જેવું કશું જણાતું નથી. મૂળગભારે, સભામંડપ અને તેના ઉપર એક નાના સરખા ઘૂમટની રચનાવાળું છે. એકંદરે ખૂબ જીર્ણ થયેલું આ પ્રાચીન મંદિર વર્ષોના વરસાદ અને વાવાઝોડાને સામને કરતું આજ સુધી ટકી રહ્યું છે, એ એક સદ્દભાગ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy