SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ રાજસ્થાનની મંદિરાવલી ૧૫૯ સં. ૧૩૦૦ના કાળાગરાના શિલાલેખથી જણાય છે કે, ચંદ્રાવતીના મહારાજાધિરાજ આલ્હણસિંહના ખેતા નામના મંત્રીએ ત્યાંના મંદિરને કંઈક ભેટ કરવાનું શાસન લખેલું છે. સં. ૧૩૩૩ના ભિન્નમાલના શિલાલેખથી જણાય છે કે, ચાચિગદેવે અહીંના મહાવીર જિનમંદિરને કેટલાક દ્રમ્મનું દાન કર્યું હતું.૩૭ સં. ૧૩૪૫ના દત્તાણ ગામના શિલાલેખથી જણાય છે કે, આ ગામના ઠાકર પરમાર દેવડા પ્રતાપસી અને હેમદેવે અહીંના મંદિર માટે બે ખેતરે આપ્યો અને રા. મહીપાલના પુત્ર સુહસિંહે મંદિરના તીર્થકર દેવની યાત્રા કરી ૪૦૦ દ્રમ્મની ભેટ કરી હતી.૩૮ સં. ૧૩૫૦ના વાગીણ ગામના શિલાલેખથી જણાય છે કે, તે ગામના સેલંકીસમુદાયે મળીને ત્યાંના જિનમંદિરના નિર્વાહ અથે પ્રત્યેક અરટ દીઠ અમુક કર નાખ્યા હતા. સં. ૧૩૯૧ના દિયાણા ગામના શિલાલેખથી જણાય છે કે, રાજશ્રી તેજસિંહ અને મંત્રી ફપાએ દિયાણના મહાવીરદેવ માટે વાવડી ભેટ કરી હતી.૪૦ સં. ૧૪જરના મૂંગથલાના શિલાલેખથી જણાય છે કે, રાજા કાન્હડદેવના પુત્ર વીસલદેવે મૂંગથલાના મંદિર માટે કંઈક ભેટ આપી હતી.' સં. ૧૬૫૯ના નાણાગામના શિલાલેખથી જણાય છે કે, રાજા અમરસિંહે નારાયણ નામના મંત્રીને નાણાગામ સમર્પણ કરેલું, તેમાંને સાઈરાવને અરટ એ મંત્રીએ નાણાના મંદિરને અર્પણ કર્યો હતો. ૨ સં. ૧૮૭૬ના બ્રાહ્મણવાડાના તામ્રપત્રથી જણાય છે કે, સિહના દરબાર શિવસિંહજીએ બ્રાહ્મણવાડાના મહાવીરદેવ માટે અરટ અને ઉપજને કેટલેક ભાગ અર્પણ કર્યો હતે.* આ સિવાય બીજા કેટલા પ્રમાણે શોધીને મૂકી શકાય પરંતુ આપણી હકીકતને માટે આટલાં ઉદાહરણ પર્યાપ્ત ગણાય. ઉપર્યુક્ત ઉલ્લેખથી સ્પષ્ટ થાય છે કે, આ પ્રદેશના ગામના નામ ઉપરથી અસ્તિત્વમાં આવેલા ગછો અને જ્ઞાતિના પ્રભાવશાળી પુરુષોએ અહીંના સંસ્કૃતિ-નિર્માણ કાર્યમાં સમગ્ર રીતે વેગ આપે છે. એ જ રીતે બારમા-તેરમા સૈકા પછી અહીંના રાજકારણમાં મુસ્લિમોના કારણે પલટે આવ્યું ત્યારે ક્ષત્રિય જૈન વીરે આગળ આવ્યા અને મંત્રી. સેનાપતિ, ભંડારી આદિ અધિકારપદે રહીને પોતાની શક્તિ અને કુનેહ દ્વારા શાસનવ્યવસ્થા ટકાવી રાખવામાં માટે ફાળો આપે હતું, જેની નામપૂરતી નેંધ પણ ઉવેખી શકાય એમ નથી. કેટલાક શ્રેષ્ઠીઓનું મંત્રીપદ તે: વંશપરંશમાં ઊતરી આવતું હતું. સોનગરાવંશીય મંડન મંત્રીના પૂર્વજોએ જુદે જુદે સ્થળે મંત્રીપદ શોભાવ્યાં હતાં એની હકીકત “કાવ્યમનહર” નામના ગ્રંથથી જણાય છે. ૩૬. “પ્રાચીન જૈન લેખસંગ્રહ' ભાગ ૨, લેખાંકઃ ૪૨ ૬, ૩૭. એજન, લેખક: ૪૨. ૩૮. “અબુદાચલ પ્રદક્ષિણા જૈનલેખસંદોહ” લેખાંક૫૫. ૩૯. “ પ્રાચીન જૈન લેખસંગ્રહ' ભાગ ૨, લેખાંક: ૪૨૫. ૪૦ અબુદાચલ પ્રદક્ષિણા જેનલેખસંદોહ” લેખાંકઃ ૪૯૦. ૧. એજન, લેખાંકઃ ૫૧. ૪૨. એજન, લેખાંકઃ ૩૬૨. ૪૩. એજન, લેખાંક: ૩૦૪. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy