SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ એશિયા ૧૩ ૮૩. એશિયા (કઠા નંબર : ૨૦૮૯) એશિયા સ્ટેશનથી ૧ માઈલ દૂર એશિયા નામે ગામ વસેલું છે. પ્રાચીન સમયમાં એશિયા મારવાડની રાજધાની આ ગામની આસપાસ આવેલાં લેહાવટ, તિવરી વગેરે ગામો એ પ્રાચીન નગરના મહોલાઓ હતા, એમ કહેવાય છે. આ ઉપરથી આ નગરને પ્રાચીન વિસ્તાર અને સમૃદ્ધિને ખ્યાલ કરી શકાય તેમ છે. લકવાયકા મુજબ શ્રીમાલનગરના રાજા પુજના નાના ભાઈ ઉપલદેવ અને મંત્રી ઊડે આ નગર વસાવ્યું હતું. એસવાળી જમીન હોવાથી તેનું નામ ઉએસ(ઉપકેશ)પુર રાખવામાં આવ્યું. “ઉપકેશગ૭ પટ્ટાવલી થી જણાય છે કે, વીર નિસં. ૭૦ (વિ. સં. પૂર્વે ૪૦૦)માં શ્રી પાર્શ્વનાથ સંતાનીય શ્રીરત્નપ્રભસૂરિએ અહીં રાજા સાથે અનેક ક્ષત્રિયોને પ્રતિબોધ કરી ઉપકેશનગરમાં જેન બનાવ્યા તેથી એ બધા “ઓશવાલ” નામે ઓળખાયા. એટલે ઓશવાલ જ્ઞાતિની ઉત્પત્તિનું આ મુખ્ય નગર છે એમાં શંકા નથી. રાજા ઉપલદેવ અને મંત્રી ઊડે અહીં શ્રીમહાવીરસ્વામી ભગવાનનું વિશાળ મંદિર બંધાવી તેની પ્રતિષ્ઠા શ્રીરત્નપ્રભસૂરિ પાસે કરાવી હતી. “ઉપકેશગચ્છ પટ્ટાવલીમાં જણાવ્યું છે કે— "सप्तत्या वत्सराणां चरमजिनपतेर्मुक्तजातस्य वर्षे, पञ्चम्यां शुक्लपक्षे सुरगुरुदिवसे ब्रह्मणः सन्मुहू। रत्नाचार्यैः सकलगुणयुतैः सर्वसंधानुज्ञातैः, श्रीमद्वीरस्य बिम्बे भवशतमथने निर्मितेयं प्रतिष्ठा । उपकेशे च कोरण्टे, तुल्यं श्रीवीरबिम्बयोः । प्रतिष्ठा निर्मिता शक्तया, श्रीरत्नप्रभसूरिभिः ॥"" આ ઉલ્લેખથી મનાય છે કે, શ્રીરત્નપ્રભસૂરિએ વીર નિર્વાણ સં. ૭૦ માં ઉપકેશપુર અને કેરંટમાં શ્રીવીર ભગવાનના બિંબની પ્રતિષ્ઠા કરી હતી. શ્રીહીરઉદયના શિષ્ય શ્રીનયપ્રદે સં. ૧૭૧૨માં રચેલા એક અપ્રસિદ્ધ “ એસિયા વીર સ્તવન”માં જણાવ્યું છે કે એશિયાના વીરમંદિરની પ્રતિમા મૂળે શ્રીસંપ્રતિ રાજાએ વેળુની બનાવીને તેનું પૂજન કર્યા પછી આશાતનાના ભચે જમીનમાં ભંડારી દીધી હતી. તે મતિ ૧૧૬૪ વર્ષ સુધી જમીનમાં રહી. પછી ઊડે જ્યારે એશિયા નગર વસાવ્યું અને શ્રીરત્નપ્રભસૂરિએ ઊહડના પુત્રને કઈ સંકટમાંથી ઉગારતાં ઊડડવંશ અને આખુંયે નગર જેનધમી બન્યું ત્યારે એ મૂર્તિ જમીનમાંથી નીકળી આવી. એ સમયે મૂતિને મહાદેવના દેરામાં પધરાવવામાં આવી. પછી એક મોટું મંદિર બંધાવી વિ. સં. ૧૦૧૭ના મહાવદિ ૮ના દિવસે એ મૂર્તિને તેમાં પ્રતિષ્ઠિત કરવામાં આવી. સં. ૧૭૧રમાં રચના કરનાર કવિ કહે છે કે, ૧૭૫૯ વર્ષની આ છરણ–જની વીર પ્રભુની પ્રતિમાને જોતાં આનંદ થાય છે. એક બીજા “એ સવાલ ઉત્પત્તિ' શીર્ષક હસ્તલિખિત પત્રમાં જણાવ્યું છે – "xx ऊहड ओसियां वसाइ। संवत् १०११ दसै इग्यारोत्तरै ओसीया माता सुप्रसन्न थई ओसवंसनी थापना कीधी । सं० १०१७ तरै श्रीवीरप्रासाद ओहडसा कराव्यो, ते आज वर्तमानकालै तीर्थ छई। देहरानी प्रसस्तमाहिसु विस्तर लिख्यो छइ । धर्मराजसूरि भट्टारकना प्रतिबोध्या इति शेट ५॥" ઉપરના સ્તવનમાં અને આ બીજા જૂના પાનાના ઉલ્લેખથી જણાય છે કે, વિ. સં. ૧૦૧૭માં અહીં મહાવીર ભગવાનનું મંદિર બન્યું, એ હકીકત એકસરખી મળે છે. પ્રથમના ઉલ્લેખમાં પ્રતિમાને સંપ્રતિકાલીન બતાવી છે એટલી વિશેષતા છે પરંતુ એશિયા કયારે વસ્યું એની સાલ આપી નથી. બંને ઉલેખેથી જણાઈ આવે છે કે, લગભગ એ સમયમાં જ એશિયાનગર વસ્યું. આ હકીક્તને મૂતા નેણસી પિતાની “નેણસીરી ખ્યાતમાં આ રીતે અનુસરતાં કહે છે – "ऊपरलाई किराडू छोड ओसिया वासियो, सचियाय प्रसन्न हुई, माल बतायो, ओसियामें देहरो कराव्यो॥" ૧. શ્રીકસૂરિએ વિ. સં. ૧૩૯૩માં રચેલા “નભિનંદન જિનહાર પ્રબંધ” પ્રસ્તાવઃ ૨. ગ્લૅકઃ ૧૮૫-૧૮૭માં પણ આ જ હકીકત રીતે ઉલેખી છે. Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy