SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ કાપરડા બધાને જમી લેવા જણાવ્યું પરંતુ સાથેના માણસને ૫ ન થયે. ગામમાં શોધ કરતાં એક જૈન યતિજી પાસે મૂર્તિ હોવાની ભાળ મળી. ભંડારી યતિજી પાસે દર્શનાર્થે આવ્યા. તેમણે યતિજીને રાજાની બધી વાત નિવેદન કરી. નિમિત્તશાસ્ત્રના જાણકાર યતિજીએ કહ્યું: “તમને કશી આંચ નહિ આવે, તમે નિર્દોષ છે.” અને બન્યું પણ એમ જ, ભંડારીજી નિર્દોષ ઠર્યા એટલું જ નહિ, રાજવીને તેમના ઉપર બમણું માન ઉપર્યું. બીજી તરફ ભંડારીજીની તિજી ઉપર શ્રદ્ધા વધી ગઈ. તેઓ પાછા ફરતાં યતિજીને મળ્યા. યતિએ આ ખુશાલીના બદલામાં કાપરડામાં એક જિનમંદિર બંધાવવા જણાવ્યું અને ભંડારીજીએ યતિજીની મદદથી અહીં જે મંદિર બંધાવ્યું તે આજ સુધી તીર્થધામ બની રહ્યું છે.” “ઐતિહાસિક રાસસંગ્રહ” ભા. ૩ માં શ્રીદયારત્ન મુનિએ સં. ૧૬૫ માં રચેલ “શ્રીકાપડહેડા-રાસ”માં ઉપર્યુક્ત હકીક્ત નથી આપી પરંતુ આ મંદિરના બંધાવનાર શેઠ ભાણજી ભંડારી અને તેમના પુત્ર નારાયણ વિશેની હકીકત આલેખી છે. તેમાં જણાવ્યું છે કે, “શ્રીજિનચંદ્રસૂરિને કાપડહેડામાં ત્રણ બાવળની તળેટીમાં ત્રણ વાંસ ભૂમિની નીચે શ્રીપાર્શ્વ નાથની પ્રતિમા હોવાની ભાળ મળી. તેમણે સં. ૧૬૭૪ ના પિષ વદિ ૧૦ ના દિવસે આ મૂર્તિ પ્રગટ કરાવી ભાણ ભંડારીને અહીં મંદિર બંધાવવા ઉપદેશ આપ્યા. કવિ કહે છે – “ભાને છાને નહી ભુવણિ અદભુત દાન ધનદ અહિનાણુ કિ.) પછી તો શું જોઈએ? દાનવીરને તે માત્ર ઈશારે જ બસ હતે. થોડા સમયમાં મંદિર તૈયાર થતાં તેની પ્રતિષ્ઠા કરાવી એ વિશે કવિ નેંધે છે કે – સંવત સોલે ચિત્તરે સુદિ હુતિય મગરિ તિમ માસ કિ, પુની વદી તે દેહરે ભાગબલી ભાંને મંડિયે એસ કિ. સેલસહસય છિડુત્તર સમ પદમણિલા તણે પ્રારંભ કિ; પીઠે બઠા પાસજી ઈણ મુહુરત. પણ અચંભ કિ.” અહીં ચાર માળનું મંદિર ઊભું છે. નીચે ભેંયરું પણ છે. મંદિરમાં પાંચ ખંડે અને ચાર મંડપની રચનાથી એની વિશાળતા અને ઊંચાઈ અસાધારણ લાગે છે. સમતલ ભૂમિથી ૯૮ ફીટની ઊંચાઈ છે અને વિસ્તારમાં તારંગાના મંદિર કરતાં વધારે છે. એને ફરતી વિશાળ ધર્મશાળા છે. અમદાવાદનિવાસી શેઠ માણેકલાલ મનસુખભાઈએ બંધાવી છે. પાંચ માઈલ દૂરથી આ મંદિરનું શિખર દેખાય છે. ત્રણે માળમાં ચૌમુખજીની સ્થાપના છે. મૂળનાયકની મૂતિ નીચે આ પ્રમાણે લેખ છે__“ संवत् १६७८ वर्षे वैशाखसित १५ तिथौ सोमवारे स्वातौं महाराजाधिराजमहाराजश्रीगजसिंहविजयराज्ये उकेशवंशे रायलाखणसंताने भंडारोगोत्रे अमरापुत्रमानाकेन भार्याभक्तादेः पुत्ररत्न नारायण नरसिंह सोढा पौत्र ताराचंद खंगार नेमिदासादिपरिवारसहितेन શ્રી સ્વયંમ્પાર્શ્વનાથત્યે શ્રીપાર્શ્વનાથ .... ” આ પ્રતિમાના પરિકર નીચેની ગાદી ઉપર આ લેખ વંચાય છે – " संवत् १६८८ वर्षे श्रीकापडहेडा स्वयंभूपाश्वनाथस्य परिकरः कारितः प्रतिष्ठितः श्रीजिनचंद्रसूरिभिः ॥" પહેલા માળના ચૌમુખજીમાં ઉત્તરસન્મુખ મૂળનાયક શ્રીસ્વયંભૂ પાર્શ્વનાથ, પૂર્વમાં શ્રીશાંતિનાથ, દક્ષિણમાં શ્રીઅભિનંદન અને પશ્ચિમમાં શ્રીમુનિસુવ્રતસ્વામીની પ્રતિમાઓ છે. બીજા માળે ચડવાની નિસરણનાં પગથિયાં એક જ માણસ ચડી-ઊતરી શકે એવાં ૧ x 9 ફૂટ લાંબા-પહેલાં છે. માળને મંડપ પીશેક માણસ બેસે એવડે છે. શ્રીરાષભદેવ, શ્રીઅરનાથ, શ્રી મહાવીરસ્વામી, અને શ્રી નેમિનાથની ચૌમુખ પ્રતિમાઓ છે. તેમાં ત્રીજા માળમાં શ્રીનમિનાથ, શ્રી અનંતનાથ, શ્રીનેમિનાથ અને શ્રી મુનિસુવ્રતસ્વામી, શ્રી શીતળનાથ અને શ્રી પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન છે. શ્રી શાંતિનાથ ભગવાનની એક પ્રતિમા પ્રાચીન જણાય છે. અને છેલ્લે જીર્ણોદ્ધાર આચાર્ય શ્રીવિજયનેમિસૂરિજીએ સં. ૧૯૭૫ માં કરાવ્યું છે. મંદિરના ચોથા માળેથી જોતાં આસપાસની ભૂમિ ઉપર પથરાયેલાં સેંકડો અવશેષો નજરે Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy