SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ર જૈન તીર્થ સર્વસંગ્રહ શ્રીધર્મનાથ ભગવાનના મંદિર પાસે એક ઉપાશ્રય છે તેને પિષધશાળા કહે છે. તેમાં કેટલાંક વર્ષોથી મડાહડગરછીય શ્રીચકેશ્વરસૂરિસંતાનીય મેઘજી ભટ્ટારિક નામના યતિ રહેતા હતા. તેઓ મંદિરને વહીવટ કરતા હતા. અહીંના શ્રાવકે સાથે એ યતિને ઝગડો થતાં આ મંદિરને તાળાં લગાવી દીધાં તે લગભગ ૪૫ વર્ષો બાદ શા. ધરમચંદ તારાચંદ અને શા. જુવાનમલજી વકીલ વગેરે પંચાએ ૨ાજની મદદથી એ મંદિર અને ઉપાશ્રયને કબજે લઈ મંદિરને ખુલ્લું મૂકયું. યતિએ આ મંદિરની મૂર્તિઓ વગેરે અસ્તવ્યસ્ત કરી નાખી હતી. અહીં એક ઊંચી ટેકરી પર સદાશિવજી મહાદેવનું દેરું છે તેને લેકે “મહારદેવીનું મંદિર કહે છે. વાસ્તવમાં દેરાની અંદરના અને બહારના ખંડમાં પથ્થર ઉપર લાલ રંગથી લખેલા સં. ૧૬૭૪ અને સં. ૧૭૮૭ ના બે-ત્રણ લેખેથી સ્પષ્ટ જણાય છે કે, આ દેરું મણિભદ્ર યક્ષ અને ચક્રેશ્વરસૂરિનાં પગલાં સ્થાપન કરવા માટે બનાવેલું હતું. આ દેરામાં ચકેશ્વરસૂરિસંતાનીય અતિમહાત્માઓનાં પગલાં જેડી ૯ નો એક પટ્ટ છે. તેના ઉપર સં. ૧૭૭૧ના બે અને સં. ૧૯૫૭ને એક–એમ ત્રણ લેખે છે. એક બાજુ સાદા પથ્થરમાં બનાવેલી આશરે ૪ ફીટ ઊંચી ગૃહસ્થ શ્રાવકની બે મૂર્તિઓ છે. તેમના શરીરે ધેતિયું, અંગરખુ અને દુપટ્ટાની નિશાની છે. હાથમાં પૂજાની સામગ્રી છે. આ મૂર્તિઓ મણિભદ્રની શ્રાવક અવસ્થાની હશે એમ સ્પષ્ટ જણાય છે. બંને મૂતિઓનું પેટ મોટું હોવાથી ગામના લેકે તેને મડાદેવી તરીકે પૂજે--માને છે. અહીં બીજાં દેવ-દેવીઓની ૧૪ મૂર્તિઓ પણ છે. ગૃહસ્થ શ્રાવકની મૂર્તિને જ દેવી માનવાની આ ભ્રમણ અહીંની જનતાનું અજ્ઞાન જ સૂચવે છે, દેરા બહારના ચિતરા પાસે એક ગૃહસ્થ શ્રાવકની. મૃતિ જેવાય છે ને તેની પાસેના પથ્થર ઉપર સં. ૧૨૮૭ને એક લેખ છે. કંસારાવાસની બાજુએથી ટેકરી ઉપર થોડું ઊંચે જવાથી એક દેરી આવે છે. તેને લોકો “સકલેશ્વરજી’ના નામે ઓળખે છે. તેમાં મહાદેવનું લિંગ કે મૂર્તિ નથી પણ એક દેવીની મૂર્તિ મૂળનાયકના સ્થાને બિરાજે છે. હાથી ઉપર આરૂઢ થયેલી આ દેવીમૂતિના ચારે હાથમાં અંકુશ, નાગપાશ, માળા અને ફળ વગેરે લાક્ષણિક સામગ્રી જોવાય છે. વાસ્તુશાસ્ત્રમાં ચકેશ્વરી મૂર્તિનું જે લક્ષણ આપવામાં આવે છે તેવી આ મૂર્તિ છે. ચકેશ્વરી દેવીને મારવાડના લેકે સંખેસરી” દેવી કહે છે. સંખેસરીને પણ વધુ અપભ્રષ્ટ બનાવતાં લેકે એ “સકલેશ્વર” તરીકે આ સ્થાનને ઓળખાવ્યું હોય એમ લાગે છે. જેને વિધિ પ્રમાણે અહીં પૂજા થતી નથી. આ દેવીમૂર્તિની બંને બાજુએ બીજી દેવદેવીઓની મૂર્તિ છે. બહાર ઝાંપામાં સમ્મુખ બે મૂર્તિઓ નાના હાથી ઉપર આરૂઢ થયેલી જોવાય છે. આજે આ બંને સ્થાને, શ્રાવકે સાથે મેઘજી ભટ્ટારકના અણબનાવને ભંગ થતાં જેનેના હાથમાંથી ચાલ્યાં ગયાં છે. સરભીલેખક આ ગામની બહાર પૂર્વ દિશામાં પાવડિયા ફળાની પાસે જેરાજના ચેતર પાસે એક સરકા (સુરભીને લેખ છે. તેમાં આ પ્રકારે ઉલ્લેખ છે–“સં. ૧૩૫ર વર્ષે ચિત્ર સુદિ ૨ ગુરુવારે મહારાજકુલ શ્રી. વિસલદેવ નિયુક્ત મહું મૂંજિગ પ્રભૂતિ પંચકુલે માંડવી (દાણ)ને અમુક કર માફ કર્યો. ” તેની પાસેના ઘરમાં સં. ૧૩૬૭૭)ને એક બીજી સરઈ( સુરભી)ને લેખ છે. તેમાં તરતા મરદ વગેરે નામે કેરેલાં છે. છત્રી: ડીસા કેપના રસ્તે ગામના ઝાંપામાં “છત્રી” નામે પંચનું મકાન છે. તેમાં વચ્ચે ચકમાં બે છત્રીઓમાં બે દેરીઓ છે. તેમાં પાછલી દેરીમાં શ્રીવિજયરાજસૂરિનાં પગલાં સ્થાપન કરેલાં છે. તેના ઉપર ફક્ત નામ છે અને સં. ૧૮–ને લેખ છે. ચૂનામાં દબાઈ જવાથી પૂર વંચાતું નથી. આગળની દેરીમાં ચાર જેડી પગલાંને પટ્ટ છે. તેના ઉપર લેખે છે પણ વાંચી શકાતા નથી. છત્રીથી જરા આગળ જતાં જૈન ધર્મશાળાનું ખંડિયેર જેવાય છે. અહીં શ્રાવકોનાં ૨૦૦ ઘરની વસ્તી છે. ૪ ઉપાશ્રય, ૧ જૈનશાળા અને લાયબ્રેરી વગેરે પણ છે. તપગચ્છના. ઉપાશ્રયમાં યતિજી રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy