SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ જૈન તીથ સસ ગ્રહ પલ્લીવાલગચ્છ, કાર’ટક ગક, સાંઢિરકગચ્છ, નાગપુરીય ગચ્છ, નાણાવાલા નાણુકીય )ગચ્છ, છરાઉલાળ, હસ્તિ ડીગ છે, ભટેવરગચ્છ, હ પુરીયગ, કાસડુંગચ્છ, શ્રવણુગ, કોલીવાલગછ વગેરે ગચ્છનામા તો તે તે ગામ ઉપરથી અસ્તિત્વમાં આવ્યા છે, જે આ પ્રદેશમાં જૈનાચાર્યાએ પાથરેલા પ્રભાવનાં પૂરતાં પ્રમાણ આપી રહ્યાં છે. વળી, જૈન બન્યા ન હોય એવા રાજવીઓ પણ જેના પ્રત્યે સહાનુભૂતિ દાખવતા હતા; એના પુરાવાઓ પશુ સુલભ છે. કોઈ પણ રાજવી આ પ્રદેશમાં કિલ્લો બંધાવતા ત્યારે સાથેાસાય આદીશ્વરનું મંદિર પણ બંધાવતા હતા અને નવું ગામ વસાવતાં જૈન મહાજનાને સર્વ પ્રથમ આવકારતા હતા. કેટલાક રાજવીઓ જૈન મિંદરના નિર્વા ધાય ગામ, જમીન અરટ કે અમુક ઉપજના માગ પ્રતિવષ આપતા, તેના શિલાલેખા અને દાનપત્રા વગેરેમાં આવતા ઉલ્લેખાનાં પ્રમાણે! આજે પણ દુĆભ નથી; એ વિશે કેટલાંક ઉદાહરણા ઉપર દષ્ટિપાત કરી લઈએ. ઉપર અમે જાળ્યું જ છે કે, ઘટિયાળાના શિલાલેખમાં સ. ૧૮માં કક શાઓ અને હધુડીના શિક્ષાલેખમાં સ. ૯૭૩માં વિન્ધરાજે મંદિશ બંધાવ્યાં હતાં તેના નિર્દેશ છે અને તેના નિર્વાહા તેમણે કેટલુંક દાન આપ્યું હતું તેમજ વિદગ્ધરાજના પુત્ર ધવલે પણ એ દાનમાં વધારો કરી આપ્યા હતા, એમ જાગ્યું છે. એ પછી સં ૧૧૭૨ના સેવાડી ગામના શિલાલેખથી જડ઼ાય છે કે, કહુક નામના રાજવી સેવાડીના જિનાલય માટે પ્રતિવર્ષ દાન આપતા હતા.૨૮ સ. ૧૧૯૫ના શિલાલેખથી જણાય છે કે, ગુહિલવશીય રાણા ઊદ્ધરણુના પુત્ર રાજદેવ પાડિયાએના મળતા કરમાંથી ૧૦ મા ભાગ અહીના જિનમંદિરને અર્પણ કરતા હતા,૨૯ સં. ૧૨૨૧ના સાંડેયના લેખથી જણાય છે કે, નાડાલના કેન્દ્વન્નુદેવની માતુરાની આનદેવીએ ત્યાંના જૈન મંદિર માટે કેટલાક દાનનું શાસન આપ્યું હતું અને સં. ૧૨૩૬ના લેખથી જણાય છે કે, કેયની રાણી જાહેણુ દેવીના આશ્રયથી રાલ્ડાકે જૈન મંદિર માટે કેટલુંક દાન કર્યું " હતું. ૩૦ સ. ૧૯૨૪ના કોરાના શિલાલેખથી જણાય છે કે, પરમાર રાયસી ( ધારાદેવ)ની રાણી શ’ગરદેવીએ અહીં'ના મદિરના થાંબલા કરાવી આપ્યા હતા. સં. ૧૨૨૮ ના એક દાનપત્રથી જણાય છે કે, ચૌઢાવશી રાચ્છામાં ૧૪મી પેઢીએ થયેલા આવે જૈનધર્મ અંગીકાર કરી નાડાલમાં ભગવાન મહાવીરનું મંદિર બંધાવ્યું અને તેને માટે વૃત્તિ નિર્ધારિત કરી હતી. સ. ૧૨૪૧ના ઘાંઘળી ગામના શિલાલેખથી જણાય છે કે, રાન્ન કેન્નુદેવના પુત્ર માહલય પાનાને મળેલા ઘાંઘાણી ગામમાં મહાવીર જિનના મદિરના નિભાવ માટે માંડવ્યપુરની મડિપકામાંથી દાન અપાવ્યું હતું. 33 સ. ૧૫૫ના આડાલી ગામના શિલાલેખથી જણાય છે કે, પરમાર ધારાવ દેવની રાણી શુંગારદેવીએ ઝડાલીના જૈન મંદિરના નિર્વાહાથે અરટ અને જમીન આપી હતી.જ સ. ૧૨૮૭ ના આબુના લવસહી મંદિરના શિલાલેખથી જળુય છે કે, ચ'દ્રાવતીના પરમારરાજા સામવે અને તેના પાટવી કુંવર કાન્હડરને લૂણવસહી મદિરના નિભાવ માટે ડંબાણી ગામ સદા માટે ભેટ કર્યું હતું, પ ૨૮. ‘પ્રાચીન જૈન લેખસંગ્રહ ' ભા. ૨, લેખાંક ૩૨૩. ૨૯. એજન; લેખાંક ૪૩૨, ૩૦. એજન; લેખાંક, ૩૪૯, ૩૫૦. ૩૧. ‘અર્જુÖદાચલ પ્રદક્ષિણા જૈનલેખસ ંદો,' લેખાંક; ૪૫૦. ૩૨. ૬ ટાડ–રાજસ્થાન ' .િ ખડ; અ. ૨૭, પૃ. ૭૭૪. ૩૩. પ્રાચીન જૈન લેખસ’પ્રશ્ન ' ભાગ ૨, લેખકઃ ૪૯. ૩૪. બુચત્ર પ્રાક્ષિણા લેખસ ંદ' લેખા ૪૧૨, ૩૫. એના લેખાં ૨૫૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy