SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ જૈન તીર્થ સર્વસંગ્રહ ૪-૫. શ્રી શાંતિનાથ ભગવાન અને શ્રીઅષ્ટાપદનું મંદિર -આ મંદિરે ઉપર નીચે એક જ મંદિરમાં આવેલાં છે. અને મંદિરે સંખવાલેચાગેત્રના એશવાલ શેઠ ખેતા અને ચોપડાગેત્રીય એશવાલ શેઠ પાંગાએ બંધાવેલાં છે.૧૩ તેની સં. ૧૫૩૬માં શ્રીજિનચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી છે.૧૪ શ્રીમદ્ધજે સં. ૧૫૫૦માં રચેલા એક અપ્રસિદ્ધ સ્તવનમાં આ મંદિરના નિર્માતાઓ વિશે આ પ્રકારે ઉલ્લેખ આપે છે – “જિનભવણ તણુઉ સાંજલિ પ્રભાવ, લાખણ ખેતા મનિ હુયઉ ઉછાહુ, પ્રાસાદ મંડવિયઉ ભલઈ ઠમિ, પુણયે ન જાણુઉ એણિ કામિ; અષ્ટાપદુ તીરથ કિયેઉ વિશાલ, સિરિ શાંતિ કુંથુ બહુ બિંબ માલ. ” ઉપરના મંદિરના મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની સમવસરણની આકૃતિમાં બિરાજમાન ધાતુની પંચતીથી મતિ સં. ૧૫૩ના લેખવાળી છે. તે લેખ દબાયેલું હોવાથી આટલે જ વાંચી શકાય છે - હં. ૧૨૬ વર્ષે 10 g૦ [૨] વિને શ્રીરાંતિનાથઃ ” મૂળનાયક સિવાય ત્રણે દિશામાં ત્રણ મૂર્તિઓ એ જ સમવસરણમાં પધરાવેલી છે. સમવસરણની શિલ૫રચના મનહર અને નમૂનેદાર છે. તેના ઉપર શિખર છે અને શિખરના ઉપરના ભાગના ઘૂમટની છતમાં વાદ્યો સાથે અભિનય કરતી બાર અપ્સરાઓનાં સ્વરૂપ આલેખ્યાં છે. અપ્સરાઓની નીચે એકેક ગંધર્વની રજૂઆત પણ કરૅલી છે ગભારાની બહાર ડાબા હાથે પીળા પાષાણના સત્તરિય પટ્ટ ઉપર સં. ૧૫૩૬ને લેખ કતરેલે છે. પીળા પાષાણની બે કાઉસગિયા મૂર્તિઓ પણ સુંદર છે. આરસની બે શિલ્પનર્તકીઓની બાજુમાં મંદિર બંધાવ્યા સંબંધી પ્રશસ્તિ ઉત્કીર્ણ છે. આ નર્તકીઓની શિ૫રચના કળાના ઉત્તમ પ્રતીકેમાં ગણાય છે. રંગમંડપમાં પીળા પાષાણના હાથી ઉપર બેઠેલી શેઠ-શેઠાણીની ધાતુમતિઓ છે. મંદિરના બંધાવનાર શેઠ નેતા અને તેની પત્ની સરસ્વતીની આ મૂર્તિઓ છે. તેમાંની એક શ્રાવક મૂર્તિ ઉપર આ પ્રમાણે લેખ વંચાય છે – "संवत् १५९० वर्षे पोष बदि ३ दिने श्रीआदिनाथ प्रतिमा सेवक..." આ મૂર્તિએ તેના પુત્ર સંઘવી વિદાએ સ્થાપના કરી હતી. સં. વિદાએ આ મંદિરમાં ઘણું કાર્ય કરાવ્યું હતું, એમ પ્રશસ્તિથી જાણવામાં આવે છે. મંદિરની ભમતીમાં શત્રુજયાવતાર અને ગિરનારાવતારના બે સુંદર પટ્ટો છે ને તેના ઉપર સં. ૧૫૮૫ના લેખે કતરેલા છે.૧૫ મંદિરના મડવરમાં કતરેલાં શિલ્પ ઉત્તમ કોટિનાં છે. તેમાં તીર્થકર મૂર્તિઓ અને મુનિરાજોનાં સ્વરૂપે પણ આલેખ્યાં છે. ઉપરના સામરણનું ઝીણવટભર્યું શિલ્પ દર્શનીય છે. નીચલા ભાગમાં અષ્ટાપદજીનું મંદિર છે. મૂળ ગભારામાં મૂળનાયક શ્રી કુંથુનાથ ભગવાન છે. તેમાં ચારે દિશામાં અનુક્રમે સાત, પાંચ, સાત, પાંચ મળીને ૨૪ જિનપ્રતિમાઓ છે. ગભારાની અંદરની ભમતીમાં સં. ૧૫૩૬ના લેખવાળી પીળા પાષાણુની ચાવીશી અને એ જ સાલને પણ જુદા શેટ્ટીએ ભરાવેલે બાવન જિનેશ્વરને પટ્ટ છે. બીજી મૂર્તિઓ ઉપરાંત બેંતેર જિનને ૫ટ્ટ અને સં. ૧૫૩૬ને ચોવીશીને પદ્ધ સ્થાપન કરેલ છે. ગભારાની બહાર અને ભમતીમાં પણ જિનમૂર્તિઓને પરિવાર ઘણે છે. ૧૩. “જૈન લેખસંગ્રહ” ખં: ૩, લેખક: ૨૧૫૪ १४. xxx स. १५३६ वर्षे फागण सुदि ३ दिने राउलश्रीदेवकर्णराज्ये समस्तदेसना संघ मेलवी श्रीजिनचंद्रसूरि कन्हलि प्रतिष्ठा વરથી બીજુંથુનાથ બ્રશતિનાથ મૂત્રના જ થયા –જે. ભાં૦ ગ્રં સુ૦ પરિ૦ (૫) પૃ. ૭૦ ૧૫. “જૈન લેખસંગ્રહ” ખંડ: ૩, લેખકઃ ૨૧૫૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy