SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ રાજસ્થાનની મંદિરાવલી ૬૧ વીર ભામાશાહે રાણા પ્રતાપના સંકટાવસ્થામાં દેશાભિમાન અને સ્વામિભક્તિથી પ્રેરાઈને સ્વોપાર્જિત અખૂટ સંપત્તિ રાણા પ્રતાપને ચરણે ધરી દીધી હતી. એ સંપત્તિની સહાયથી જ પ્રતાપે પિતાનું રાજ્ય ફરીથી હસ્તગત કર્યું હતું અને રાણુ પ્રતાપે એ સમયના રામાં મંત્રાને દૂર કરી ભામાશાહને મંત્રીપદે નિયુક્ત કર્યો હતો. એનું સમર્થન એક કવિની આ પંક્તિમાં છે—“ માનો પરવાનો ? નામો થી ર” આથી જ ભામાશાહની દાનવીર અને મેવાડોદ્ધારક તરીકેની કીર્તિ આજ સુધી કહદયમાં સ્થાન પામેલી જોવાય છે. પં. ગારીશંકર ઓઝાજી કહે છે કે, “ભામાશાહનું નામ મેવાડમાં એટલું જ પ્રસિદ્ધ છે જેવું ગુજરાતમાં વસ્તુપાલ અને તેજપાલનું.” રાણા પ્રતાપે ભામાશાહને મંત્રી બનાવ્યા એટલું જ નહિ પણ એના વંશમાં ભામાશાહના વંશજોને મંત્રીપદ મળે એવી કાયમી વ્યવસ્થા કરી. ભામાશાહ રાણા પ્રતાપના પુત્ર અમરસિંહના મંત્રીપદે ત્રણેક વર્ષ રહ્યા પછી તેમના પુત્ર જીવાશાહ મંત્રીપદે નિયુક્ત થયા. જીવાશાહની પછી તેમના પુત્ર અક્ષયરાજ મહારાણું કર્ણસિંહ અને જગતસિંહના સમયમાં મંત્રીપદે હતા. મહારાણુ રાજસિંહના સમયે શ્રેષ્ઠી દયાલદાસ મંત્રી હતા. તેણે ઔરંગઝેબની સામેલડાઈ આદરી વિજય મેળવ્યું હતું. એ વિજયના ઉપલક્ષમાં રાજસિંહે દયાલદાસની માગણી અનુસાર રાજનગરમાં મંદિર બાંધવાની પરવાનગી આપી. વીર દયાલદાસે રાજસમંદની પાસે ઊંચી ટેકરી ઉપર આદિનાથને ચતુર્મુખ જિનપ્રાસાદ બંધાવ્ય; જે આજ સુધી એની કીર્તિગાથા સંભળાવી રહ્યો છે. આ મંદિરની હદમાં કે જીવવધ ન કરે એવું સં. ૧૭૪૯ના મહા સુદિના દિવસનું ફરમાન રાણુ રાજસિંહે બહાર પાડયું હતું. આ સિવાય બીજા કેટલાયે જૈન વીરે મંત્રીપદે હતા, એને ઈતિહાસ મળી આવે છે. મેવાડના મહારાણા લાખાના સમયમાં નવલખાત્રને રામદેવ શ્રેષ્ઠી મંત્રી હતા. મહારાણા હમીરના સમયમાં જાલસિંહ નામે શ્રેષ્ઠી મંત્રીપદે હતે. મહારાણા કુંભાના સમયે બેલા ભંડારી, ગુણરાજ, રત્નસિંહ, ધરણશાહ આદિ પ્રધાને હતા. મહારાણુ વિક્રમાદિત્યના સમયમાં કુંભલગઢ કિલેદાર આશાશાહ નામે હતો જેણે મહારાણા ઉદયસિંહ શરણાગત થતાં તેમને અભયદાન આપ્યું હતું. સં. ૧૫૧૫માં જ્યારે મહારાજા જોધાજી મંડોરથી જોધપુર આવ્યા ત્યારે જૈન શ્રેણી મહારાજજીને તેમણે દીવાન બનાવ્યા હતા. તેમની કામગીરીથી પ્રસન્ન થયેલા જોધાજીએ સં. ૧૫૨૬માં ફતેહપળની નજીક તેમને રહેવા માટે હવેલી બનાવી આપી હતી. મહારાજા જોધાજીના સેનાપતિઓ નારજી અને સમજી નામે જૈન શ્રેષ્ઠીઓ જ હતા. મહારાણા ગજસિંહના સમયે માના ભંડારી, અજિતસિંહના રઘુનાથ ભંડારી અને તે પછી ખીમસિંહ ભંડારી,અનુપસિંહ, પિમસિંહ, સુરતરામ, ગંગારામ, રત્નસિંહ, લહમીચંદ, પૃથ્વીરાજ, બહાદુરમલ, કિશનમલ વગેરે ભંડારીપદે નિયુક્ત હતા. સં. ૧૬૫૮માં મહારાજા કૃષ્ણજીએ કૃષ્ણગઢ વસાવ્યું અને મહેતા રાયચંદને મંત્રી બનાવ્યા. તેમના નાનાભાઈ શંકરમણિને પણ ઊંચા હદે નિયુક્ત કર્યો બંનેની શાસનવ્યવસ્થાથી પ્રસન્ન થયેલા રાજવીએ તેમને માટે બે હવેલીઓ બંધાવી આપી; જે આજે પણ અડીપળ અને છેટીપેળ નામે ઓળખાય છે. મહેતા રાયચંદજીએ કૃષ્ણગઢમાં સં. ૧૯૭૦માં એક જૈન મંદિર બંધાવ્યું અને સં. ૧૬૭રમાં તેની પ્રતિષ્ઠા કરાવી. મહારાજા માનસિંહજી પિતાના વૃદ્ધ અને અનુભવી મહેતા રાયચંદ ઉપર ખૂબ પ્રસન્ન રહેતા. આથી તેમણે પાલડી ગામ તેમને બક્ષિસમાં આપ્યું હતું. સં. ૧૭૨૩ માં રાયચંદ્ર મંત્રી સ્વર્ગસ્થ થયા હતા. મહારાજા માનસિંહજીના રહસ્યમંત્રી મહેતા વૃદ્ધભાણજી હતા. તેમના પુત્ર કૃષ્ણદાસજી મહેતા તેમના દીવાનપદે હતા. તેમની કામગીરીથી ખુશ થઈ રાજાએ તેમને બુહારુ ગામ ભેટમાં આપ્યું હતું. એ પછી કૃષ્ણુદાસજી, આસકરણજી, દેવીચંદ્રજી, ચેનસિંહજી, અચલેજી, જયમલજી, નેણુસી (જેમણે “નેણસીરી ખ્યાત” નામે ઐતિહાસિક ગ્રંથ લખે છે), સુંદરદાસ, કરમસી, વરસીજી, સંગ્રામસિંહજી, જ્ઞાનમલજી, નવલમલજી વગેરેએ દીવાનગીરી જેવા ઊંચા હોદ્દાઓ પ્રાપ્ત કરી પેઢી દર અધિકાર ભેળવી દેશની સુરક્ષા દ્વારા ધર્મની રક્ષા કરી હતી અને જૈનધર્મી તરીકે સાખ વધારી હતી. આટલાં માત્ર નામપુરતાં ઉદાહરણથી રાજસ્થાનના સાંસ્કૃતિક, ધાર્મિક, સાહિત્યિક અને રાજનૈતિક ઇતિહાસમાં જૈનાએ દિલથી કે અને કેટલે વેગ આપે હવે એ સમજવું સરળ થઈ પડે છે. ૨૧ Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy